SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૯/૯૪ ૧૧૯ • વિવેચન-૯૪ : ગુરુત્વ - નીચે જવાના કારણભૂત અશુભ કર્મોનો ઉપાય. લઘુત્વ-ગુરુત્વથી વિપરીત. વં શબ્દ પૂર્વોક્ત પાઠના સૂચનાર્થે છે. જેમકે - જીવો કઈ રીતે સંસારને કર્મ પ્રચૂર કરે છે ? ગૌતમ ! પ્રાણાતિપાત વડે. એ રીતે આગળ પણ જાણવું. કર્મભારથી ઓછો કરે છે, વીર્ય - લાંબા કાળ વાળો કરે છે. દૃસ્વ - અલ્પકાલીન કરે છે. પુનઃ પુનઃ ભમે છે, આદિ ચાર પ્રશસ્ત - લઘુત્વ, પરીતત્વ, હૃવત્વ, વ્યતિત્વજન. તે મોક્ષના હેતુભૂત છે અને ચાર પ્રશસ્ત છે કેમકે તે મોક્ષના હેતુભૂત નથી. – ગુરુત્વ, આકુલત્વ, દીર્ધત્વ, અનુપરિવર્તન. ગુરુત્વ-લઘુત્વ અધિકારથી આ સૂત્ર કહે છે – • સૂત્ર-૯૫ ઃ ભગવન્ ! શું સાતમો અવકાશાંતર ભારે છે, હલકો છે, ભારે-હલકો છે કે અગુરુલઘુ છે ? ગૌતમ ! તે ભારે-હલકો કે ભારેહલકો નથી, પણ અગુરુલઘુ છે. ભગવન્ ! સાતમો તનુવાત શું ભારે છે, હલકો છે, ભારેહલકો છે કે અગુરુલઘુ છે ? ગૌતમ ! ભારે, હલકો કે અગુરુલઘુ નથી, પણ ભારે હલકો છે... એ પ્રમાણે સાતમો ઘનવાત, સાતમો ઇનોદધિ, સાતમી પૃથ્વી, વિશે જાણવું. સાતમા અવકાશાંતરમાં કહ્યું તેમ બધાં અવકાશાંતરો વિશે સમજવું. તનુવાતના વિષયમાં જેમ કહ્યું, તેમજ બધાં ઘનવાત, ઘનોદધિ, પૃથ્વી, દ્વીપ, સમુદ્ર અને ક્ષેત્રોના વિષયમાં પણ જાણવું. ભગવન્ ! નૈરયિકો શું ગુરુ છે યાવત્ અગુરુલઘુ છે ? ગૌતમ ! ગુરુ કે લઘુ નથી, પણ ગુરુલઘુ અને અગુરુલઘુ છે એમ કેમ કહ્યું ? ગૌતમ ! વૈક્રિય અને તૈજસ શરીર અપેક્ષાએ ગુરુ કે લઘુ નથી અને અગુરુલઘુ નથી, પણ ગુરુલઘુ છે. જીવ અને કર્મની અપેક્ષાએ ગુરુ, લઘુ કે ગુરુલઘુ નથી, પણ અગુરુલઘુ છે. તેથી એમ કહ્યું છે. આ પ્રમાણે વૈમાનિક પર્યન્ત જાણવું. વિશેષ એ - શરીરનો ભેદ જાણવો. તથા ધર્માસ્તિકાય યાવત્ જીવાસ્તિકાય અગુરુલઘુ જાણવા. ભગવન્ ! શું પુદ્ગલાસ્તિકાય ગુરુ છે, ag છે. ગુરુલઘુ છે કે અગુરુલઘુ છે? ગૌતમ ! ગુરુ કે લઘુ નથી. પણ ગુરુ લઘુ અને ગુરુ લઘુ છે. તેનું શું કારણ ? ગૌતમ ! ગુરુલઘુ દ્રવ્યોને આશ્રીને ગુરુ કે લઘુ નથી, ગુરુ લઘુ છે, અગુરુલઘુ નથી. અગુરુલઘુ દલ્યોને આશ્રીને લઘુ, ગુરુ કે લઘુગુરુ નથી પણ અગુરુલઘુ છે સમય, ક અગુરુલઘુ છે. ભગવન્ ! કૃષ્ણવેશ્યા શું ગુરુ છે ચાવત્ અગુરુલઘુ છે? ગૌતમ ! ગુરુ કે લઘુ નથી પણ ગુરુલઘુ કે અગુરુલઘુ છે એમ કેમ કહ્યું ? ગૌતમ ! દ્રવ્યર્લેશ્યાની અપેક્ષાએ ગુરુલઘુ, ભાવલેશ્યાથી અગુરુલઘુ. એ રીતે શુકલલેશ્યા સુધી જાણતું. -- તથા દૃષ્ટિ, દર્શન, જ્ઞાન, અજ્ઞાન અને સંજ્ઞાને અગુરુલઘુ જાણવા. નીચેના ચાર શરીર ગુરુલઘુ જાણવા. કાર્પણ શરીરને અગુરુલઘુ જાણવું... મનયોગ, ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વચનયોગ અગુરુલઘુ છે, કાયયોગ ગુરુલઘુ છે. સાકર અને અનાકાર ઉપયોગ અગુરુલઘુ છે. સર્વ પ્રદેશો, સર્વ દ્રવ્યો, સર્વ પર્યાયો પુદ્ગલાસ્તિકાય માફક જાણવા. અતીત, અનાગત, સર્વકાળ અગુરુલઘુ જાણવો. • વિવેચન-૯૫ : ૧૨૦ ગુરુ લઘુ વ્યવસ્થા આ છે - નિશ્ચયથી સર્વ ગુરુ સર્વ લઘુ કોઈ દ્રવ્ય નથી. વ્યવહારથી બાદર સ્કંધોમાં ગુરુત્વ-લઘુત્વ રહે છે. પણ તે બીજામાં નથી. ચાર સ્પર્શવાળા અને અરૂપી દ્રવ્યો બધાં અગુરુલઘુ છે. બાકીનાં આઠ સ્પર્શવાળા દ્રવ્યો બધાં ગુરુ લઘુ છે એમ નિશ્ચયનય કહે છે. ચડાસ - સૂક્ષ્મ પરિણામવાળા, અટ્ઠામ - બાદર, ગુરુલઘુ દ્રવ્ય રૂપી છે, અગુરુલઘુ દ્રવ્ય અરૂપી અને રૂપી છે. વ્યવહારથી તો ગુરુ આદિ ચારે ભેદે દ્રવ્યો હોય છે. તે સંબંધે દૃષ્ટાંતો આ છે - ઢેકું એ ગુરુ છે, તેનો નીચે જવાનો સ્વભાવ છે. ધૂમનો ઉંચે જવાનો સ્વભાવ હોવાથી લઘુ છે. વાયુ, તીર્થ્રો જાય માટે ગુરુલઘુ છે અને આકાશ અગુરુલઘુ છે. અવકાશાંતાદિ સૂત્રો આ ગાથાનુસાર જાણવા. જેમકે અવકાશ, વાયુ, ઘનોદધિ, પૃથ્વી, દ્વીપ, સાગર, ક્ષેત્રો, નૈરયિકાદિ, અસ્તિકાય, સમય, કર્મ, લેશ્યા, દૃષ્ટિ, દર્શન, જ્ઞાન, સંજ્ઞા, શરીર, યોગ, ઉપયોગ, દ્રવ્ય, પ્રદેશ, પર્યવ, અતીત-અનાગત-સર્વકાળ. વૈક્રિય, તૈજસ શરીર આશ્રીને નાસ્કો ગુરુ-લઘુ છે. કેમકે આ શરીર વૈક્રિયતૈજસ વર્ગણાના બનેલા છે, તે ગુરુલઘુ જ છે. કહ્યું છે – ઔદાકિ, વૈક્રિય, આહાસ્ક, તૈજસ એ બધી વર્ગણા ગુરુલઘુ છે. જીવ અને કાર્યણશરીર અપેક્ષાએ નારકો અગુરુલઘુ છે. કેમકે જીવ અરૂપી વ્વથી અગુરુલઘુ છે. કાર્યણવર્ગણા અગુરુલઘુ હોવાથી કાર્પણશરીર અગુરુલઘુ છે. કહ્યું છે – કાર્પણ, મન, ભાષાવર્ગણા અગુરુલઘુ. જેને જેટલા શરીર હોય, તેને તેટલાં જાણીને અસુરાદિ સંબંધે સૂત્રો કહેવા. તેમાં અસુરાદિ દેવા નાવત્ કહેવા. પૃથ્વી આદિ જીવો ઔદારિક, વૈજસ શરીર અપેક્ષાએ ગુરુલઘુ જાણવા. જીવ, કાર્મણ શરીરની અપેક્ષાએ અગુરુલઘુ છે. વાયુના જીવો ઔદાકિ, વૈક્રિય, તૈજસને આશ્રીને ગુરુલઘુ છે. એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચ પણ જાણવા. મનુષ્યો ઔદારિક, વૈક્રિય, તૈજસ, આહાસ્ક શરીરથી ગુરુલઘુ જાણવા. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયને અગુરુલઘુ કહેવા. બાકીના પદો વડે તેને ન કહેવા, કેમકે અરૂપી હોવાથી અગુરુલઘુ છે. પુદ્ગલાસ્તિકાય સૂત્રમાં દીધેલ ઉત્તર નિશ્ચયનયાશ્રિત છે. કેમકે નિશ્ચયનય મતે કોઈ વસ્તુ સૌથી હળવી કે સૌથી ભારે નથી. ઔદાકિાદિ ચાર દ્રવ્યો, કાર્યણાદિ અગુરુલઘુ છે. સમયઅમૂર્ત છે માટે અગુરુલઘુ છે. કર્મો કાર્યણવર્ગણાત્મક હોવાથી અગુરુલઘુ છે, નેવા ઔદારિકાદિ શરીરનો વર્ણ અને ઔદાકિાદિ ગુરુલઘુ છે. દૃષ્ટિ વગેરે જીવના પર્યાયરૂપ છે માટે અગુરુલઘુ છે. જ્ઞાનથી વિપરીત હોવાથી અજ્ઞાનપદ કહ્યું છે, નહીં તો દ્વારમાં જ્ઞાનપદ જ દેખાય છે. નિ એટલે ઔદાકિ આદિ ગુરુલઘુ વર્ગણાના બનેલા હોવાથી ગુરુલઘુ કહેવા. કાર્યણશરીર અગુરુલઘુ વર્ગણાના બનાવેલ હોવાથી અગુરુલઘુ છે એ રીતે મનોયોગ અને વાયોગ પણ જાણવો. કાર્પણ
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy