SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ પ/--/૧૬ થી ૩૨૧ ૧૯૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ પણ જાણવા. પરંતુ સ્વસ્થાનથી મિસ્થાનપતિત કહેવા. - - તે આ જીવાયયિો કહ્યા. • વિવેચન-૩૧૬ થી ૩૨૧ : એ પ્રમાણે અસુરકુમારાદિ સૂત્રોને પણ વિચારવા, કેમકે પ્રાયઃ બધે સરખાં પાઠ છે. જઘન્ય અવગાહનાદિવાળા પૃથ્વી આદિ સૂત્રમાં સંખ્યાના વર્ષોનું આયુ હોવાથી તેમની સ્થિતિથી વિસ્થાનપતિત છે. તે પૂર્વે સામાન્ય પૃથ્વી સૂત્રમાં વિચાર્યું. પચયિ વિચારણામાં મતિ અને શ્રત અજ્ઞાન કહેવા, પણ જ્ઞાન ન કહેવા. કેમકે તેમાં સમ્યકત્વનો અસંભવ છે. તેથી સૂત્રમાં બે અજ્ઞાન વડે છાનપતિતપણું હોય છે. જઘન્ય અવગાનાવાળા બેઈન્દ્રિયમમાં બે જ્ઞાન, બે અજ્ઞાન વડે જ સ્થાન પતિતપણું કહ્યું. કેમકે - ૪ - બેઈન્દ્રિયને અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમ્યકત્વ હોય છે. સાસ્વાદન સમકિતને જ્ઞાન હોય છે, માટે તેમને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે. બાકીનાને અજ્ઞાન છે. ઉત્કૃષ્ટ અવગાહનામાં ચાપતાવસ્થાનો અભાવ હોવાથી સાસ્વાદન સમ્યકd હોતું નથી માટે ત્યાં જ્ઞાન ન કહેવા. મધ્યમ અવગાહના પ્રથમ સમય બાદ હોય છે, તેથી અપર્યાપ્તાવસ્થા પણ તેમાં સંભવે છે માટે સાસ્વાદન સમ્યગૃદૃષ્ટિને જ્ઞાન હોય છે અને બીજાને અજ્ઞાન હોય છે. તેથી જ્ઞાન-અજ્ઞાન બંને કહેવા. જઘન્યસ્થિતિસૂત્રમાં બે અજ્ઞાન જ કહેવા. જ્ઞાન ન કહેવા. કેમકે સૌથી જઘન્યસ્થિતિક લબ્ધિ અપતિ હોય છે. તે સંક્ષિપ્ત પરિણામી હોવાથી. તેમાં સાસ્વાદન સમ્યગદૃષ્ટિ ન ઉપજે. તેથી તેમને અજ્ઞાન જ હોય છે. ઉત્કૃષ્ટ સ્થિતિકમાં તો સાસ્વાદન સમકિત સહિત પણ ઉત્પન્ન થાય છે, માટે તેમાં જ્ઞાન અને અજ્ઞાન બંને કહેવા. એ પ્રમાણે મધ્યમ સ્થિતિ સૂગ પણ જાણવું. વણદિભાવ પ્રતિપાદક સૂત્રો પાઠ માત્રથી સિદ્ધ છે. એ પ્રમાણે તેઈન્દ્રિયો, ચઉરિન્દ્રિયો પણ જાણવા. માત્ર ચઉરિન્દ્રિયને ચાદર્શન અધિક કહેવું. જઘન્ય અવગાહનાવાળા તિર્યંચ પંચેન્દ્રિય સૂત્રમાં સ્થિતિથી ત્રિસ્થાનપતિત છે. અહીં સંખ્યાતાવર્ષાયુનો જ પંચેન્દ્રિય તિર્યંચ જઘન્યશરીરી હોય છે. પણ અસંખ્યાત વર્ષાયુ હોતો નથી. કેમકે અસંખ્યાતવર્ષાયુ, મહાશરીરી, કંકપક્ષી જેવી પાચનશક્તિ હોવાથી પુષ્ટાહારી તથા પ્રબળ ધાતુપચયવાળા હોય છે. તેથી તેમને પુષ્કળ વીર્યપાત થાય છે. તદનુસાર ઉત્પત્તિ સમયે શરીર હોય છે. માટે તેમને જઘન્ય શરીર હોતું નથી. પણ સંખ્યાતા વર્ષાયુવાળો હોય છે. સ્થિતિ વડે ત્રિસ્યાનપતિત હોય છે. બે જ્ઞાન-બે અજ્ઞાનથી છ સ્થાન પતિત હોય. જઘન્યશરીરી તિર્યચપંચેન્દ્રિય સંગાતા વર્ષાયુવાળો અપર્યાપ્ત હોય છે, તે પણ અશરીરી તિર્યચમાં ઉપજે છે. તેથી તેને અવધિ અને વિર્ભાગજ્ઞાન અસંભવ છે. માટે બે જ્ઞાન, બે અજ્ઞાન કહ્યા. જે વિભંગડ઼જ્ઞાન સહિત નરકથી નીકળી સંખ્યાતા વપયુવાળા તિર્યંચ પંચામાં ઉપજે, તે સ્વભાવથી જ મોટા શરીરી તિર્યચોમાં ઉપજે છે. જો એમ નહીં માનીએ તો સૂત્ર સાથે વિરોધ થાય. - ૪ - ઉત્કૃષ્ટ શરીરી પંચે તિર્યંચ સૂત્રમાં તેમને ત્રણ અજ્ઞાન હોવાનું કહ્યું, કેમકે શરીરની અવગાહના ૧૦૦૦ યોજન પ્રમાણ હોય તે ઉત્કૃષ્ટ અવગાહનાવાળો કહેવાય, તે સંખ્યાના વયિક અને પયક્તિ હોય છે. તેથી તેને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન સંભવે છે. તે ઉત્કૃષ્ટ અવગાહના વાળો સંખ્યાત વર્ષાયુ હોવાથી સ્થિતિ વડે ત્રિસ્થાન પતિત હોય છે. મધ્યમ અવગાહનામાં ચતુઃસ્થાન પતિત કહ્યું, કેમકે તે અસંખ્યાતા વષયવાળો પણ હોય છે. યુકિત પૂર્વવતું. જઘન્યસ્થિતિક તિર્યય પંચે સૂરમાં બે અજ્ઞાન જ કહેવા. કેમકે જઘન્યસ્થિતિક લબ્ધિ અપર્યાપ્ત જ હોય. તેમાં સાસ્વાદન સમ્યગુર્દષ્ટિની ઉત્પત્તિ થતી નથી. ઉત્કૃષ્ટ સ્થિતિક તિર્યંચ પંચે સુગમાં તેને બે જ્ઞાન, બે અજ્ઞાન હોય. કેમકે તે ત્રણ પલ્યોપમ સ્થિતિક હોય છે. જ્યારે તેને છ માસનું આયુ બાકી હોય અને વૈમાનિકનું આયુ બાંધે છે, ત્યારે તેને બે જ્ઞાન હોય છે. | મધ્યમસ્થિતિક તિર્યંચ પંચે સૂત્રમાં તે સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. કેમકે તે સંખ્યાતા વષયવાળો હોય છે અને અસંખ્યાતા વયુિવાળો સમય ન્યૂન ગણ પલ્યોપમ સ્થિતિક પણ હોય છે, તે ચતુઃસ્થાન પતિત હોય છે. જઘન્ય આભિનિબોધિક તિર્યય પંચે સુમમાં તે સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય છે. કેમકે અસંખ્યાત વર્ષાયુક તિર્યય પંચે જઘન્ય આભિનિબોધિક અને શ્રુતજ્ઞાન હોય છે. - x • એ કારણે જ સંખ્યાતા-અસંખ્યાતા વયિક ચતુઃસ્થાન પતિત હોય છે. ઉત્કૃષ્ટ આભિનિબોધિક સૂત્રમાં સ્થિતિ વડે તેને મિસ્થાન પતિત કહેવા. કેમકે તે અવશ્ય સંખ્યાતા વર્ષાયુક હોય છે. સંખ્યાતા વાયુક કિસ્થાનપતિત જ હોય છે. અવધિ અને વિભંગ સૂત્રમાં તેઓ સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત કહ્યા. કેમકે અસંખ્યાતા વર્ષાયુકને અવધિ અને વિભંગનો સંભવ છે. - x - ૪ - જઘન્ય અવગાહનાવાળા મનુષ્ય સૂત્રમાં મનુષ્યો સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત કહેલાં છે. જઘન્ય અવગાહનાવાળો અવશ્ય સંખ્યાત વષયુક હોય છે, તે અવશ્ય પ્રસ્થાન પતિત હોય. જે કોઈ તીર્થકર કે અનુરોપપાતિક દેવ અપતિપાતી અવધિજ્ઞાન વડે જઘન્ય અવગાહનામાં ઉત્પન્ન થાય ત્યારે અવધિજ્ઞાન પણ હોય માટે ત્રણ જ્ઞાન વડે જ સ્થાન પતિત હોય એમ કહ્યું. વિર્ભાગજ્ઞાન ન હોય, માટે બે અજ્ઞાન કહ્યા. | ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્ય સ્થિતિથી કદાચજૂન આદિ હોય. જો ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ ન્યૂન હોય ઈત્યાદિ •x - કેમકે તેઓ ત્રણ ગાઉ ઉંચા હોય, સ્થિતિ જઘન્યથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ચુન ત્રણ પલ્યોપમ હોય, ઉત્કૃષ્ટથી પલ્યોપમ હોય. - X - X - X • તેમને બે જ્ઞાન, બે અજ્ઞાન હોય. કેમકે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા અસંખ્યાત વર્ષાયુક હોય છે. તેમને તથા સ્વભાવથી
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy