________________
૧/૯/ભૂમિકા
૨૦૩
Ð શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૯ “ધર્મ” છે ભૂમિકા ઃ
આઠમાં પછી નવમું અધ્યયન કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - અનંતર અધ્યયનમાં બાલ અને પંડિત બે ભેદે વીર્ય બતાવ્યું. અહીં પણ તે જ પંડિતવીર્ય વડે
ધર્મમાં ઉધમ કરે, માટે અહીં ધર્મ' કહે છે. આ સંબંધથી “ધર્મ’ અધ્યયન આવેલ
છે. તેના ઉપક્રમાદિ ચાર અનુયોગદ્વારો કહે છે.
ઉપક્રમમાં અધિકારે અહીં ધર્મ કહીશું.
[નિ.૯] દુર્ગતિમાં જતા જીવને અટકાવે તે ધર્મ. દશવૈકાલિકના અધ્યયન૬-માં “ધર્માર્થકામ” નામે બતાવેલ છે. અહીં ભાવધર્મ અધિકાર છે. આ ભાવધર્મ
જ પરમાર્થથી ધર્મ છે. આ જ અર્થ પછીના બે અધ્યયનમાં છે તે કહે છે - આ જ
ધર્મ ભાવસમાધિ અને ભાવમાર્ગ છે એમ સમજવું અથવા આ જ ભાવધર્મ છે - ભાવસમાધિ છે - ભાવમાર્ગ છે. તેમાં પરમાર્થથી કોઈ ભેદ નથી. ધર્મ શ્રુત-ચાસ્ત્રિ નામે કે ક્ષાંતિ આદિ દશ ભેદે છે. ભાવસમાધિ પણ એ જ છે. સમ્યગ્ રીતે ક્ષમાદિ ગુણોનું આરોપણ તે સમાધિ. તે જ મુક્તિ માર્ગ પણ જ્ઞાનાદિ ભાવધર્મપણે કહેવો. હવે - ૪ - ધર્મ'ના નામાદિ નિક્ષેપ બતાવે છે–
[નિ.૧૦૦] ધર્મના નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવથી ચાર નિક્ષેપા છે. નામ, સ્થાપના છોડીને દ્રવ્યધર્મના ત્રણ ભેદ છે - જ્ઞ શરીર, ભવ્યશરીર, વ્યતિરિક્ત, વ્યતિરિક્તના ત્રણ ભેદ સચિત્ત, અચિત, મિશ્ર. સચિત્તનો જીવ શરીર ઉપયોગ લક્ષણ સ્વભાવ છે. અચિત્તમાં ધર્માસ્તિકાયાદિનો સ્વભાવ કહે છે. જેમકે ધર્માસ્તિકાયનો
ગતિધર્મ, અધર્માસ્તિકાયનો સ્થિતિ લક્ષણ, આકાશનો અવગાહના ધર્મ, પુદ્ગલનો ગ્રહણ લક્ષણ, મિશ્રનો તેના-તેના ધર્માનુસાર જાણવો - x - ગૃહસ્થોનો ધર્મ કુલનગર-ગ્રામાદિના રીવાજ મુજબ છે. અથવા દાન આપવું તે ગૃહસ્થોનો દ્રવ્યધર્મ જાણવો. કહ્યું છે કે - અન્ન, પાન, વસ્ત્ર, નિવાસ, શયન, આસન, શુશ્રૂષા, વંદન, તુષ્ટિ એ નવ પ્રકારે પુન્ય બંધાય.
[નિ.૧૦૧] ભાવધર્મ નોઆગમથી બે પ્રકારે - લૌકિક અને લોકોત્તર, લૌકિકના બે ભેદ-ગૃહસ્થોનો અને પાખંડીનો. લોકોત્તરના ત્રણ ભેદ-જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ. જ્ઞાનના મત્યાદિ પાંચ ભેદ. દર્શનના ઔપશમિક, સાસ્વાદન, ક્ષાયોપશમિક, વેદક, ક્ષાયિક પાંચ ભેદ. ચાસ્ત્રિના સામાયિકાદિ પાંચ ભેદ. - x - ગાથાની અંક સંખ્યા ઉક્ત ભેદાદિ અનુસાર સમજી લેવી. - ૪ -
હવે જ્ઞાન, દર્શન, ચારિત્રવાત્ સાધુનો જે ધર્મ છે, તે કહે છે—
[નિ.૧૦૨] સાધુના ગુણોને બાજુએ મૂકે તે પાસસ્થા, સંયમાનુષ્ઠાને કંટાળે તે અવસન્ન, ખરાબ આચારવાળો તે કુશીલ. આ ત્રણે સાથે સાધુએ પરીચય કે સંવાસ ન કરવો. આ સૂત્રકૃતાંગના ધર્મ અધ્યયનમાં બતાવેલ છે.
નામ નિષ્પન્ન નિક્ષેપો પૂરો થયો. હવે સૂત્રાનુગમમાં સૂત્ર કહે છે–
૨૦૪
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
સૂત્ર-૪૩૭ થી ૪૪૦ :
[૪૩૭] મતિમાન ભગવંતે કેવા ધર્મનું કથન કરેલ છે? જિનવરોએ મને સરળ ધર્મ [કહ્યો છે. તે તમે સાંભળો.
[૪૩૮,૪૩૯] બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ચંડાલ, બુક્કસ, એષિક, વૈશિક કે શુદ્ર કે કોઈ આરંભમાં આસકત છે...તે પરિગ્રહ મૂર્છિતનું વૈર વધતું જાય છે. તે આરંભ અને કામભોગ ક્ત જીવોના દુઃખનો અંત આવતો નથી.
[૪૪૦] મૃતવ્યક્તિની મરણક્રિયા કર્યા પછી વિષય અભિલાષી જ્ઞાતિવર્ગ, તેનું ધન હરી લે છે, પાપકર્મ કરનાર મૃત એકલો તેનું ફળ ભોગવે છે. * વિવેચન-૪૩૭ થી ૪૪૦ :
[૪૩] જંબુસ્વામી સુધર્માસ્વામીને પૂછે છે - દુર્ગતિમાં જતાં જીવોને ધારી રાખનાર કયો ધર્મ, માī – “કોઈ જીવને ન હણો'' એવી શિષ્યોને વાણી કહેનારા ભગવંત વીર વર્ધમાનસ્વામીએ કહ્યો છે? તે જ વિશેષથી કહે છે. જેના વડે ત્રણે કાળમાં જગત્ જેવું છે, તેને જાણનારી કેવલજ્ઞાન નામક મતિ જેમની છે, તેવા મતિવાળા અર્થાત્ કૈવલજ્ઞાન થયા પછી ભગવંતે કહ્યો. આ પ્રમાણે પૂછતા સુધર્માસ્વામી [તેને] જણાવે છે—
રાગદ્વેષને જિતે તે જિન, તેઓનો ધર્મ સરળ-માયા પ્રપંચ રહિત હોવાથી અવક્ર છે. મને યથાવસ્થિત કહ્યો છે, તે તમે સાંભળો. અન્યતીર્થિક માફક દંભપ્રધાન ધર્મ તેમણે કહ્યો નથી. “પાઠાંતર” થી - જન્મે તે જન-લોક. હે લોકો ! તે ધર્મ મારી પાસેથી તમે સાંભળો.
[૪૩૮] અન્વય-વ્યતિરેકથી કહેલ અર્થ યોગ્ય ગણાય, તેથી પ્રથમ ધર્મ કહ્યો, તેથી વિરુદ્ધ અધર્મ છે, અધર્મ આશ્રિતને બતાવે છે - બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ચાંડાલ, બુક્કસ [વર્ણશંકર] - જેમકે બ્રાહ્મણ અને શુદ્ર સ્ત્રીથી જન્મે તે નિષાદ, બ્રાહ્મણ અને વૈશ્ય સ્ત્રીથી જન્મેલી અંબઠી અને નિષાદ તથા અંબષ્ઠીથી જન્મે તે બુક્કસ, એષિક-મૃગ આસક્ત હસ્તિ તાપસ. માંસના હેતુથી મૃગો અને હાથીને શોધે, કંદ-મૂલ-ફલ ખાય. વૈશિક-માયા પ્રધાન, કળાથી જીવતા વણિકો, શૂદ્રો-ખેતીથી જીવનારા આભીર વગેરે. - x - તેમજ જે બીજા વર્ણવાળા જુદા જુદા સાવધજીવહિંસાયુક્ત એવા યંત્રપીલણ, નિછિન કર્મ કરનાર, અંગાર-દાહ આદિથી જીવોને દુઃખ દેનારા તે બધાંના વૈર વધે છે - તે હવેની ગાથામાં કહે છે—
[૪૩૯] ચોતફથી ગ્રહણ થાય તે પરિગ્રહ. - દ્વિપદ, ચતુષ્પદ, ધન, ધાન્ય, હિરણ્ય, સુવર્ણ આદિમાં મારાપણું ધારે, તેમાં ગૃદ્ધત્તા રાખતાં [તેના આરંભથી પૂર્વોક્ત આરંભી જીવોને અસાતા વેદનીયાદિ પાપ ઘણાં વધે છે. જેમાંથી સેંકડો ભવે પણ છુટવું મુશ્કેલ છે. અથવા પાઠાંતરથી - જે - જે પ્રાણીને જેવી પીડા આપે, તેના વડે સંસારમાં સેંકડો ગણું દુઃખ ભોગવે છે. જમદગ્નિ અને કૃતવીર્ય માફક ધૈર પરંપરા પુત્ર-પૌત્ર સુધી વધે છે. શા માટે ? કારણ કે તેઓ કામ-ભોગમાં પ્રવૃત્ત, આરંભમાં પુષ્ટ છે, આરંભો જીવઘાતક છે, તેથી તે કામસંભૃત, આરંભ નિશ્ચિત, પરિગ્રહાસક્ત