SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/-I-/૩૦૯ થી ૩૧૪ ૧૮૫ પર્યાય વડે જ સ્થાન પતિત હોય છે. ભગવન! અપ્રકાયિકોને કેટલા પર્યાયો છે ? અનંત પર્યાયો છે. ભગવાન ! એમ કેમ કહ્યું? ગૌતમ ! એક અકાયિક બીજા પ્રકાયિકની અપેક્ષાઓ દ્રભાઈ-uદેશાર્થપણે તુલ્ય છે. અવગાહના રૂપે ચાર સ્થાન અને સ્થિતિરૂપે મિસ્થાન પતિત હોય છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, ચક્ષુદર્શનથી છ સ્થાન પતિત હોય. - તેઉકાયિકના કેટલા પયયો છે? અનંત. એમ કેમ કહ્યું? ગૌતમ ! એક તેઉકાચિક, બીજી એક તેઉકાયિકની અપેક્ષાથી દ્રવ્યfપદેશાર્થપણે તુલ્ય છે. અવગાહનરૂપે ચતુઃસ્થાન સ્થિતિરૂપે બિસ્થાન પતિત હોય છે. વણદિચાર, મત્સાદિ બે અજ્ઞાન, ચક્ષુદર્શન વડે પચયિ છ સ્થાનપતિત હોય છે. વાયુકાયિકના કેટલા પચયિો છે ? અનંત. એમ કેમ કહ્યું? ગૌતમ! એક વાયુકાયિક બીજી એક વાયુકાયિકની અપેક્ષાથી દ્રવ્યાર્થ અને પ્રદેશારૂિપે તુલ્ય છે. અવગાહનારૂપે ચતુઃસ્થાન, સ્થિતિરૂપે બિસ્થાનપતિત છે. વણિિદ ચાર, મતિ આદિ બે અજ્ઞાન, અક્ષદર્શન પયય વડે જ સ્થાનપતિત હોય છે. વનસ્પતિકાયિકના કેટલા પર્યાય છે? અનંત. ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમાં કોઈ એક વનસ્પતિકાયિક બીજા વનસ્પતિકાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થ અને પ્રદેશાથથી તુલ્ય છે. અવગાહનારૂપે ચતુઃસ્થાન અને સ્થિતિરૂપે બિસ્થાનપતિત છે. વદિ ચાર મચાદિ બે અજ્ઞાન, અચક્ષુદન પાયયિ વડે છ સ્થનિતિત છે.. ડિ૧૧ બેઈન્દ્રિયોને કેટલા પ્રચયિ છે ? અનંતા, ભગવન એમ કેમ. કહ્યું ? ગૌતમાં એક બેઈન્દ્રિય, બીજ નેઈન્દ્રિયની અપેક્ષાથી દ્રવ્યા-uદેશાપિણે તુલ્ય છે. અવગાહનાથી કદાચ જૂન, તુલ્ય કે અધિક હોય. જે ન્યૂન હોય તો અસંખ્યાત કે સંખ્યાત ભાગ ન્યૂન તથા સંખ્યાત કે અસંખ્યાતગુણ ન્યૂન હોય. જે અધિક હોય તો અસંખ્યાત ભાગ ચાવત અસંખ્યાતગુણ અધિક હોય છે. સ્થિતિને આશ્રીને માનપતિત હોય. વદિ ચાર, અભિનિભોધિકાદિ બે જ્ઞાન, બે અજ્ઞાન અને અચસુદન પર્યાય વડે જ સ્થાન પતિત હોય છે. એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયો જીવો વણવા. પણ ચઉરિન્દ્રિયોમાં ચક્ષુ અને ચક્ષુ એ બે દશન હોય છે. [૩૧] નૈરયિકોવત્ પંચેન્દ્રિય તિર્યંચયોનિકને કહેવા. [૩૧] મનુષ્યોને કેટલા પાયયિો છે ? અનંતા. ભગવન્! એમ કેમ કહું ? ગૌતમ ! કોઈ એક મનુષ્ય, બીજ મનુષ્યની અપેક્ષાણી દ્વવ્યા-uદેશાપિણે તુલ્ય છે. અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત અને સ્થિતિરૂપે પિસ્થાન પતિત છે. વણદિ ચાર અભિનિભોધિકાદિ ચાર જ્ઞાનથી છ સ્થાનપતિત છે. કેવળજ્ઞાન પાયથી તુલ્ય છે. ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન વડે જ સ્થાન પતિત છે. કેવળદરના મયિથી તુલ્ય છે. ૧૮૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ [૩૧] વ્યંતરો અવગાહના અને સ્થિતિરૂપે ચતુરથાન પતિત છે. વણદિથી છ સ્થાનપતિત છે. જ્યોતિષ અને વૈમાનિક પણ એ જ પ્રકારે છે. પણ સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત છે. • વિવેચન-૩૦૯ થી ૩૧૪ - અસુકુમારોના કેટલાં પર્યાયો છે ? ઈત્યાદિ. ઉક્ત અર્થ બધાં અસુરકુમારાદિમાં જાણવો. ચોવીશે દંડકના સૂત્રો પૂર્વવત્ કહેવા. વિશેષ એ કે - પૃથ્વીકાયિકાદિની અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ પ્રમાણ છે. તેમાં ચાર સ્થાનકો જાણવા. કેમકે અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણના અસંખ્યાતા ભેદો છે. તેના સ્થિતિ આશ્રિત હીન અને અધિકત્વમાં ત્રણ સ્થાનકો છે. કેમકે તેમાં અસંખ્યાતગુણ વૃદ્ધિ અને હાનિનો સંભવ નથી. કેમકે અહીં પૃથ્વીકાયિકાદિનું સૌથી જઘન્યાયુ ક્ષુલ્લકભવપ્રમાણ છે, જે ૨૫૬ આવલિકા થાય. બે ઘડીમાં ક્ષુલ્લક ભવોની સંખ્યા ૬૫,૫૩૬ થાય છે. * * * પૃથ્વીની સ્થિતિ ઉત્કૃષ્ટથી સંખ્યાના વપિમાણ છે. તેથી અસંખ્યાતગુણ વૃદ્ધિ-હાનિ સંભવ નથી. ત્રણ વૃદ્ધિ-હાનિ આ પ્રમાણે- એક પૃથ્વીની સ્થિતિ સંપૂર્ણ ૨૨,૦૦૦ વર્ષ છે, બીજાની સમય ન્યૂન ૨૨,૦૦૦ છે. તેથી બીજો પહેલાની અપેક્ષાએ અસંખ્યાતમો ભાગ ન્યૂન છે અને બીજો અસંખ્યાત ભાગ અધિક છે. એક પૃથ્વી ૨૨,૦૦૦ વર્ષ સ્થિતિ છે, બીજાની અંતર્મુહૂતિિદ ન્યૂન સ્થિતિ છે. જે અંતમુહૂતદિનો સંખ્યાતમો ભાગ થાય છે. અંતર્મુહૂર્ત આદિ જૂન ૨૨,૦૦૦ વર્ષની સ્થિતિવાળો પૂર્ણ ૨૨,૦૦૦ વર્ષની સ્થિતિવાળાની અપેક્ષા સંખ્યાત ભાણજૂન છે. તેની અપેક્ષાએ સંપૂર્ણ ૨૨,૦૦૦ સ્થિતિવાળો સંખ્યાતભાગ અધિક છે. [ઈત્યાદિ ગણિત વૃત્તિમાં છે તે જોવું]. આ પ્રમાણે અકાયથી ચઉરિન્દ્રિય પર્યાપ્તા સુધી પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુસાર સ્થિતિ વડે બિસ્થાનક વિચારવા. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને ચાર સ્થાનકો જાણવા. કેમકે તેઓની સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ છે. પલ્યોપમ અસંખ્યાતા વર્ષ પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ વૃદ્ધિ-હાનિનો સંભવ છે. એ રીતે વ્યંતરોને પણ જાણવા. કેમકે તેની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ ઉકાટ પલ્યોપમ છે. જ્યોતિક અને વૈમાનિકની સ્થિતિને આશ્રીને ત્રણ સ્થાનકો જાણવા. કેમકે જ્યોતિકનું જઘન્યાય ૫ચોપમનો અષ્ટભાગ, ઉત્કૃષ્ટ લાખ વષધિક પલ્યોપમ છે. વૈમાનિકનું આયુ જઘન્ય એક પલ્યોપમ, ઉત્કૃષ્ટ 33-સાગરોપમ છે. તેથી તેમની વૃદ્ધિનહાનિનો અસંભવ હોવાથી સ્થિતિથી પ્રસ્થાનપતિત કહ્યા. • સુત્ર-૩૧૫ : જઘન્ય અવગાહનાવાળા નૈરયિકોને કેટલા પાયિો છે ? ગૌતમ! અનંતા. ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળો નૈરયિક બીજ જઘન્ય અવગાહનાવાળા નૈરયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થ-uદેશા-અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પથયિ તથા
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy