SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-|-|૨૪ થી ૨૯ [૨] યાવત્ તેવા પ્રકારના બીજા બધાં. તે સંક્ષેપથી બે પ્રકારે છે. પર્યાપ્તક અને અપર્યાપ્તક. તેમાં જે અપતા છે, તે અસંપાપ્ત છે, જે પર્યાપ્તા છે તેઓના વર્ણ-ગંધ-રસ-સ્પર્શ આદેશથી હજારો ભેદો છે. સંખ્યાતા લાખો યોનિદ્વારો છે, પ્રાપ્તિા નિશ્રાએ અપાતા ઉત્પન્ન થાય છે, જ્યાં એક પતિો, ત્યાં નિયમા અસંખ્યાતા આપતા હોય. - ૪ - ૪ - • વિવેચન-૨૪ થી ૨૯ : ૪૧ હવે ખર બાદર પૃથ્વીકાયિકો કહે છે, તે અનેકવિધ કહ્યા છે. તેમાં મુખ્ય ૪૦ ભેદો અહીં કહેલ છે. તેને ચાર ગાથા વડે બતાવે છે. (૧) પૃથ્વી એટલે નદી કિનારાની માટી આદિરૂપ શુદ્ધ પૃથ્વી. (૨) શર્કરા-નાના પત્થરો, (૩) વાલુકા-રેતી, (૪) ઉપલ-ઘડવા લાયક પથ્થર, (૫) શિલા-દેવકુળની પીઠને યોગ્ય મોટો પત્થર, (૬) લવણ-મીઠું, (૩) ઊપ-ખાર, (૮ થી ૧૩) લોઢું આદિ ધાતુ, (૧૪) વજ્ર-હીરો, (૧૫ થી ૧૭) હડતાલ આદિ. (૧૮) સાસગ-પારો, (૧૯) અંજન-સૌવીર આદિ, (૨૦) પ્રવાલ-વિદ્રુમ, (૨૧,૨૨) અભ્રપટલ આદિ બાદર પૃથ્વી છે. હવે મણિના ભેદો – (૨૩ થી ૪૦) ગોમેજ્જક, રુચક, અંક, સ્ફટિક ઈત્યાદિ. એ રીતે પહેલી ગાથામાં ૧૪ ભેદો, બીજી ગાથામાં આઠ, ત્રીજી ગાથામાં નવ, ચોથી ગાથામાં નવ ભેદો કહ્યા. જે આવા પ્રકારના બીજા પણ પારાગાદિ મણિ ભેદો હોય, તે પણ ખર બાદર પૃથ્વીકારપણે જાણવા. આ સામાન્ય બાદરપૃથ્વીકાયિકો સંક્ષેપથી બે ભેદે છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં જે અપર્યાપ્તા છે, તે સ્વયોગ્ય બધી પર્યાપ્તિઓને પ્રાપ્ત થયેલા નથી અથવા વિશિષ્ટ વર્ણાદિને પ્રાપ્ત થયેલા નથી. તે આ રીતે - વર્ણાદિ ભેદ વિવક્ષામાં તેઓનો કૃષ્ણાદિ વર્ણરૂપે વ્યવહાર કરી શકાતો નથી. - x - તેઓ ઉચ્છ્વાસ પિિપ્ત પૂરી કર્યા વિના જ મરણ પામે છે. તેઓમાં સ્પષ્ટ વર્ણાદિ વિભાગ ન હોવાથી અસંપ્રાપ્તા કહેલા છે. શંકા-ઉછ્યાસ પર્યાપ્તિ અપૂર્ણ હોય ત્યારે મરણ કેમ પામે, શરી-ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્વે કેમ નહીં ? બધાં પ્રાણી આગામી ભવાયુ બાંધીને જ મરણ પામે, બાંધ્યા વિના નહીં. તે બંધ શરીર, ઈન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા પછી જ થાય. તેથી આમ કહ્યું. બીજા જે એમ કહે છે – સામાન્યથી વર્ણાદિને ન પામેલ, તે અસંપ્રાપ્ત, તે યુક્ત નથી. કારણ કે વર્ણાદિ શરીર સાથે જ હોય છે અને શરીર તો શરીર પર્યાપ્તિથી થયેલું જ છે. તેમાં જે પર્યાપ્તા-પોતાની બધી પર્યાપ્તિ પૂર્ણ કરેલાં છે, તેઓના વર્ણાદિ ભેદે હજારો ભેદો છે. વર્ણ-કૃષ્ણાદિ ભેદે પાંચ, ગંધ-બે ભેદે, રસ-તિકતાદિ પાંચ, સ્પર્શમૃદુ આદિ આઠ વળી એકૈક વર્ણાદિના તારતમ્ય ભેદથી અનેક પેટા ભેદો થાય છે. જેમકે ભ્રમર, કોયલ, કાજલના કૃષ્ણ વર્ણમાં તરતમતા છે. આ રીતે ગંધાદિ બધામાં યોજવું. તેથી હજારો ભેદો, સંખ્યાતા લાખ યોનિ થાય. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ પૃથ્વીકાયિકોને એકૈક વર્ણ, ગંધ, રસ, સ્પર્શને વિશે સંવૃત્ત યોનિ હોય છે. તેના ત્રણ પ્રકારો – સચિત્ત, અચિત્ત, મિશ્ર. વળી બીજા ત્રણ ભેદ - શીત, ઉષ્ણ, શીતોષ્ણ. શીતાદિના પણ તારતમ્યથી અનેક ભેદો થાય છે. આ રીતે સ્વસ્થાનને આશ્રીને વિશિષ્ટ વર્ણાદિથી અસંખ્યયોનિ, છતાં જાતિ આશ્રિત એક યોનિ છે. આ રીતે સૂક્ષ્મ અને બાદર પૃથ્વીકાયિકોની મળીને સર્વ સંખ્યાથી સાત લાખ યોનિ થાય છે. પર્યાપ્તાની નિશ્રાએ અપર્યાપ્તા ઉત્પન્ન થાય છે. કેટલા ? જ્યાં એક પર્યાપ્તો, ત્યાં નિયમા તેની નિશ્રાએ સંખ્યાતીત અપર્યાપ્તા. પૃથ્વીકાયિકો કહ્યા. હવે કાયિકની પ્રતિપાદનાર્થે કહે છે – ૪૨ • સૂત્ર-૩૦ : તે કાયિક કેટલા ભેદે છે ? બે ભેદે – સૂક્ષ્મ અને બાદર. તે સૂક્ષ્મ અપ્રકાયિક કેટલા ભેદે છે ? બે ભેદે – પર્યાપ્તા સૂક્ષ્મ અને અપચાિ સૂક્ષ્મ અકાયિક. તે સૂક્ષ્મ કાયિક કહ્યા. તે બાદર અકાયિક કેટલા ભેદે છે? અનેક ભેદે કહ્યા છે. તે આ – ઓસ, હિમ, મહિકા, કરક, હરતનું, શુદ્ધોદક, શીતોદક, ઉષ્ણોદક, ક્ષારોદક, ખટ્યોદક, અમ્લોદક, લવણોદક, વારુણોદક, ક્ષીરોદક, ધૃતોદક, શ્નોતોદક, સોદક. બીજા તેવા પ્રકારના ઉદકો હોય. તે સંક્ષેપથી બે ભેદે – પર્યાપ્તા અને અપાતા. તેમાં જે પર્યાપ્તા છે, તે સંપાતા છે. જે પર્યાપ્તા છે, તેઓના વર્ણ ગંધ-સ-સ્પર્શ આદેશથી હજારો ભેદો છે, અને સંખ્યાતા લાખ યોનિદ્વારો છે. પર્યાપ્તાની નિશ્રાએ અપર્યાપ્તતા ઉદ્ભવે છે. જ્યાં એક ત્યાં નિયમા અસંખ્યાતા • વિવેચન-૩૦ : સુગમ છે. ઓસ-અવશ્યાય, ઝાકળ. હિમ-બફ, મહિકા-ધૂમસ, માગસર આદિમાં સૂક્ષ્મવૃષ્ટિ. કરક-ધન ઉપલ. હરતનુ-પૃથ્વી ભેદીને તૃણાગ્રે લાગેલ બિંદુ. શુદ્ધોદક - આકાશમાંથી પડેલ કે નદીનું પાણી, તે સ્પર્શ-સાદિ ભેદે અનેક પ્રકારે છે. તે આ રીતો – શીતોદક - નદી આદિ જળાશયનું શીત પરિણામવાળું પાણી, ઉષ્ણોદક - સ્વભાવથી કોઈ ઝરાદિનું ઉષ્ણ પરિણામી પાણી. ક્ષારોદક-કંઈક ખારું પાણી. ખડ્વોદક-કંઈક ખાટું પરિણામી પાણી. અમ્લોદક-સ્વભાવથી અમ્લ પરિણામી, કાંજીવત્ પાણી. લવણોદક - લવણ સમુદ્રમાં રહેલ જળ. આ રીતે વારુણોદકાદિ જાણવા. જે આવા પ્રકારના બીજા પાણી, રસ સ્પર્શાદ ભેદભિન્ન ધૃતોદકાદિ બાદર અકાયિકો જાણવા. તે સંક્ષેપથી ઈત્યાદિ બધું પૂર્વવત્. યોનિ સાત લાખ. - - - હવે તેઉકાયિક કહે છે – • સૂત્ર-૩૧ : તે તેજસ્કાર્ટિક કેટલા ભેટે છે? બે ભેદે કહેલ છે. તે આ - સૂચન
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy