SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-I-I૧૫,૧૬ ૩૫ અંતઃપુરમાં પણ આદર્શગૃહમાં રહેવા છતાં નિષ્પરિગ્રહી કહેવાય છે. અન્યથા કેવલજ્ઞાન સંભવે જ નહીં. જો મૂછના અભાવે વાસંસર્ગ માગ પરિગ્રહ હોય તો જિનકલ્પ સ્વીકારેલ કોઈ સાધુને ધૂમસ સહિત ટાઢ પડતી હોય ત્યારે કોઈ ધમર્થીિ પુરુષ તેમના મસ્તકે વસ્ત્ર ઓઢાડે તો તે મુનિ પરિગ્રહી થાય. પણ તેમ માનવું ઈષ્ટ નથી. કેમકે વાના સંસર્ગ માગવી પરિગ્રહ થતો નથી. પણ મૂછો પરિગ્રહ છે. તે સ્ત્રીઓને વાદિમાં ન હોય કેમકે તેને માત્ર ધમપગરણ રૂપે ગ્રહણ કરે છે. તેણી વસ્ત્ર સિવાય પોતાના રક્ષણમાં સમર્થ હોતી નથી. વળી શીતકાલાદિમાં સ્વાધ્યાયાદિ ન કરી શકે. દીર્ધકાળ સંયમના પાલન માટે જયણાથી વસ્ત્રો વાપરે તો પરિગ્રહી ન કહેવાય. પૂર્વપક્ષવાળા એમ કહે છે – સ્ત્રીને પણ સમ્યગદર્શનાદિ રત્નત્રય સંભવે છે, પણ સંભવ માત્રથી મોક્ષ ન થાય. માત્ર પ્રકનિ પામે. અન્યથા દીક્ષા પછી તુરત બધાંને મોક્ષપદ પ્રાપ્ત થાય. સ્ત્રીઓને પ્રકર્ષયુક્ત રત્નત્રયનો અસંભવ છે. તેથી નિવણ નથી. ઉકત વાત અયુકત છે. સ્ત્રીને રત્નત્રયના પ્રકર્ષનો અસંભવ છે, તે વાતનું કોઈ પ્રમાણ નથી. કેમકે સર્વ દેશ અને કાળમાં સ્ત્રીઓને વિશે રત્નત્રયના પ્રકર્ષનો અસંભવ જણાવનાર કોઈ પ્રમાણ નથી. તેની પ્રવૃત્તિમાં અનુમાનનો પણ સંભવ નથી. આવા અસંભવને પ્રતિપાદક કોઈ આગમ પણ નથી, ઉલટું સંભવ પ્રતિપાદક પ્રમાણ સ્થાને સ્થાને મળે છે. જેમકે આ પ્રસ્તુત સૂત્ર. પૂર્વપક્ષ • સ્વભાવથી આતપ સામે છાયાનો વિરોધ છે, તેમ સ્ત્રી પણ સાથે સમ્યગદર્શનાદિનો. તેથી સ્ત્રીમાં નિર્વાણના અસંભવનું અનુમાન છે. રનમય પ્રક એટલે તુરંત મુકિતપદ પ્રાપ્તિ, અયોગી અવસ્થાના છેલ્લા સમયે હોય, અયોગી અવસ્થા ચર્મચક્ષવાળાને અપ્રત્યક્ષ છે. માટે સ્ત્રીનો રત્નત્રય પ્રકર્મ ન જાણી શકાય. જો તેમ હોય તો પરષોમાં પણ તે ન જાણી શકાય. પૂર્વપક્ષ - સર્વોત્કૃષ્ટ પદ પ્રાપ્તિ, સર્વોત્કૃષ્ટ અધ્યવસાયથી થાય. સર્વોત્કૃષ્ટ પદ બે - સાતમી નરક અને મોક્ષ. સ્ત્રીઓને સાતમી તકે ગમનનો આગમમાં નિષેધ છે. કેમકે તેવી મનોવીય પરિણતિ નથી તે રીતે સ્ત્રીઓને સામર્થ્ય અભાવે મોક્ષ પણ નથી. ઈત્યાદિ ઉક્ત કથનો યુક્ત છે કેમકે જેમ “પૃથ્વી આદિ ખેડી ન શકનાર શાઆધ્યયન ન કરી શકે” તેવું માની શકાય ? - X - X - X • સપ્તમ પૃથ્વીગમન સાથે નિવસિ ગમનનું નિયત સાક્યર્ય નથી. કેમકે ચરમશરીરીને સાતમી નકગમના સિવાય પણ નિર્વાણ પ્રાપ્ત થાય છે. * * * * * સંમૂર્ણિમાદિ પ્રાણી તો ભવસ્વભાવથી જ યથાવત્ સમ્યગદર્શનાદિને પામવા શક્તિમાન નથી. માટે તેમને નિવણનો સંભવ નથી. સ્ત્રીઓ તો યથાવત સમ્યગ્દર્શનાદિ પ્રાપ્ત કરવા યોગ્ય છે, માટે તેઓમાં નિર્વાણ ગમનનો અભાવ નથી. વળી ભુજપરિસર્ષ બીજી નક સુધી જ જાય કેમકે તેઓમાં આગળની નરકમૃથ્વી ૩૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ ગમનના કારણભૂત તેવા મનોવીર્યનો અભાવ છે. પક્ષી બીજી નરક સુધી, ચતુષ્પદ ચોથી નરક સુધી આદિ • x + અને બધાં ઉર્વલોકમાં સહસારકતા સુધી જાય છે. અહીં બધાંને અધોગતિમાં વૈષમ્ય જોવાથી ઉર્ધ્વગતિમાં તેમ માનવું યોગ્ય નથી. તે રીતે સ્ત્રીઓમાં અધોગતિમાં ન્યૂનપણું તે નિર્વાણ ગમન અભાવમાં હેતુ નથી. સ્ત્રીપુરુષનું અધોગતિ વૈષમ્ય છતાં નિર્વાણ સમાન છે. આ રીતે વાદલબ્ધિ આદિ અચાન્ય કારણોમાં પણ વૃત્તિકારે ખંડન કરેલ છે, તે સમજી લેવું. તદુપરાંત જંબુસ્વામી પછી કેવળજ્ઞાનનો અભાવ કો પણ ક્યાંય સ્ત્રીનિર્વાણ અભાવ કહ્યો નથી. પુરુષ શરીરની આકૃતિરૂપે સિદ્ધ થાય તે પુલિંગસિદ્ધ, એ રીતે નપુંસક આકારે વિધમાન થઈ સિદ્ધ થાય તે નપુંસકલિંગસિદ્ધ. જોહરણાદિરૂપ સાધુના વેશમાં રહી સિદ્ધ થાય તે સ્વલિંગસિદ્ધ. પરિવ્રાજકાદિ સંબંધી વલ, ભગવા વસ્ત્રાદિ રૂપ દ્રવ્યલિંગે રહેલ સિદ્ધ થાય તે અન્યલિંગ સિદ્ધ. ગૃહસ્થ વેશમાં રહેલા છતાં સિદ્ધ થાય તે ગૃહિલિંગસિદ્ધ - મરુદેવી આદિ. એક એક સમયે એક એક મોક્ષે ગયેલા તે એક સિદ્ધ. એક સમયે અનેક મોહો ગયેલાને અનેક સિદ્ધ, એક સમયે અનેક મોક્ષમાં જાય તો ઉત્કૃષ્ટ ૧૦૮ જીવો સિદ્ધ થઈ શકે તેમ જાણવું. શિષ્ય અનુગ્રહાયેં ગાવાની વ્યાખ્યા - આઠ સમય સુધી નિરંતર એકથી માંડી બત્રીશ સુધી મોક્ષે જાય. અર્થા પહેલા સમયે જઘન્યથી એક કે બે. ઉત્કટથી બનીશ સિદ્ધ થાય, બીજા સમયે પણ તેમજ યાવતું આઠમાં સમયે જઘન્યથી એક, બે, ઉકાથી બગીશ. પછી અવય આંતર પડે. ૩૩ થી ૪૮ સધી નિરંતર સિદ્ધ થાય તો સાત સમય, ૪૯ થી ૬૦ સુધી નિરંતર સિદ્ધ થાય તો ઉત્કૃષ્ટ છ સમય, ૬૧ થી ૩૨ નિરંતર સિદ્ધ થાય તો ઉત્કૃષ્ટ પાંચ સમય, ૭૩ થી ૮૪ સુધી, નિરંતર સિદ્ધ થાય તો ઉત્કૃષ્ટ ચાર સમય, ૮૫ થી ૯૬ સુધી નિરંતર સિદ્ધ થાય તો ઉત્કૃષ્ટ ત્રણ સમય, ૯૩ થી ૧૦૮ સુધી નિરંતર સિદ્ધ થાય તો ઉત્કૃષ્ટ બે સમય. બધામાં પછી નિયમા આંતરુ પડે. ૧૦૩ થી ૧૦૮ સુધી મોક્ષે જાય તો એક સમય સુધી જ જાય. પણ બે-ત્રણ સમય સુધી ન જાય. આ રીતે અનેકસિદ્ધ તે ૧૦૮. (શંકા) તીર્થ સિદ્ધ અને અતીર્થ સિદ્ધમાં બાકીના ભેદો સમાવિષ્ટ છે, તો બીજા ભેદ ગ્રહણ શા માટે ? બરાબર છે. પણ આ બે ભેદો જ કહેવાથી બાકીના ભેદોનું જ્ઞાન ન થાય, વિશેષ ભેદોના પરિજ્ઞાન માટે શાસ્ત્રના આરંભનો પ્રયત્ન છે. માટે બીજા ભેદો ગ્રહણ કર્યા છે. ••• આ પ્રમાણે અસંસારી જીવનો પ્રથમ ભેદ કહ્યો. • સૂત્ર-૧૭ : તે પર સિદ્ધ અસંસર સમાપક જીવ પ્રજ્ઞાપના કેટલા ભેદે છે ? અનેક ભેદે કહી છે. તે આ - પ્રથમ સમય સિદ્ધ, દ્વિતીય સમય સિદ્ધ, તૃતીય સમયસિદ્ધ, ચતુઃસમય સિદ્ધ ચાવતું સંખ્યાત સમય સિદ્ધ, અસંખ્યાત સમય
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy