________________
૩/દ્વીપ૰૧૮૫
આ અર્થ સમર્થ નથી. તે મનુષ્યો મહોત્સવાદિ રહિત કહેલા છે.
ઉત્તરકુરુમાં શકટાદિ હોય ? શકટ - ગાડું, ચ-બે પ્રકારે છે યાન સ્થ, સંગ્રામ રથ. તેમાં સંગ્રામથને પ્રાકારાનુકારી, ફલકમથી વેદિકા હોય, બીજા રથમાં તે ન હોય. યાન-ગાડુ આદિ, યુગ્ધ - બે હાથ પ્રમાણ, ચોખૂણી વેદિકાથી ઉપશોભિત
જંપાન, ગિલ્લી-હાથી ઉપરની અંબાડીરૂપ, ચિલ્લી-અકુ પલાણને બીજા દેશમાં થિલ્લી કહે છે. શિબિકા - કૂટાકાર આચ્છાદિત જંપાન, સ્પંદમાનિકા-પુરુષ પ્રમાણ જંપાન વિશેષ. ભગવંતે કહ્યું – આમાંનું કશું જ ન હોય, કેમકે તે મનુષ્યો પગે ચાલનારા
કહેલા છે.
33
ભગવન્ ! ઉત્તરકુરુમાં ઘોડા, હાથી, ઉંટ, બળદ, પાડા, ગધેડા, ઘોટક આદિ હોય ? અહીં શ્વ - જન્મથી જલ્દી ગમન કરનાર, ઘર - ગધેડો, આદિ અર્થ છે. ભગવંતે કહ્યું – તે બધાં છે, પણ તેઓ મનુષ્યોને પરિભોગ્યપણે જલ્દી આવતા નથી. ભગવન્ ! ઉત્તરકુરુમાં ગાય, ભેંસ, ઉંટડી, બકરી, ઘેટી આદિ હોય ? હા, હોય, પણ તે મનુષ્યને કામમાં ન આવે.
ભગવન્ ! ઉત્તકુમાં સિંહો, વાઘ, વરુ, ચિત્તા, ઋક્ષા, પરાશર, શીયાળ, બીલાડા, શુનક, કાળશુનક, કોકતિક, લોંકડી, સશલા, ચિલ્લલ આદિ હોય? ભગવંતે કહ્યું – હોય, પણ તેઓ પરસ્પરને કે મનુષ્યને કંઈપણ આબાધા, પ્રબાધા, છવિચ્છેદ કરી શકતા નથી. તે શ્વાપદો પ્રકૃતિભદ્રક કહેવાયેલા છે.
ભગવન્ ! ઉત્તરકુરુમાં શાલિ, ઘઉં, ડાંગર, જવ, તલ, શેરડી આદિ છે ? હા, છે. પણ તે મનુષ્યને પરિભોગપણે આવતી નથી. - - - ભગવન્ ! ઉત્તકુરુમાં સ્થાણુ, કંટક, હી-લઘુ કુત્સિત તૃણ, શર્કરા-કાંકરા, તૃણ, કચરો આદિ અશુચિ-શરીર મલાદિ, પૂતિ-કુથિત સ્વ સ્વભાવ ચલિત ત્રણ દિવસના વટક આદિવત્. દુરભિગંધમૃતક્લવરાદિ, અચોક્ષ-અપવિત્ર અસ્થિ આદિવત્ છે ? ભગવંતે કહ્યું – આ અર્થ સમર્થ નથી. ‘ઉત્તરકુરુ' ક્ષેત્ર સ્થાણુ, કંટક, હીર, કાંકરા ઈત્યાદિથી રહિત છે.
ભગવન્ ! ઉત્તરકુરુમાં ગત્ત - મોટો ખાડો, દરી-ઉંદર આદિથી કરાયેલ નાના ખાડા, ઘસી-ભૂરાજિ, ભૃગુ-પ્રપાતસ્થાન, વિષમ-દુરારોહ-અવરોહ સ્થાન, ધૂળ, કાદવ, ચલણી - માત્ર પગને સ્પર્શે તેટલો કાદવ છે ? ભગવંતે કહ્યું – આ અર્થ સમર્થ નથી. ઉત્તરકુમાં બહુસમરમણીય ભૂભાગ કહેલ છે.
ભગવન્ ! ‘ઉત્તરકુટુ' ક્ષેત્રમાં દંસ, મસક, ઢંકુણ, પિશુકા-ચાંચડ, ચૂકા, લીંખ છે ? ભગવંતે કહ્યું – આ અર્થ સમર્થ નથી. કેમકે ‘ઉત્તકુટુ’ ક્ષેત્ર ઉપદ્રવ રહિત કહેલ છે. - - - ભગવન્ ! ઉત્તરકુરુમાં અજગર, મહોગાદિ છે ? હા, છે. પણ તેઓ અન્યોન્ય કે મનુષ્યોને કંઈ આબાધા, વ્યાબાધા, છવિચ્છેદ કરતા નથી. તે સર્પગણને હે આયુષ્યમાન શ્રમણ ! પ્રકૃતિથી ભદ્રક કહેલ છે.
ભગવન્ ! ઉત્તરકુરુમાં દંડાકાર વ્યવસ્થિત ગ્રહ-ગ્રહદંડ, તે અનર્થ ઉપનિપાત હેતુપણે પ્રતિષેધ્ય છે, સ્વરૂપથી નહીં, એ પ્રમાણે ગ્રહમુશલ, ગ્રહંગર્જિત-ગ્રહચારહેતુક ગર્જિત, આ સ્વરૂપ થકી પણ પ્રતિષેધ્ય છે. ગ્રહયુદ્ધ-એક ગ્રહ અન્ય ગ્રહની મધ્યે
19/3
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
જાય, ગ્રહસંઘાટક, ગ્રહાપસવ્યાનિ [તથા] અભાણિ-સામાન્યકારથી પ્રતીત, અભવૃક્ષવૃક્ષાકારે પરિણત અભ્ર, સંધ્યા-સંધ્યાકાળે નીલાદિ અભ્રપરિણતરૂપ, ગંધર્વનગર-સુર સદન પ્રાસાદ ઉપશોભિત નગરાકારપણે તાવિધ નભઃપરિણત પુદ્ગલ રાશિરૂપ આ બધું પણ ત્યાં સ્વરૂપથી ન હોય. ગતિ વિદ્યુત, ઉલ્કાપાત-આકાશમાં સંમૂર્છિત જવલન પડવારૂપ. દિગ્દાહ-કોઈ દિશામાં છિન્નમૂલ જ્વલન જ્વાલા કરાલિત અંબર પ્રતિભાસરૂપ, નિર્ધાત-વિધુનો પ્રપાત, પાંશુદૃષ્ટિ-ધૂળની વર્ષા, યક્ષદીપ્તક - આકાશમાં દૃશ્યમાન અગ્નિસહિત પિશાચ. ઘૂમિકા-રૂક્ષ, પ્રવિરલ, ધૂમાભા, સ્નિગ્ધ ઘન ઘનત્વી ભૂમિમાં પડેલ - ૪ - મહિકા જોદ્ઘાત.
૩૪
[તથા] ચંદ્રોપરાગ-ચંદ્રગ્રહણ, સૂર્યોપરાગ-સૂર્યગ્રહણ, અહીં ગર્જિત, વિધુત્ ઉલ્કા, દિગ્દાહ, નિર્થાત ઇત્યાદિનો સ્વરૂપથી પણ પ્રતિષેધ છે. તેમાં ચંદ્ર-સૂર્ય ગ્રહણ અનર્થ ઉપનિપાતના હેતુપણે નિષેધ જાણવો. કેમકે સ્વરૂપથી તે બંનેનો પ્રતિષેધ અશક્ય છે. જંબુદ્વીપના જ સૂર્ય-ચંદ્ર ત્યાં પ્રકાશે છે. એક ચંદ્ર કે સૂર્યના ગ્રહણથી સકલ મનુષ્યલોકમાં ચંદ્ર-સૂર્ય ગ્રહણ થતાં સ્વરૂપથી ચંદ્ર-સૂર્યના ગ્રહણનો પ્રતિષેધ સંભવતો નથી. ચંદ્ર સૂર્યપરિવેષ-ચંદ્ર કે સૂર્યના ફરતી વલયાકાર પરિણતિરૂપ પ્રસિદ છે.
પ્રતિચંદ્ર - ઉત્પાદાદિ સૂચક બીજો ચંદ્ર, એ રીતે બીજો સૂર્ય. ઈન્દ્રધનુપ્, ઉદકમત્સ્ય, કપિહસિત-અકસ્માત આકાશમાં જ્વલન્-ભીમ શબ્દરૂપ, અમોઘસૂર્યબિંબની નીચે કદાચિત દેખાતું શકટની ઉદ્ધિ સંસ્થિત શ્યામાદિ રેખા. આવા ચંપરિવેષાદિ સ્વરૂપથી પણ પ્રતિષેધ્ય છે. પૂર્વનો વાયુ-પશ્ચિમનો વાયુ ઈત્યાદિ વાયુ અસુખહેતુરૂપ કે વિકૃતરૂપ હોતા નથી. સામાન્યથી તેનો નિષેધ કરેલ નથી. કેમકે પૂર્વાદિ વાયુ તો ત્યાં પણ હોય છે. ગ્રામદાહ, નગર દાહ ઈત્યાદિ, દાહકૃતથી પ્રાણાય, ભૂતક્ષય કુળક્ષય, આ બધું સ્વરૂપથી પણ પ્રતિષેધ્ય છે. કોઈનો અનર્થ હેતુપણે અને કોઈનો સ્વરૂપથી નિષેધ છે, તેમ ભગવંતે કહ્યું છે.
કે
ભગવન્ ! ઉત્તરકુરમાં ડિબ-સ્વદેશોસ્થા વિપ્લવ, ડમ-પરરાજથી કૃત્, કલહવાયુદ્ધ, બોલ-ઘણાં પીડિતોનો કલકલપૂર્વકનો મેળાપક, ક્ષાર-પરસ્પર માત્સર્ય, વૈપરસ્પરની અસહનતાથી હિંસ્ય-હિંસક ભાવ અધ્યવસાય, મહાયુદ્ધ-પરસ્પર મરાતામારતા વડે યુદ્ધ, મહાસંગ્રામાદિ, મહાસન્નાહ, મહાપુરુષ કે મહાશસ્ત્રનું નિષતન-નાગ બાણાદિથી દિવ્ય અસ્ત્રોનું પ્રક્ષેપણ, અદ્ભુત વિચિત્ર શક્તિને કારણે નાગબાણાદિ એ જ મહાશસ્ત્રો છે. તેથી કહે છે કે – ધનુષ્ય આરોપિત નાગબાણ મૂકવા તે જાજવલ્યમાન, અસહ્ય, ઉલ્કાદંડરૂપ, બીજાના શરીરે નાગમૂર્તિરૂપ બંધન કરે છે. તામસ બાણથી બધી સંગ્રામભૂમિમાં મહાંધતમસરૂપતા થાય છે. - ૪ - ૪ -ઈત્યાદિ. ભગવંતે કહ્યું કે આ અર્થ સમર્થ નથી. કેમકે હે આયુષ્યમાન્ શ્રમણ ! તે મનુષ્યો આ ડિબ-ડમરાદિથી રહિત છે.
ભગવન્ ! ઉત્તકુરુમાં મ્રૂત-અશિવ, કુલરોગ, મંડલરોગ. શિરો-અક્ષિ-કર્ણનખ-દંત વેદના છે ? કાશ, શ્વાસ, શોષ, વર, દાહ, કચ્છ, ખસર, કુષ્ઠ, અર્શ, અજીર્ણ, ભગંદરાદિ છે? સંધ-કુમાર-નાગ-ચક્ષ-ભૂત-ધનુગ્રહાદિ છે ? ઉદ્વેગ,