SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૧|-|૧ /૨૨ સમાપન્નત્વાદિ વિશેષણો રહિત, તેઓને સંયતાદિ વિશેષણો જોડવા. તેમાં સૂત્રક્રમ આ રીતે – હે ભગવન્ ! સલેશ્યક જીવો શું આત્મારંભી છે ? ઇત્યાદિ. વિશેષ એ કે – જીવને સ્થાને ‘લેશ્યાવાળા’ એમ કહેવું. અને કૃષ્ણાદિ ભેદે બીજા છ દંડક મળીને કુલ ૭-દંડક થશે. સામાન્ય જીવ દંડક માફક કૃષ્ણાદિ ત્રણ જીવસમૂહનો દંડક પ્રમત્ત, અપ્રમત વિશેષણ વર્જિત કહેવો. કૃષ્ણાદિ ત્રણ પ્રશસ્ત ભાવ લેશ્યામાં સંચતત્વ હોતું નથી. “પૂર્વે સાધુપણાને પ્રાપ્ત જીવ કોઈપણ લેશ્યામાં હોય છે.” એમ જે કહ્યું, તે દ્રવ્ય લેશ્યાને આશ્રીને માનવું. તેથી ભાવકૃષ્ણલેશ્યા આદિમાં પ્રમત્તાદિ વિશેષણોનો અભાવ કહ્યો. તેનું સૂત્ર ઉચ્ચારણ છે તે સ્પષ્ટ હોવાથી અહીં અનુવાદ કર્યો નથી. - ૪ - x - વિશેષ એ કે – તેજોલેશ્યાદિ દંડકોમાં સામાન્ય જીવનું સરખાપણું લેતાં સિદ્ધો ન કહેવા. કેમકે સિદ્ધો લેશ્મારહિત હોય છે. [પ્રશ્નવૃત્તિ મુજબ જાણવો.] ભવ હેતુરૂપ આરંભ કહ્યો. હવે ભવ અભાવરૂપ ધર્મ કહે છે – • સૂત્ર-૨૩ - ભગવન્ ! જ્ઞાન ઈહભવિક છે, પરભવિક છે, કે તદુભાભવિક છે ? ગૌતમ ! ઇહભવિક પણ છે. પરભવિક પણ છે, તદુભાભવિક પણ છે.. દર્શન પણ એમ જ જાણવું. ભગવન્ ! ચાત્રિ ઇહભવિક છે, પરભવિક છે કે તદુભાભવિક ? ગૌતમ ! તે ઇહભવિક છે. પરભવિક કે તદુભાભવિક નહીં. એ રીતે તપ, સંયમ જાણવા. • વિવેચન-૨૩ : ૫૩ સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - જે આ જન્મમાં વર્તતું હોય, પણ ભવાંતરમાં નહીં તે ઇહભવિક. - ૪ - શું આ ભવમાં વર્તવાવાળું જ્ઞાન છે ? પારભવિક - ચાલુભવ પછી અનંતર ભવે અનુગામીપણે જે વર્તે તે પારભવિક. તે જ્ઞાન છે ? અથવા આ ભવપરભવ લક્ષણવાળું તભયભવિક જ્ઞાન છે ? અહીં પારભવિકના અર્થમાં પછીના, પછીના બીજા, ત્રીજા આદિ ભવમાં વર્તનારું જ્ઞાન “તદુભય”માં ગ્રહણ કરવું. આ રીતે પ્રશ્નસૂત્ર-ઉત્તરસૂત્ર સુગમ છે. વિશેષ આ કે – આ ભવે શીખેલ જ્ઞાન આવતા ભવે ન જાય તે ઈહભવિક, બીજા ભવમાં જાય તે પરભવિક અને પરભવ તથા પરતભવમાં જાય તે તદુભાભવિક. દર્શન પણ આ રીતે સમજવું. મોક્ષમાર્ગના અધિકારથી દર્શન એટલે સમ્યકત્વ. કહ્યું છે – સમ્યગ્દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ એ મોક્ષમાર્ગ છે. જ્યાં જ્ઞાન, દર્શનનું જ ગ્રહણ કર્યુ હોય ત્યાં દર્શન એટલે સામાન્ય બોધરૂપ જ્ઞાન સમજવું. પ્રશ્ન અને ઉત્તર વડે દર્શન પણ જ્ઞાનની જેમ સમજવું. ચારિત્ર સૂત્રમાં ઉત્તરમાં વિશેષ છે, તે આ – ચાસ્ત્રિ ઈહભવવર્તી જ છે. જીવ આ ભવમાં ચાસ્ત્રિવાળો થઈ, બીજા ભવમાં ચાસ્ત્રિવાન થતો નથી. કેમકે ગૃહિત ચાસ્ત્રિ જીવતાં સુધી જ હોય. સર્વવિરત, દેશવિરત ચાસ્ત્રિવાની ઉત્પત્તિ દેવલોકે હોય છે. દેવલોકે વિરતિનો અભાવ હોવાથી ત્યાં ચારિત્રનો અસંભવ છે. મોક્ષગતિ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ થઈ હોય તો ત્યાં ચાસ્ત્રિનો અસંભવ છે. કેમકે ચાસ્ત્રિ કર્મક્ષયાર્થે છે, મોક્ષમાં તેનું પ્રયોજન નથી. વળી તેની પ્રતિજ્ઞાની આ ભવમાં જ સમાપ્તિ હોવાથી, અન્ય ભવસંબંધી પ્રતિજ્ઞા ન ગ્રહણ કરી હોવાથી ચાત્રિ અન્ય ભવમાં જતું નથી. ચાસ્ત્રિ ક્રિયારૂપ હોવાથી શરીરમાં સંભવે, મોક્ષમાં શરીરના અભાવથી ચાસ્ત્રિનો યોગ સંભવતો નથી. તેથી જ કહે છે – સિદ્ધો ચાસ્ત્રિી નથી, અચાસ્ત્રિી નથી તેમ ચાસ્ત્રિાચાસ્ત્રિી પણ નથી. ચાસ્ત્રિના તપ અને સંયમ બે ભેદ છે. તેથી તપ, સંયમ પણ એ પ્રમાણે છે તેમ કહ્યું. તપ અને સંયમ ચાસ્ત્રિરૂપ જ હોવાથી તે બંને પ્રશ્નોત્તર વડે ચાસ્ત્રિની જેમ કહેવા. ૫૪ “જો કે જ્ઞાનાદિમાં મોક્ષનું હેતુપણું છે, તો પણ દર્શનમાં જ યત્ન કરવો જોઈએ. કેમકે દર્શન જ મોક્ષનો હેતુ છે. કહ્યું છે – ચાસ્ત્રિથી ભ્રષ્ટનું દર્શનગ્રહણ જ સુંદર છે, કેમકે ચારિત્ર રહિત જીવ સિદ્ધ થાય છે. પણ દર્શનરહિત સિદ્ધ થતો નથી. આ પ્રમાણે માનનારને “બોધાર્થે પ્રશ્નન • સૂત્ર-૨૪ : ભગવન્ ! શું અસંવૃત્ત અણગાર સિદ્ધ, બુદ્ધ, મુક્ત, નિવૃત્ત, સર્વ દુઃખાંતકર થાય છે? ગૌતમ ! આ અર્થ યોગ્ય નથી... ભગવન્ ! કયા કારણથી આમ કહ્યું ? ગૌતમ ! અસંવૃત્ત અનગાર આયુને છોડીને શિથિલ બંધ બદ્ધ સાત કર્મપ્રવૃત્તિઓને ઘન બંધન બદ્ધ કરે છે. વ કાલ સ્થિતિકને દીર્ઘકાલ સ્થિતિક કરે છે, મંદાનુભાવવાળીને તીવ્ર અનુભાવવાળી કરે છે. અપદેશીકને બહુ પ્રદેશીક કરે છે. આયુક્રમને કદાચિત્ બાંધે છે અને કદાચિત્ બાંધતો નથી. અશાતા વેદનીય કમને વારંવાર એકઠું કરે છે તથા અનાદિ, અનંત, દીર્ઘમાર્ગવાળા ચાતુરંત સંસાર કાંતારમાં પર્યટન કરે છે. ગૌતમ ! તે કારણથી અસંવૃત્તાણગાર સિદ્ધ થતો નથી યાવત્ - સર્વ દુઃખોનો અંત કરતો નથી. ભગવન્ ! સંવૃત્ત અણગાર સિદ્ધ થાય? હા, સિદ્ધ થઈને યાવત્ અંત કરે છે. એવું કેમ કહ્યું? ગૌતમ ! સંવૃત્ત અણગાર આયુ વર્ઝને ઘન બંધન બદ્ધ સાત કર્મની પ્રકૃત્તિને શિથિલ બંધનબદ્ધ કરે છે. દીર્ઘકાલ સ્થિતિકને દ્રવકાલ સ્થિતિક કરે છે, તિતાનુભાવને મંદ અનુભાવવાળી કરે છે. બહુ પ્રદેશીકને અન્ય પ્રદેશીક કરે છે. આયુ કર્મને બાંધતો નથી. અશાતા વેદનીય કર્મનો વારંવાર ઉપાય ન કરે, અનાદિ અનંત દીર્ઘ માર્ગવાળા ચાતુરંત સંસાર કાંતારને ઉલ્લંઘતો નથી. હે ગૌતમ ! તે કારણથી સંવૃત્ત અણગાર સિદ્ધ થાય છે. આદિ - ૪ - • વિવેચન-૨૪ ઃ સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - સંવૃત્ત - આશ્રવદ્વારને ન રોકનાર. અર • જેને ઘર નથી તે, સાધુ. સિાડ઼ - છેલ્લો ભવ મળવાથી સિદ્ધગમન યોગ્ય થાય છે. બુાડ઼ - જ્યારે ઉત્પન્ન થયેલા કેવલજ્ઞાનથી સ્વપર પર્યાયસહિત સર્વે જીવાદિ પદાર્થને જાણે છે ત્યારે બોધ પામે છે, એમ કહેવાય. મુર્ધ્વડ઼ - ઉત્પન્ન કેવલજ્ઞાનવાળો
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy