SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૧/૧૯ થી ૨૧ પ૧ સ્થિતિ પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટથી લાખ વર્ષ અધિક પલ્યોપમ છે. વિશેષ આ - તેઓનો ઉચ્છવાસ નાગકુમાર સમાન નથી, પણ તે - X - જઘન્યથી મુહૂર્ત પૃથકત્વ છે. જે બે કે ત્રણ મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ છે તે આઠ કે નવ મુહૂર્ત છે. આહાર પણ વિશેષિત છે - ૪ - વૈમાનિક સ્થિતિ ઔધિક - પલ્યોપમાદિથી 33-સાગરોપમ સુધી છે. તેમાં જઘન્ય સૌધર્મને આશ્રીને છે, ઉત્કૃષ્ટ અનુત્તર વિમાનને આશ્રીને છે. ઉચ્છવાસ પ્રમાણ પણ જઘન્ય છે તે જઘન્ય સ્થિતિક દેવોને આશ્રીને છે, ઉત્કૃષ્ટ છે તે ઉત્કૃષ્ટ સ્થિતિ આશ્રિત છે. કહ્યું છે – જેની જેટલા સાગરોપમની સ્થિતિ, તેને તેટલા પક્ષો ઉચ્છવાસ અને તેટલા ૧૦૦ વર્ષે આહાર જાણવો. • X - X - નાકાદિ ધર્મ વક્તવ્યતા કહી, તે આરંભ પૂર્વક છે માટે – • સૂગ-૨ : હે ભગવન્! જીવો શું આભારંભી છે, પરારંભી છે કે તદુભયારંભી છે કે અનારંભી છે ? ગૌતમ / કેટલાક જીવો આત્મ પર અને ઉંભયારંભી છે, પણ અનારંભી નથી. કેટલાંક જીવો આત્મ-ર કે ઉભયારંભી નથી, પણ અનારંભી છે. હે ભગવન! એમ કેમ કહો છો કે કેટલાક જીવો આત્મારંભી છે ઇત્યાદિ ગૌતમ! જીવો બે ભેદે કહા - સંસારી અને સિદ્ધ. તેમાં આ અસંસાર સમાજમક-સિદ્ધ છે તે આત્મારંભી નથી યાવતુ નાભી છે અને જે સંસારી છે તે બે ભેદે છે - સંયત, અસંયત. તેમાં જે સંયત છે તે બે ભેદ - પ્રમત્ત સંચત, પ્રમત્ત સંયત. તેમાં જે અપ્રમત્ત સંયત છે તે આત્મારંભી નથી યાવતું અનારંભી છે. જે પ્રમત્ત સંયત છે, તે શુભ યોગની અપેક્ષાએ આભારંભી નથી વાવતુ અનારંભી છે, અશુભ યોગની અપેક્ષાએ આત્મારંભી પણ છે ચાવતું અનારંભી નથી. જેઓ સંયત છે, તે અવિરતિ અપેક્ષાએ આત્મારંભી પણ છે ચાવત અનારંભી નથી. તેથી આમ કહ્યું.. ભગવાન નૈરયિકો આત્મારંભી, પરારંભી, ઉભયારંભી કે અનારંભી છે? ગૌતમ / નૈરસિકો આત્મારંભી છે યાવતું અનારંભી નથી. ભગવાન ! એમ કેમ કહું ? ગૌતમ અવિરતિ અપેક્ષાઓ - x • એ રીતે અસુરકુમાર પત્ત યાવતું • પંચેન્દ્રિય તિચિયોનિક પર્યન્ત, મનુષ્યોને સામાન્ય જીવો માફક જાણવા, માત્ર સિદ્ધોનું કથન છોડી દેવું. વાણવ્યંતરથી વૈમાનિક પર્યન્ત નૈરયિકની જેમ જાણવા. તેયાવાળાને ઔધિકવતુ જાણવા. કુષ્ણ-નીલ-કાપોત લેશ્યાવાળાને ઔધિકવતુ જાણવા, વિશેષ એ - પ્રમત્તઅપમત્તનું અહીં કથન ન કરવું. ઉપધ-શુક્લ વેશ્યાવાળાને ઔધિક જીવોની જેવા જાણતા. વિશેષ એ કે – તેમાં સિદ્ધોનું કથન ન કરવું. • વિવેચન-૨૨ - આરંભ એટલે જીવ ઉપઘાત, ઉપદ્રવ, સામાન્યથી આશ્રવ દ્વારે પ્રવૃત્તિ. તેમાં આત્માને જે આરંભે કે આત્મા વડે સ્વયં આરંભ કરે તે આભારંભી. પરને કે પર પર ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વડે આરંભ કરે તે પરારંભી. તે બંનેને કે તે બંને વડે આરંભ કરે તે ઉભયારંભી. આત્મા-પર-ઉભયસંબંધી આરંભથી હિત તે અનારંભી. એ પ્રશ્ન છે. તેનો ઉત્તર સ્પષ્ટ છે. વિશેષ આ - Mતિ એ અવ્યય છે. •x - અતિ નો ન અર્થ કર્યો છે. અથવા ત શબ્દ પક્ષાંતર સૂચક લેતા “શું આ પ્રશ્ન છે ?' અને વાદ્ય એટલે કેટલાંક. જીવો આભારંભી પણ છે. ઇત્યાદિમાં ઉપ શબ્દ પૂર્વપદ અને ઉત્તરપદના સંબંધનો સૂચક છે. મfપ શબ્દ આભાભીપણું ઇત્યાદિ ધર્મોના એકાશ્રય કે ભિજ્ઞાશ્રયને માટે છે. એકાશ્રયપણું કાળના ભેદે જાણવું. જેમકે- કોઈ સમયે આભારંભી, કોઈનયમ પરંભી, કોઈ સમયે ઉભયારંભી છે, તેથી અનારંભી નથી.. ભિજ્ઞાશ્રયથી આ રીતે - કેટલાક જીવો અસંયત છે. તે આત્માભી કે પરારંભી હોય છે. વગેરે. જીવોમાં ભિન્ન સ્વભાવના કેમ હોઈ શકે ? એવો પ્રશ્ન કરવા કહ્યું - ભગવન્! તેનું શું કારણ ? મેં તથા અન્ય કેવલીએ જીવોના બે ભેદ કહ્યા છે. આ વાક્યથી સર્વજ્ઞોનો મત અભેદ કહ્યો. જો મતભેદ થાય તો -x- તેઓમાં અસત્ય વકતૃત્વ આવે. પ્રમત સંયતને સંયત હોવાથી શુભ અને પ્રમાદી હોવાથી અશુભ યોગ હોય છે. શુભયોગઉપયોગપૂર્વક પડિલેહણાદિ કરવાં તે. અશુભયોગ - ઉપયોગરહિત પડિલેહણાદિ કરવા તે. કહ્યું છે - પ્રતિલેખનમાં પ્રમાદી છ કાયનો વિરાઘક થાય. શ્રમણનો સર્વ પ્રમત યોગ - આરંભરૂપ હોય છે. આથી શુભાશુભ યોગો આત્મારંભાદિના કારણે થાય છે. અવિરતિ આશ્રીને અહીં આવો આશય છે - જો કે અસંયત સૂમ એકેન્દ્રિયાદિને સાક્ષાત્ આત્માભાદિ નથી, તો પણ અવિરતિને આશ્રીને તેઓને આમારંભાદિ છે, કેમકે તે જીવો અવિરતિથી નિવૃત્ત થયા નથી. માટે અસંયતોને આભારંભાદિમાં અવિરતિ કારણ છે. વિરતિવાળાને કથંચિત્ આત્મારંભાદિ હોવા છતાં આરંભપણું નથી. કેમકે સૂત્રોક્ત વિધિવાળા, યતના સહિતને થતી વિરાઘના નિર્જર ફળવાળી છે. તે કારણથી એ પ્રમાણે અર્થ કહ્યો છે. હવે આત્મારંભકપણાદિનું જ નૈરયિકાદિ ૨૪-દંડક દ્વારા નિરૂપણ કરે છે. નૈરયિકાદિ' સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - મનુષ્યોમાં સંયત, અસંયત, પ્રમત્ત, અપ્રમત ભેદો કહ્યા છે. તેથી મનુષ્યોને જીવો માફક કહેવા. કેવલ સંસારી અને મુક્ત એ બે ભેદ ન કહેવા. કેમકે આ ચારે સંસારવર્તી જ છે. તેથી સૂત્રમાં “સિદ્ધ વિરહિત” એમ કહ્યું. વ્યંતરાદિ અસંમત હોવાથી તેઓને નૈરયિકોની જેમ જ કહેવા. આભારંભાદિ ભેદે જીવો નિરયા. તેઓ વેશ્યાસહિત, લેસ્થારહિત હોય છે. સલેશ્યકને આત્મારંભાદિ ધર્મો દ્વારા જ નિરૂપે છે. તેડ્યા - કૃણાદિ દ્રવ્ય સાંનિધ્યજનિત જીવ પરિણામ. કહ્યું છે - કૃષ્ણાદિ દ્રવ્યના સંબંધથી સ્ફટિક માફક આભામાં થતા પરિણામમાં લૈશ્યા શબ્દ પ્રયોજાય છે. જે રીતે નાકાદિ વિશેષણ રહિત જીવો કહ્યા, જેમકે - “ભગવદ્ ! જીવો આત્મારંભી છે?, પરારંભી છે ? આદિ" એ રીતે સલેશ્યક જીવો કહેવા. લેસ્યાવાળા જીવોને સિદ્ધવનો અસંભવ છે. તેથી સંસાર
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy