SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫-I-/૧૩ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ સિદ્ધ, અનંત સમય સિદ્ધ. તે પરંપરસિદ્ધ અસંસારી જીવ પ્રજ્ઞાપના. * * * * * • વિવેચન-૧૩ : પરંપરસિદ્ધ અસંસારી જીવ પ્રજ્ઞાપનાના કેટલા પ્રકારે છે ? અનેકવિધ કહ્યા છે. કેમકે પરંપર સિદ્ધનું અનેકવિધત્વ છે. તે આ રીતે - પ્રથમ સમય સિદ્ધ - પરંપર સિદ્ધના પ્રથમ સમયવર્તી. અર્થાત સિદ્ધત્વ સમયથી બીજા સમયમાં વર્તતા. જેને સિદ્ધ થયાને ત્રણ આદિ સમય થયા છે, તે દ્વિતીય સમય સિદ્ધાદિ કહેવાય છે. અથવા પ્રથમ સમય સિદ્ધ - વિવક્ષિત પ્રથમ સમય સિવાયના બીજા સિદ્ધ. એ જ વિશેષથી કહેતા - દ્વિતીય સમય સિદ્ધ ઈત્યાદિ. -x - હવે સંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપનાનું પ્રથમ સૂણ – • સૂત્ર-૧૮ : સંસાર સમગ્ર જીવ પ્રજ્ઞાપના કેટલા ભેટે છે ? તે પાંચ ભેદ કહી છે. તે આ - એકેન્દ્રિય સંસારી જીવ પજ્ઞાપના, બેઈન્દ્રિય, વેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય સંસારી જીવ પ્રજ્ઞાપના. • વિવેચન-૧૮ : ધે સંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના, તે પાંચ ભેદે છે. જેમકે - એકેન્દ્રિય સંસારી જીવ પ્રજ્ઞાપના, તેમાં એક સ્પર્શન લક્ષણ રૂપ ઈન્દ્રિય જેઓને છે તે એકેન્દ્રિય - પૃથ્વી, અપ, તેઉ, વાયુ, વનસ્પતિરૂપ કહેવાનાર સ્વરૂપવાળા, તેવા સંસારી જીવ, તેની પ્રજ્ઞાપના એ પ્રમાણે બધાં પદોમાં કહેવું. વિશેષ એ કે - બે - સ્પર્શન અને રસના લક્ષણ ઈન્દ્રિય જેમને છે તે બેઈન્દ્રિય-શંખ શકિત આદિ. ગણ - સ્પર્શન, રસન, પ્રાણ રૂપ ઈન્દ્રિયો જેમને છે તે ચઉરિન્દ્રિય - ડાંસ, મશકાદિ પાંચ - સ્પર્શન, રસન, પ્રાણ, ચા, શ્રોત્ર લક્ષણ ઈન્દ્રિય જેમને છે તે પંચેન્દ્રિય - મત્સ્ય, મગર, મનુષ્યાદિ. આ એક, બે, ત્રણ આદિ ઈન્દ્રિયોની પ્રાપ્તિ અસંવ્યવહાર સશિથી આરંભી પ્રાયઃ આ જ ક્રમથી થાય છે. એ બતાવવા માટે આ પ્રમાણે એકેન્દ્રિયાદિનો ક્રમશઃ ઉપન્યાસ કર્યો છે. ઈન્દ્રિયો બે ભેદે - બેન્દ્રિય, ભાવેન્દ્રિય. તેમાં દ્રવ્યેન્દ્રિયો નિવૃત્તિ અને ઉપકરણરૂપ છે. તે નંદીસૂત્રની ટીકામાં વિસ્તારથી છે, ભાવેન્દ્રિય ાયોપશમ અને ઉપયોગરૂપ છે, તે અનિયતરૂપ છે. એકેન્દ્રિયોને પણ ક્ષયોપશમ અને ઉપયોગરૂપ પાંચે ભાવેન્દ્રિય સંભવે છે, કેમકે કેટલાંક એકેન્દ્રિયોમાં તેનું ફળ દેખાય છે. જેમકે બકુલાદિને ઉન્મત કામિનીના ગીતાદિના શબ્દાદિથી પ્રમોદ ભાવથી જલ્દી પુષ્પ અને ફળ આવે છે. ભાવેન્દ્રિય લોકવ્યવહાર પ્રસિદ્ધ એકેન્દ્રિયાદિ વ્યવહારનું કારણ નથી, પણ દ્રવ્યેન્દ્રિયો કારણ છે, જેમકે જેને સ્પર્શનેન્દ્રિયરૂપ એક બાહ્ય દ્રવ્યેન્દ્રિય છે તે એકેન્દ્રિય કહેવાય. એ રીતે બે ચાવત્ પંચેન્દ્રિય જાણવા. * * * * * • સૂત્ર-૧૯ : એકેન્દ્રિય સંસારીજીવ પ્રજ્ઞાપનાના કેટલા ભેદો છે ? પાંચ ભેદે છે – પૃનીકાયિક, અપ્રdઉ-વાયુ-વનસ્પતિકાચિક. • વિવેચન-૧૯ : હવે એકેન્દ્રિયસંસારી જીવ પ્રજ્ઞાપના કહે છે, તે પાંચ ભેદે કહી છે, કેમકે એકેન્દ્રિયનું પંચવિધત્વ છે. તે આ પ્રમાણે - પૃથ્વી - કાઠિન્યાદિ લક્ષણ, તે રૂપ કાયશરીર જેનું છે તે પૃથ્વીકાય. પુત્ર, પ્રવાહી રૂપ કાયાવાળા તે અપકાય. તેજોઅગ્નિ, તે રૂ૫ શરીસ્વાળા તે તેજસ્કાય. વાયુ-પવન રૂપ કાયાવાળા તે વાયુકાય. વનસ્પતિ - લતા આદિપ કાયાવાળા વનસ્પતિકાય. અહીં બધાં ભૂતોનો આધાર હોવાથી પૃથ્વીકાયિકનું પ્રથમ ગ્રહણ કર્યું છે. પછી તેના વિશે રહેલ અકાયિકોનું ગ્રહણ કરેલ છે. તેઉકાયના પ્રતિપક્ષ રૂપ છે, તેથી પછી તેઉકાય ગ્રહણ કરેલ છે. અગ્નિ, વાયુના સંબંધે વૃદ્ધિ પામે છે, માટે પછી તેને લીધા. દૂર રહેલ વાયુ વૃક્ષ શાખાના કંપનથી થાય, તેથી વનસ્પતિકાયિકને તેના પછી લીધા. -- હવે પૃથ્વીકાયિક વિશે પ્રશ્ન • સૂત્ર-૨૦ : તે પૃવીકાયિક કેટલા ભેદે છે ? બે ભેદે કહેલા છે. તે આ – સૂક્ષ્મ પૃનીકારિક અને બાદર પૃનીકાયિક. • વિવેચન-૨૦ : હવે પૃથ્વીકાયિક કહે છે. તે બે ભેદે કહ્યા - સૂક્ષ્મ અને બાદર પૃથ્વીકાય. સૂમનામ કમોંદયથી સૂમ, બાદર નામ કર્મોદયથી બાદર. સૂમપણું અને બાદરપણું કર્મોદયજનિત છે, બોર-આમળા માફક સાપેક્ષ નથી. • x - શબ્દ સ્વગત પતિ • અપતિ ભેદનો સૂચક છે. બાદર પૃથ્વીકાયિકમાં પણ શબ્દ શર્કર, વાલુકાદિ ભેદ સૂચક છે. તેમાં સૂમ પૃથ્વીકાયિક પેટીમાં સંપૂર્ણ ભરેલ સુગંધી દ્રવ્ય માફક સર્વ લોક વ્યાપી છે અને બાદર પૃથ્વીકાયિક લોકના પ્રતિનિયત ભાગમાં રહેલ છે. તેનું પ્રતિનિયત દેશવર્તીપણું આ સૂત્રના બીજા પદમાં જણાવશે. હવે સૂકમ પૃથ્વીકાયિકોનું સ્વરૂપ જણાવે છે – • સૂત્ર-૨૧ - સૂમ પૃવીકાયિકો કેટલા ભેદે છે? બે ભેદે કહ્યા. તે આ - પતિ સૂક્ષ્મ પૃedીકાયિક, અપતિ સૂક્ષ્મ પૃedીકાયિક. એ પ્રમાણે સૂક્ષ્મ પૃવીકાયિકો કહ્યા. • વિવેચન-૨૧ : હવે સૂમપૃથ્વીકાયિક કહે છે - બે ભેદે છે, પતિ સૂક્ષ્મ પૃથ્વીકાયિક અને અપર્યાપ્ત સૂમ પૃવીકાયિક, પયતિ એટલે - આહારાદિ ગુગલ ગ્રહણ અને પરિણમન હેતુ આત્માની શક્તિ વિશેષ. તે પુદ્ગલના ઉપચયથી થાય છે. તે આ રીતે
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy