SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૯/-/33/૪૬૩ ૬૨ શ્રેષ્ઠી, સાર્થવાહ, દૂત, સંધિપાલ સાથે પરિવરેલો. તેનો અર્થ આ પ્રમાણે છે - ગણનાયક - સ્વાભાવિક મહત્તર, દંડનાયક-તંગપાલક, રાજા-માંડલિક, ઈશરૂ યુવરાજ, તલવ-ખુશ થયેલા રાજાએ આપેલ પબંઘથી વિભૂષિત રાજસ્થાનીયો, માડુંબિક-મડંબના અધિપતિ, કૌટુંબિક-કેટલાંક કુટુંબના સ્વામી, અવલક-રોવક, મહામંત્રી-મંત્રી મંડલમાં મુખ્ય, ગણક-ગણિતજ્ઞ, દૌવારિક-પ્રતીહાર, અમાત્ય-રાજ્યના અધિષ્ઠાયક, ચેટ-પાદપૂલિકા, પીઠમર્દક-આસને બેઠેલ સેવક-વયસ્થ, નગર-નગરસ્વામી પ્રજા, નિગમ-કારણિકો, શ્રેષ્ઠી-શ્રીદેવતા અધ્યાસિત સોનાના પથી વિભૂષિત મસ્તકવાળા, સેનાપતિ-સૈન્યનાયકો, દૂત-બીજાને રાજાના આદેશના નિવેદક, સંધિપાલરાજ્ય સંધિરક્ષકો, તેમના સહિત, તેમની વડે પરિવરીત એવા. - X - X - X - . ચડગર-વિસ્તરવંત, પહકસમૂહ તેમના વૃંદથી પરિસ્વરેલ. પુષ, તંબોલ, આયુધ આદિ. અહીં આદિ શદથી શેખર, છત્ર, ચામરાદિ લેવા. જયંત - શૌચ અર્થે જળનો સ્પર્શ કરેલ, વોવ આચમન વડે અશુદ્રિવ્યને દૂર કરેલ, તે જ કારણે અતિ પવિત્ર થયેલ જેણે હાથને અંજલિ કરવા વડે મુકુલવતું કર્યા છે તે. • સૂત્ર-૪૬૪ * ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમાર શ્રમણ ભગવંત મહાવીર વડે એ પ્રમાણે કહેવાતા હર્ષિત, સંતુષ્ટ થઈને ભગવંતને ત્રણ વખત પ્રદક્ષિણા યાવત્ નમસ્કાર કરીને, તે જ ચાતુટ આશ્ચરથમાં આરૂઢ થઈને શ્રમણ ભગવંત મહાવીરની પાસે બહુશાલક રીત્યથી નીકળે છે, નીકળીને કોરંટ પુષની માળા યુક્ત અને ધારણ કરીને મહાન ભટ્ટ, ચડગર યાવતુ પરિવરીને જ્યાં ક્ષત્રિયકુંડગ્રામ નગર છે, ત્યાં આવે છે. આવીને ક્ષત્રિયકુંડગ્રામ નગરની વચ્ચોવચ્ચથી જ્યાં પોતાનું ઘર છે. જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા છે. ત્યાં આવે છે, આવીને ઘોડાને રોકે છે, રોકીને રથને સ્થાપે છે. સ્થાપીને માંથી ઉતરે છે, ઉતરીને જ્યાં અત્યંતર ઉપસ્થાન શાળા છે, જ્યાં માતાપિતા છે, ત્યાં આવે છે. ત્યાં આવીને માતા-પિતાને જય-વિજય વડે વધાવે છે, વધાવીને આ પ્રમાણે કહ્યું – નિશ્ચયથી હે માતા-પિતા! મેં શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળ્યો, તે ધર્મ મને ઈષ્ટ, પ્રતિષ્ટ, અભિરુચિકર લાગ્યો. ત્યારે તે જમાલિ #ત્રિયકુમારના માતા-પિતા આમ બોલ્યા – હે પુત્ર! તને ધન્ય છે, તે કૃતાર્થ છે, તું તપુન્ય છે, તે કૃતલક્ષણ છે, જે તેં શ્રમણ ભગવાન મહાવીર પાસે ધર્મ સાંભળ્યો, તે ધર્મ તને ઈષ્ટ, પ્રતિષ્ટ, રુચિકર લાગ્યો છે. ત્યારે જમાલિ ક્ષત્રિયકુમાર, માતાપિતાને બીજી વખત પણ આમ કહ્યું કે - નિશ્ચયથી મેં ભગવત મહાવીર પાસે ધર્મ સાંભળ્યો છે, યાવતું મને ચેલ છે. તેથી હે માતાપિતા ! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું જન્મ-જરામરણથી ભયભીત થયો છું, તેથી હું માતા-પિતા ! હું તમારી અનુજ્ઞા પામીને શ્રમણ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ભગવંત મહાવીર પાસે મુંડ થઈને, ઘરથી નીકળી, અણગારિક પ્રવજ્યા તેવા ઈચ્છું છું. ત્યારે તે જમાની ક્ષત્રિયકુમારની માતા, તે અનિષ્ટ, અકોd, અપિય, અમનોજ્ઞ, અમરામ, આશુતપૂર્વ વાણી સાંભળી, સમજીને, રોમ-કૂપથી વહેતા પસીનાથી તેણીનું શરીર ભીંજાઈ ગયું, શોકના ભારથી તેણીના અંગે અંગ કાંપવા લાગ્યા, નિસ્તેજ દીન-વિમનક વચના, હથેળીથી મસળેલ કમળ માળાની જેમ તેનું શરીર મુઝાઈ ગયું. દુર્બળ થઈ ગયું, તેણી લાવશ્ય શૂન્ય, કાંતિરહિત, શોભાહીન થઈ ગઈ. આભૂષણ ઢીલા થઈ ગયા, હાથની શ્વેત ચૂડીઓ નીચે પડી ભાંગી ગઈ, ઉત્તરીય વસ્ત્ર શરીરથી હટી ગયું. મૂછવિશ તેણીની ચેતના નાશ પામી તેણીનો સુકોમળ કેશરાશિ વિખરાઈ ગયો, કુહાડીથી છેદેલ ચંપકલતા માફક અને મહોત્સવ પુરો થયા પછીના ઈન્દ્રદંડની માફક શોભાહીન થઈ. તેણીના સંધિબંધન ઢીલા થઈ ગયા, ધસ કરતી સબંગિસહિત પડી. ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારની માતા સંભૂતપૂર્વક અહીં-તહીં પડતી એવી માતા ઉપર દાસીઓએ જલ્દી વર્ણકળશના મુખથી નીકળતી શીતળ, નિમલ જલધારા સિચિને શરીરને સ્વસ્થ કર્યું. પછી પંખા અને તાલમના બનેલા પંખાથી જલકણ સહિત હવા નાંખી પછી અંતઃપુરના પરિજનોએ તેણીને આગ્રસ્ત કરી. તેણી રોતી-કંદન કરતી - શોક કરતી - વિલાપ કરતી જમાલી ક્ષત્રિયકુમારને આમ બોલી - હે પુત્ર ! તું અમારો એક માત્ર પુત્ર છે. ઈષ્ટ, કાંત, પિય, મનોજ્ઞ, મણામ, આધારભૂત, વિશ્વાસ્ય, સંમત, બહુમત, અનુમત, આભુષણોના પટાર સમાન, રા, રતનભૂત, જીવિત સમાન, હૃદયને આનંદ દેનાર, ઉંબરના પુષ્પ સમાન, (તરું નામ શ્રવણ) પણ દુર્લભ છે, તો તરું દર્શન દુર્લભ હોય એમાં શું કહેવાનું ? તેથી હે પુત્ર! અમે તારો ક્ષણ માત્ર વિયોગ પણ ઈચ્છતા નથી. તેથી જ્યાં સુધી અમે જીવીએ છીએ, ત્યાં સુધી હું અહીં જ રહે. ત્યારપછી અમારા મૃત્યુબાદ, પરિપકવ વયે, કુલdશ કાર્યની વૃદ્ધિ થયા પછી, નિરપેક્ષ થઈને શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડ થઈ, ઘરથી નીકળી દીક્ષા લેજે. ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું - હે માતાપિતા! હમi જે તમે કહ્યું કે – હે પુત્ર! તું અમારો એક માત્ર પુત્ર છે. ઈષ્ટ છે યાવતુ દીu લે છે. પણ તે માતાપિતા ! મનુષ્યભવ, અનેક જાતિજરા-મરણ-રોગ-શારીરિક માનસિક અનેક દુઃખોની વેદના, સેંકડો ઉપદ્રવોથી વ્યાપ્ત છે. અધવ, અનિત્ય, અશાશ્વત સંધ્યાના આ સદંશ, પાણીના કણીયા સમાન, વૃક્ષના અગ્ર ભાગે રહેલા જળબિંદુ સમાન, સ્વપ્નદાનની ઉપમાવાળું, વિધતુ લતા જેમ ચંચળ, અનિત્ય, સડણ-પsણ-વિદ્ધસણ ધમ, પૂર્વે કે પછી તેને અવશ્ય છોડવું પડશે. વળી હે માતા-પિતા ! કોણ જાણે છે કે પહેલાં કોણ
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy