SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-I-I૧૩૫ થી ૧૪૮ ૫૩ [૩૮] જેમ તપાવેલ લોઢાનો ગોળો, તપેલા સુવર્ણ જેવો બધો અગ્નિથી વ્યાપ્ત થાય, તેમ નિગોદના જીવોને જાણ. • - • [૧૩] એક, બે, ત્રણ ચાવતું સંખ્યાતા બાદર નિગોદ જીવોના શરીરો જોવા શકય નથી, પણ અનંત જીવોના શરીરો દેખાય છે. ૧૪] લોકાકાશના પ્રદેશ ઉપર એક એક નિગોદ જીવને સ્થાપવો, એ પ્રમાણે માપતાં અનંત લોક થાય છે. --- [૧૪] લોકના એક એક પ્રદેશ ઉપર એક એક પ્રત્યેક વનસ્પતિકાય જીવને સ્થાપવો એ પ્રમાણે માપતાં અસંખ્યાતલોક થાય છે. ••• [૧૪] પાતા પ્રત્યેક જીવો લોકાકાશના પ્રતરના અસંખ્યાતમા ભાગે છે, અપયfપ્તા પ્રત્યેક જીવો અસંખ્યાત લોકાકાશ પ્રમાણ છે. સાધારણ જીવો અનંત લોકાકાશ પ્રમાણ છે. --- [૧૪] એમ પ્રરૂપણા કરેલા ભાદર જીવો આ શરીરો વડે પ્રત્યક્ષ છે, સૂક્ષ્મ જીવો આગ્રાહ્ય છે, કારણ કે તે ચક્ષુનો વિષય થતા નથી. [૧૪] તેવા પ્રકારના જે બીજા પણ હોય તેને વનસ્પતિકાયિક જાણવા. તે સંડ્રોપથી બે પ્રકારે . પતિ અને પર્યાપ્તા. તેમાં પિયક્તિા તે આસપાપ્ત છે, જે પ્રયતા છે તે વર્ણ-ગંધરસ-સ્પર્શની અપેક્ષાએ હજારો ભેટે છે. સંખ્યાતા લાખ યોનિ છે પયfપ્તાની નિશ્રાએ અપયર્તિા ઉત્પન્ન થાય છે. જ્યાં એક પયતો છે, ત્યાં સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા અપયતા છે. એ વનસ્પતિકાય સંબંધે આ ગાથાઓ જાણવી. [૧૪૫] કંદ, કંદમૂળ, વૃક્ષમૂળ, ગુચ્છ, ગુલ્મ, વલ્લી, વેણુ, વૃક્ષ, [૧૪] પw, ઉત્પલ, સંઘાટ, હઢ, સેવાલ, કૃણક, પનક, આવક, કચ્છ, ભાણી, કંદુક્ક... [૧૪] તેઓમાં કોઈ કોઈ વનસ્પતિની વચા, છાલ, પવાલ, પાંદડા, પુષ, ફળ, મૂળ, અગ્ર, મધ્ય અને બીજને વિશે યોનિ હોય છે. [૧૪] એ પ્રમાણે સાધારણ ભાદર, વનસ્પતિકાચિક અને એકેન્દ્રિય જીવો કહા. • વિવેચન-૧૩૫ થી ૧૪૮ : HEવ - એક કાળે ઉત્પન્ન થયેલા સાધારણ વનસ્પતિકાયિકોની, HEવ - એક કાળે શરીરોત્પત્તિ થાય છે. એક કાળે જ શ્વાસોચ્છવાસ યોગ્ય પુદ્ગલોનું ઉપાદાના - * - શ્વાસોચ્છવાસ હોય છે. તથા એનું આહારાદિ પુદ્ગલ ગ્રહણ, ઘણાં સાધારણ જીવોનું પણ જાણવું. અર્થાત એક જીવ જે આહારાદિ લે, તે તે શરીરના આશ્રિત અનેક પણ ગ્રહણ કરે. જે ઘણાં લે, તેનો સંક્ષેપથી એ શરીરમાં સમાવેશ થતાં એકને પણ ગ્રહણ થાય છે. હવે ઉતાર્થનો ઉપસંહાર કહે છે - સાધારણ આદિ એક શરીરાશ્રિત બઘાં જીવોનો ઉક્ત પ્રકાર સાધારણ આહાર-આહાર યોગ્ય પુદ્ગલ ગ્રહણ, સાધારણ શાસોપવાસ યોગ્ય પુગલ ગ્રહણ, ઉપલક્ષણથી શ્વાસોચ્છવાસ અને સાધારણ શરીરની ઉત્પત્તિ તે સાધારણ જીવોનું લક્ષણ જાણવું. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ એક તિગોદશરીરને વિશે અનંતજીવો કઈ રીતે રહે છે ? તે કહે છે - તપાવેલ લોઢાનો ગોળો, બધેથી જે રીતે અગ્નિ વડે પરિણત થાય છે, તેમ તે નિગોદના જીવો જાણવા. અર્થાત નિગોદરૂપે એક શરીરમાં પરિણત થયેલ અનંત જીવો જાણવા. જો કે એક, બે, ત્રણ ચાવત્ સંખ્યાત કે અસંખ્યાત નિગોદ જીવોના શરીરો જોઈ શકવા યોગ્ય નથી, કેમકે તેવા પ્રકારના શરીરોનો અભાવ છે. - પ્રિ એક, બે, ત્રણ, સંપાતા કે અસંખ્યાતા જીવોએ ગ્રહણ કરેલ અનંત વનસ્પતિકાયિક શરીરો નથી. પણ અનંત જીવોના પિંડરૂપ હોય છે, તો પછી શી રીતે દેખાય ? બાદર અનંત નિગોદ જીવોના શરીરો જોઈ શકાય છે. પણ સૂમ નિગોદજીવોના શરીરો દેખાતા નથી. કેમકે સૂક્ષ્મ પરિણામ પરિણત છે. પ્રશ્ન નિગોદ રૂ૫ શરીર, નિયમથી અનંતજીવ પરિણામની પરિણત છે, તેમ કેમ જાણવું ? જિનવચનથી જાણતું. તે આ - અસંખ્યાત ગોળા છે, એક ગોળામાં અસંખ્યાત નિગોદ છે અને એક એક નિગોદ અનંત જીવાત્મક છે. હવે નિગોદ જીવોનું પ્રમાણ કહે છે – એક એક લોકાકાશ પ્રદેશ ઉપર એકએક નિગોદ જીવ સ્થાપવો. આ રીતે માપ કરતા નિગોદના જીવો અનંત લોકાકાશ પ્રમાણ થાય છે, એ રીતે પ્રત્યેક વનસ્પતિકાયિક જીવોનું પ્રમાણ કર્યું છે, તે સૂણાનુસાર જાણd. -x-x- હવે પયક્તિા, અપયતાના ભેદથી પ્રોક અને સાધારણ વનસ્પતિ જીવોનું પ્રમાણ બાતવે છે - ઘનરૂપે કલોલા લોકની પ્રતર શ્રેણિના અસંખ્યાતમાં ભારે જેટલા આકાશપદેશો હોય તેટલા પયક્તિા પ્રત્યેક વનસ્પતિકાયિક જીવો છે, ઈત્યાદિ ઉકત ભેદો સિવાયના જે અહીં કહેલ નથી, પણ તેવા પ્રકારના હોય, અતુ પ્રત્યેક કે સાધારણ વનસ્પતિરૂપ હોય તે પણ વનસ્પતિકાયિકપણે જાણવા, ઇત્યાદિ પૂર્વવતુ. પણ જ્યાં એક બાદર પર્યાપ્ત જીવ છે, તેને આશ્રીને પ્રત્યેક વનસ્પતિકાય સંખ્યાતા કે અસંખ્યાતા હોય છે અને સાધારણ વનસ્પતિકાયિક તો નિયમાં અનંતા જીવ હોય છે. આ સાધારણ અને પ્રત્યેકરૂપ અમુક વનસ્પતિની વિશેષતા જણાવનારી આ ગાથાઓ જાણવી - કંદ આદિ ત્રણ ગાવાઓ છે. કંદ-ગુચ્છ-ગુભ-વલ્લી ઈત્યાદિ ૧૯ નામો ગાથામાં નોંધ્યા. તેમાં કોઈની વયા યોનિ હોય છે, કોઈની છાલ યાવતું કોઈનું મૂળ, કોઈનો અગ્રભાગ - કોઈનો મધ્યભાગ - કોઈનું બીજ યોનિરૂપ હોય છે. • x - આ રીતે એકેન્દ્રિય જીવો કહ્યા. હવે બેઈન્દ્રિય જીવોનું પ્રતિપાદન કરે છે – • સૂત્ર-૧૪૯ : બેઈન્દ્રિય જીવો કેટલા ભેદે છે ? અનેક ભેદે કહેલા છે - યુલાકૃમિ, કુક્ષીકૃમિ, ગંડોલગ, ગોલોમ, નેપુર, સોમંગલગ, વંસીમુખ, સૂચિમુખ, ગોજક, જોંકા, જલાઉસ, શંખ, શંખનક, ગુલ્લા, ખુલ્લા, ગુલયા, બંધ, વરાટા, શૌકિતક,
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy