________________
૧/-/૯/૯૫
સિવાયનો કાયયોગ ગુરુલઘુ દ્રવ્યોનો બનેલ હોવાથી ગુરુલઘુ છે. ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો, તેના નિર્વિભાગ અંશરૂપ પ્રદેશો, વર્ણ-ઉપયોગાદિ પર્યાયો ગુરુલઘુ, અગુરુલઘુ કહેવા. કેમકે સૂક્ષ્મ અને અમૂર્ત છે તે અગુરુલઘુ છે, બાદર છે તે ગુરુલઘુ છે. પ્રદેશ
અને પર્યવો દ્રવ્યના સંબંધી હોવાથી તે તે દ્રવ્ય સ્વભાવના છે.
૧૨૧
• સૂત્ર-૯૬ -
ભગવન્ ! લાઘવ, ઘેચ્છા, મૂછ, અમૃદ્ધિ, અપતિબદ્ધતા, એ બધું શ્રમણ નિગ્રન્થો માટે પ્રશસ્ત છે ? હા, ગૌતમ ! છે.. ભગવન્ ! અક્રોધત્વ, અમાનત્વ, અમાવાવ, અલોભવ શ્રમણ નિગ્રન્થો માટે પ્રશસ્ત છે ? હા, ગૌતમ ! છે.. ભગવન્ ! કાંપદોષ ક્ષીણ થતાં શ્રમણ નિત્ય તકર અને અંતિમ શરીરી થાય? અથવા પૂર્વમાં બહુ મોહી થઈ વિહાર કરે પછી સંવૃત્ત થઈ કાળ કરે, તો પછી સિદ્ધ થાય યાવત્ સર્વ દુઃખનો અંત કરે ? હા, ગૌતમ ! કરે. • વિવેચન-૬ :
લાઘવ-ઓછી ઉપધિપણું. આહારાદિની ઓછી અભિલાષા, ઉપધિના સંરક્ષણ માટે અનુબંધાભાવ, ભોજનાદિમાં પરિભોગકાળે અનાસક્તિ સ્વજનાદિમાં સ્નેહાભાવ, એ પાંચ શ્રમણ નિર્પ્રન્થો માટે પ્રશસ્ત છે, અથવા લાઘવપણું પ્રશસ્ત છે, તે લાઘવપણું
એટલે અભેચ્છા આદિ.
લાઘવિકનું પ્રશસ્તપણું કહ્યું. તે ક્રોધાદિ અભાવે જ હોય છે. માટે ક્રોધાદિ દોષોના અભાવને પ્રશંસવા અને ક્રોધાદિ દોષોના અભાવ વિના ન બની શકે તેવું કાંક્ષાપ્રદોષના ક્ષયનું કાર્ય છે, તે કહેવા માટે ક્રમથી બે સૂત્ર કહ્યા. તેમાં વિશેષ આ – કાંક્ષા એટલે બીજા મતની આસક્તિ, તે જ પ્રકૃષ્ટ દોષ અથવા કાંક્ષા એટલે રાગ. પ્રદોષ એટલે દ્વેષ.
કાંક્ષા-બીજા મતનો આગ્રહ. આ બીજા મતની વિપરીતતા કહે છે.
• સૂત્ર-૯૭ -
*
ભારે છે . જણાવે છે
ભગવન્ ! અન્યતીર્થિકો આ પ્રમાણે કહે છે – પ્રરૂપે છે કે – એક જીવ એક સમયે બે આવુ કરે છે, તે આ - આ ભવનું આયુ, પરભવનું આયુ. જે સમયે આ ભવનું આયુ કરે છે, તે સમયે પરભવનું આયુ કરે છે, જે સમયે પરભવનું આયુ કરે છે તે સમયે આ ભવનું આયુ કરે છે. આ ભવનું આયુ કરવાથી પરભવનું આયુ કરે છે, પરભવનું આયુ કરવાથી આ ભવનું આયુ કરે છે એ રીતે એક જીવ એક સમયે બે આયુ કરે છે
- * - *
તે કેવી રીતે ?
ગૌતમ ! અન્યતીર્થિકો, જે એ પ્રમાણે કહે છે સાવત્ પરભવનું આયુ. જે આમ કહે છે, તે મિથ્યા કહે છે. ગૌતમ ! હું એમ કહું છું યાવત્ રૂપું છું કે જીવ એક સમયે એક આયુ કરે છે અને તે આ ભવનું આયુ અથવા પરભવનું આયુ. જે સમયે પરભવનું આયુ કરે છે, તે સમયે આ ભવનું આયુ નથી કરતો,
આ ભવનું આયુ કરે છે, તે સમયે પરભવનું આયુ કરતો નથી. આ ભવનું આયુ
-
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
કરવાથી પરભવનું આયુ નથી કરતો પરભવનું આયુ કરવાથી આ ભવનું આયુ નથી કરતો. એ પ્રમાણે એક જીવ એક સમયે એક આયુ કરે છે - ૪ - ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે યાવત્ વિચરે છે.
• વિવેચન-૯૭ :
૧૨૨
અન્ય યૂથિક-વિવક્ષિત સંઘથી જુદા સંઘમાં રહેનાર એટલે કે અન્યતીર્થિક. જે આગળ કહેવાશે. સામાન્યથી કહે છે, વિશેષથી કહે છે, યુક્તિપૂર્વક કહે છે, ભેદ કથનથી કહે છે. બે જીવો બે આયુને કરે અથવા એક જીવ જુદે જુદે સમયે બે આયુ કરે, તેમાં વિરોધ નથી. જીવ જે છે, તે પોતાના પર્યાયોના સમૂહરૂપ છે, તે જ્યારે એક જે આયુના પર્યાયને કરે, ત્યારે બીજાને પણ કરે છે, કેમકે જ્ઞાન અને સમ્યકત્વ માફક આયુ સ્વપર્યાયરૂપ છે. વળી જીવ સ્વપર્યાય કર્તા છે, તેમ સ્વીકારવું જોઈએ. અન્યથા સિદ્ધાદિ પર્યાયોની ઉત્પત્તિ સંભવશે નહીં. [તેઓ કહે છે—] જે સમયે ઇહભવિક આયુ કરે છે, ત્યારે પરભવિકાયુ કરે છે. ઈહભવિક એટલે જે આયુના ફળ રૂપ આ ચાલુભવ છે તે આયુ એ પ્રમાણે પરભવિકાયુ પણ જાણવું. એ રીતે ઈહભવિકાયુ કરવાના સમયે પરભવિકાયુ કરવું એ નિર્ણિત કર્યુ. એ જ રીતે પરભવિકાયુ કરવાના સમયે ઈહભવિકાયુ નિર્ણીત કર્યુ. એ રીતે બંને આયુ એક જ સમયે કરવાનું કહીને બંને આયુ એક ક્રિયાથી કરવાનું જણાવ્યું. એટલું જ નહીં “જે તેઓ કહે છે, તે ખોટું છે' તેમ કહ્યું.- ૪ -
અન્યતીર્થિક મતની અસત્યતા - એક પ્રકારના આત્મ પરિણામ વડે વિરુદ્ધ બે આયુ બાંધી શકાતા નથી. વળી જે પૂર્વે કહ્યું કે સ્વ પર્યાય હોવાથી એક પર્યાયને કરતા બીજો પર્યાય કરે છે. તે અનિશ્ચિત છે. જેમ આત્મા સિદ્ધત્વ પર્યાયને કરતાં સંસારી પર્યાયને કરતો નથી. ટીકાકારનું વ્યાખ્યાન આ પ્રમાણે છે - આ ભવનું આયુ જ્યારે કરે છે - અર્થાત્ વેદે છે ત્યારે પરભવાયુ કરે છે - બાંધે છે. એટલે કે આ ભવનું આયુ ભોગવવાથી પરભવાયુ કરે છે - બાંધે છે. આ પરમત મિથ્યા છે. કેમકે તાજો જન્મેલો બાળક આ ભવનું આયુ વેદે છે, જો તે ત્યારે જ પરભવાયુ બાંધે, તો દાન, અધ્યયનાદિ વ્યર્થ થશે. આ આયુબંધ કાળ બીજો હોય તેમ જાણવું. અન્યથા
ઉક્ત માન્યતા ખોટી સાબિત ન થઈ શકે.
અન્યતીર્થિકના પ્રસ્તાવથી આ કહે છે –
• સૂત્ર-૯૮ -
તે કાળે તે સમયે પાપત્યીય કાલાશ્યવેષિપુત્ર નામક અણગાર જ્યાં
સ્થવિર ભગવંતો હતા, ત્યાં જાય છે, જઈને સ્થવિર ભગવંતોને આ પ્રમાણે કહે છે – હે સ્થવિરો ! તમે સામાયિક જાણતા નથી, સામાયિકનો અર્થ જાણતા નથી, પચ્ચક્ખાણ જાણતા નથી, પચ્ચક્ખાણનો અર્થ જાણતા નથી. સંયમ જાણતા નથી, સંયમનો અર્થ જાણતા નથી. સંવર જાણતા નથી, સંવરનો અર્થ જાણતા નથી, વિવેક જાણતા નથી, વિવેકનો અર્થ જાણતા નથી, વ્યુત્સર્ગ જાણતા નથી, વ્યુત્સર્ગનો અર્થ જાણતા નથી.