SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પ/-I-IB૦૮ ૧૮૧ તુલ્ય છે, પ્રદેશાર્થપણે તુલ્ય છે, પણ અવગાહના વડે કદાચ હીન, કદાચ તુલ્ય, કદાચ હીન હોય. જો હીન હોય તો અસંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યાતમો ભા+સંખ્યાત ગુણ કે અસંખ્યાતગુણ હીન હોય છે અધિક હોય તો અસંખ્યાતમો ભાગ યાવતુ અસંખ્યાતગુણ અધિક હોય. ક્ષિતિની અપેક્ષાથી કદાચ હીન, કદાચ તુલ્ય કે કદાચ અધિક હોય. જે હીન સ્થિતિક હોય તો અસંખ્યાતમો ભાગ ચાવતું સંખ્યાતગુણ હીન હોય. જે અધિક હોય તો અસંખ્યાતમો ભાગ યાવત અસંખ્યાતગુણ અધિક સ્થિતિવાળો હોય, કાળા વણ પર્યાયિની અપેક્ષાથી કદાચ હીન, કદાચ તુલ્ય કે કદાચ અધિક હોય. જે હીન હોય તો અનંતઅસંખ્યાત-સંખ્યાતમો ભાગ હીન હોય અથવા સંખ્યાત-અસખ્યાત-અનંતગુણ હીન હોય. જે અધિક હોય તો અનંતમો ભાગ યાવ4 અનંતગુણ અધિક હોય. એ રીતે નીલસ્કd-હાદ્ધિ અને શુકલવર્ણની અપેક્ષાથી પણ છ સ્થાન પતિત જાણવો. - સુગંધ અને દુર્ગધ પાયિની સાપેક્ષાથી છ સ્થાન પતિત હોય, તિકdકટક-કયાય-અસ્વ-મધુરસ પર્યાયિની અપેક્ષાએ છે સ્થાન પતિત હોય, કર્કશમૃદુ-ગુર-લઘુ-શીત-ઉઝ-નિધન્ટ્સ સ્પર્શ પયય વડે જ સ્થાન પ્રાપ્ત હોય. આભિનિબોધિક-કૃત-અવધિ-મન પયયજ્ઞાન પયરય તથા મતિજ્ઞાન-શ્રત આજ્ઞાન-વિર્ભાગજ્ઞાન પર્યાય વડે, ચક્ષુ-ચક્ષુ-અવધિ દશન પયય વડે છ સ્થાનને પ્રાપ્ત હોય. • • • તે કારણથી હે ગૌતમ! એમ કહ્યું કે નાસ્કોના અનંતા પાયિ હોય છે. • વિવેચન-૩૦૮ : ભગવદ્ ! નારકોના કેટલા પર્યાયો કહ્યા છે ? આ પ્રશ્ન કયા અભિપાયથી છે ? પહેલા સામાન્ય જીવોના પ્રશ્નમાં પર્યાયવાળા જીવો અનંત હોવાથી અનંતપર્યાયો કહ્યા, પણ જ્યાં પર્યાયવાળા જીવો અનંતા નથી, ત્યાં પર્યાયોનું અનંતપણું કઈ રીતે ઘટે ? ત્યાં એ જ ઉત્તર આપે છે - “નારકોના અનંતપર્યાયો છે.” અહીં સંશય કરે છે કે એમ શા હેતુથી કહો છો ? તેનો ઉત્તર - એક નૈરયિક, બીજા નૈરયિકની અપેક્ષાએ દ્રવ્યસ્વરૂપે તુલ્ય છે. ઈત્યાદિ. અનંત પર્યાયિો શી રીતે ઘટે, તે બતાવે ચે - કોઈ પણ એક દ્રવ્ય અનંત પર્યાયવાળું છે, કેમકે નાક જીવ પણ દ્રવ્ય છે તેથી એક નાક જીવ દ્રવ્ય, બીજા નારક જીવની અપેક્ષાથી દ્રવ્યસ્વરૂપે તુલ્ય છે. પ્રદેશની અપેક્ષાથી - નાક જીવ દ્રવ્યના પ્રદેશ લોકાકાશના પ્રદેશો જેટલા છે, તેથી પ્રદેશાર્થપણે બંને તુલ્ય છે. પ્રદેશાર્થપણે તુલ્ય છે તેમ કહીને દ્રવ્યો પ્રદેશવાળા અને પ્રદેશવાળા છે એમ બે ભેદ જણાવે છે. તેમાં પરમાણુ અપ્રદેશ દ્રવ્ય છે તથા દ્વિપદેશાદિ દ્રવ્યો પણ છે. તથા અવગાહનાની અપેક્ષાથી કદાયહીન હોય અર્થાત્ અસંખ્યાત પ્રદેશી નૈરયિક કદાચ બીજા તુાપદેશી નૈરયિકથી અવગાહનાની અપેક્ષાથી હીન હોય. અહીં થાત્ શબ્દ પ્રશંસા, અસ્તિત્વ, ૧૮૨ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ વિવાદ, વિચારણા, અનેકાંત, સંશય, પ્રગ્નાદિ અર્થમાં છે એટલે અનેકાંતપણે કદાચ હીન હોય, કદાય તત્ય કે અધિક હોય. કેમકે રત્નપ્રભાં પૃથ્વીના નાકોના ભવધારણીય વૈક્રિય શરીરની અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી સાત ધનુષ ત્રણ હાથ છ આંગળ છે અને ઉત્કૃષ્ટથી વધતાં વધતાં સાતમી નારકમાં તે પno ધનુષ હોય છે. ઉક્ત અવગાહના જો એક-બીજી નરકની અપેક્ષાથી ગણીએ તો અસંખ્યાતમોસંખ્યાતમો ભાગ હીન પણ હોય. સંખ્યાત કે અસંખ્યાતગુણ હીન પણ હોય એ રીતે અધિક હોય તો અસખ્યાત ભાગ ચાવત્ અસંખ્યાતગુણ અધિક પણ હોય. કેમકે એક નાકમાં ઉંચાઈ ૫૦૦ ધનુષ છે, બીજામાં અંગુલનો અસંખ્યાતભાગ હીન છે. * * * * * આ રીતે “વૃત્તિકાર" ગણિત દ્વારા હીન-અધિકતા કહે છે. • x • તેમાં અસંખ્યાત ગુણને જણાવતા કહે છે કે- એક તારક અપયપ્તિ અવસ્થામાં અંગુલનો અસંખ્યાત ભાગ છે, તો આ અસંખ્યાતને અસંખ્યાત વડે ગુણતા ૫૦૦ ધનુષ થાય છે તેથી અસંખ્યાતગુણ હીન કહેલ છે. બીજો પહેલાંથી અસંખ્યાતગુણ અધિક કહેવાય છે. જેમ અવગાહના વડે હાનિ અને વૃદ્ધિના ચાર સ્થાનકો કહાં, તેમ સ્થિતિ વડે પણ ચાર સ્થાનકો કહેવા. તે આ રીતે – એક નાકમાં 33-સાગરોપમ સ્થિતિ છે, બીજાની સમયાદિ જૂન 13-સાગરોપમ સ્થિતિ છે. એ રીતે -x •x • સંખ્યાતભાગ હીન કે અધિક થયા. કેમકે અસંખ્યાતા સમયોની એક આવલિકા, સંગાતી આવલિકાનો એક ઉચ્છવાસનિ:શ્વાસ, સાત ઉચ્છવાસ નિઃશ્વાસ વડે એક સ્તોક, સાત સ્તોકનો એક લવ, ૩૩૮ લવનો એક મુહૂર્ત. એ રીતે • X - X - અસંખ્યાતા વર્ષે એક પલ્યોપમ થાય. એ રીતે સમયાદિ હીન નારક, પૂર્ણ સ્થિતિવાળાની અપેક્ષાઓ અસંખ્યાતમો ભાગ હીન થાય, બીજો તેની અપેક્ષાએ અધિક થાય. વળી દશ કોડાકોડી પલ્યોપમથી એકે સાગરોપમ થાય. તેથી કેટલાંક પલ્યોપમ ન્યૂન સ્થિતિવાળો પૂર્ણ સ્થિતિવાળા નારકની અપેક્ષાએ સંખ્યાતમો ભાગ હીન છે, બીજો તેનાથી અધિક છે, આ જ વસ્તુ સાગરોપમની તુલનાથી પણ વૃત્તિકારે બતાવી છે. તેમજ અસંખ્યાતગુણ હીનતા બનાવતા કહે છે - દશ હજાર વર્ષની સ્થિતિવાળો 33-સાગરોપમની અપેક્ષાઓ અસંખ્યાતગુણહીન છે. એ રીતે ફોનને આશ્રીને અવગાહનાનું હીનાધિકત્વ અને કાળને આશ્રીને સ્થિતિનું હીનાધિકત્વ હોવાથી ચતુઃસ્થાનની પ્રાપ્તિ કહી છે. હવે ભાવને આશ્રીને હીનાધિકત્વ કહે છે – સર્વ જીવ અને અજીવ દ્રવ્યોનો પરસ્પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વડે વિભાગ થાય છે. જેમકે ઘડો, કોઈ માટીનો હોય કોઈ સોનાનો હોય વગેરે. તે દ્રવ્ય વિભાગ. ક્ષેત્રની એક અહીં તો, બીજો પાટલીપુત્રનો કાળથી આ આજનો, આ બીજા વર્ષનો ભાવથી એક કાળો, બીજો લાલ વગેરે. એમ બીજા દ્રવ્યો સંબંધે પણ જાણવું.
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy