SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૯/-/૪૩૩ થી ૪૪ ૨૦૫ ૨૦૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ દુઃખ દેનારા એવા આઠ પ્રકાસ્ના કર્મોને દૂર કરનારા થતા નથી. [૪૪] વળી જેમાં પ્રાણીના દશવિધ પ્રાણોને આઘાત થાય, હણાય કે વિનાશ થાય તે આઘાત કે મરણ. તે માટે કે તેમાં અગ્નિસંસ્કારાદિ - X• મરણ ક્રિયા કરીને પછી તેનાં સ્વજન, પુત્ર, પત્ની આદિ સંસારસુખના ઇચ્છુકો, તે મરનારે દુઃખે મેળવેલ ધન લઈ લે છે, તે બતાવે છે - હે રાજા ! જેણે દ્રવ્ય મેળવીને તે દ્રવ્યથી રુમીઓ એકઠી કરી હોય, તેની સાથે બીજા પુરુષો હષ્ટ-તુષ્ટ થઈને, અલંકારાદિ પહેરી રમણ કરે છે. તે દ્રવ્યપાતિમાં રત સાવધ અનુષ્ઠાન કર્મ કરનાર પાપી પોતાના કર્મોથી સંસારમાં પીડાય છે. તેનું ઘર વાપરનારા સ્વજનો તેનું રક્ષણ કરતા નથી તે કહે છે • સૂત્ર-૪૪૧ થી ૪૪૩ - [૪૧] કમનુસાર દુઃખ ભોગવતાં પાણીને માતા, પિતા, પુત્રવધુ, ભાઈ, પની કે ઔરસપુત્ર, તેની રક્ષા કરી શકતા નથી. ૪િ૪ઈ પરમાર્થગામી ભિક્ષ આ અર્થને સમજીને, નિર્મમ-નિરહંકાર થઈ જિનોn ધર્મ આચરે, [૪૪] ધન, પુત્ર, વજન અને પરિગ્રહને છોડીને; આંતરિક શોકને છોડીને ભિ નિરપેક્ષસાંસારિક પદાથની અપેક્ષા ન રાખીને વિચરે. • વિવેચન-૪૪૧ થી ૪૪૩ - [૪૪૧] માતા, પિતા, પુત્રવધૂ, ભાઈ, પત્ની, સ્વ પુત્ર તથા સસરો આદિ તને સંસારચક્રમાં સ્વકર્મથી પીડાતી વખતે રક્ષણ કરવા સમર્થ નથી. • x • અહીં દષ્ટાંત કહે છે - કાલસૌરિકનો સુલસ નામે પુત્ર અને અભયકુમારનો મિત્ર, તે મહાસત્વને સ્વજને કહ્યું તો પણ જીવહત્યા ન કરી.. [૪૪] વળી ધર્મરહિત પોતાના કરેલાં કાર્યથી ડૂબતાં પ્રાણીને આલોક કે પરલોકમાં કોઈ રક્ષણ કરનાર નથી. એવું વિચારી-સમજીને પ્રધાનભૂત એવા મોક્ષ કે સંયમને આદરે, તે પરમાર્થ અનુગામી - સમ્યગ્ર દર્શનાદિ છે, તેને જોઈને • x • બાહ્ય અત્યંતર વસ્તુનું મમત્વ છોડી નિર્મમ બને તથા અહંકાર રહિત બને. પૂર્વના ઐશ્વર્ય, જાતિ આદિ મદને છોડે. તપ, સ્વાધ્યાય, લાભાદિ જનિત અહંકારને છોડે. અર્થાત્ રાગ-દ્વેષરહિત થાય. આવો ઉત્તમ સાધુ જિનેશ્વરે કહેલ કે આદરેલ માર્ગ અથવા જિનેશ્વરના કે સંબંધી માગને આચરે. [૪૪] વળી સંસારના સ્વભાવનો જ્ઞાતા, પરિકર્મિત મતિ, તત્વજ્ઞ સારી રીતે તજીને - શું તજીને દ્રવ્ય અને પુત્રોને. અહીં પુત્રનું ગ્રહણ કર્યું કેમકે તેનો અધિક સ્નેહ હોય છે . તથા સ્વજનોને તજીને, અંતર મમત્વરૂપ પરિગ્રહ તરે છે. અહીં * કતા' એટલે દુષ્પરિત્યજ્ય મંતવ અથવા એટલે વિનાશકારી. અથવા આત્મામાં રહે તે આંતર શોક સંતાપ છોડીને અથવા શ્રોત એટલે મિથ્યાવ, અવિરતિ, પ્રમાદ, કપાયરૂપ કમશ્રિવદ્વાને તજીને અથવા પાઠાંતરી અંતને પામે તે અંતગ અને અંતર નહીં તે અનંતગ શ્રોત કે શોકને છોડીને નિરપેક્ષ - પુગ, સ્ત્રી, ધન, ધાન્ય, ચાંદી, સોનું વગેરેની ઇચ્છા છોડીને મોક્ષપર્યન્ત સંયમાનુષ્ઠાનમાં રહે. કહ્યું છે કે - અપેક્ષા રાખનાર ઠગાયા અને નિરપેક્ષ રહ્યા તે સંસાર કાંતારને તરી ગયા. તેથી પ્રવચનનો સાર સમજનારે નિરપેક્ષ રહેવું. ભોગેચ્છુ જીવો ઘોર સંસારમાં પડે છે અને નિરપેક્ષ રહેનારા સંસારરૂપી કાંતારથી પાર ઉતરી જાય છે. • સૂત્ર-૪૪૪ થી ૪૪૮ : [૪૪] પૃથવી, પાણી, અગ્નિ, વાયુ, વ્રણ, વૃક્ષ, બીજક, અંડજ, પોતજ, જરાયુજ, રસજ, વેદ, ઉદ્િભજ... [૪૪] આ છ કાય જીવોને હે વિજ્ઞ! તમે જાણો. મન-વચન-કાયાથી તેનો આરંભ કે પરિગ્રહ ન કરો. [૪૪] હે વિજ્ઞ! મૃષાવાદ, મૈથુન, પરિગ્રહ, અદત્તાદાન લોકમાં શરુ સમાન તે જાણ. [૪૪] માયા, લોભ, ક્રોધ, માન એ લોકમાં ધૂત ક્રિયા છે, તેમ તું સમજ... [૪૪૮] હે વિજ્ઞ! ધોવણ, રંગન, વમન, વિરેચન, વસ્તિકર્મ, શિરોવેધને જાણીને ત્યાગ કર. • વિવેચન-૪૪૪ થી ૪૪૮ - તે આ રીતે પ્રવજિત, સુવતમાં રહેલ આત્મા અહિંસાદિ વ્રતોમાં યત્ન કરે. તેમાં અહિંસા પ્રસિદ્ધિ માટે કહે છે - પૃથ્વી આદિ શ્લોક (સૂગ-૪૪૪,૪૪પમાં] બતાવે છે • પૃથ્વીકાયિકો સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત ભેદથી છે તથા અકાય, અગ્નિકાય, વાયકાયના જીવો તેમજ છે. વનસ્પતિકાયને થોડા ભેદથી કહે છે - તૃણ એટલે કુશ, વસ્ય આદિ, વૃક્ષ - આંબો, અશોક આદિ, બીજવાળા તે સબીજ - શાલિ, ઘઉં, ચવ આદિ. આ બધાં એકેન્દ્રિયો પાંચે પણ કાયો [જીવો છે. હવે ત્રસકાય કહે છે - ઇંડાથી જમે તે અંડજ - સમળી, ગરોળી, સાપ વગેરે. પોત રૂપે જન્મે તે પોતજ - હાથી, શરમ આદિ. જરાયુજ - પાતળી ચામડીની વાટેલા ગાય, મનુષ્ય આદિ. સમાં જન્મેલા સજ તે દહીં, સૌવીક આદિ. પરસેવાથી થયેલા તે સંસ્વેદજ - જ, માંકડ આદિ. ઉદિભજ્જ-ખંજરીટક, દેડકાં આદિ. અજ્ઞાતભેદો-દુ:ખથી રક્ષણ માટે છે. [૪૪૫] આ છ કાયો કસ, સ્થાવર રૂપે છે, તેમાં સૂક્ષ્મ-મ્બાદ-પર્યાપ્તક પિયપ્તિક ભેદો છે, તેનો આરંભ કે પરગ્રહ ન કરે. • x • તેને ભણેલો જ્ઞ પરિજ્ઞાથી જાણે, પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી મન-વચન-કાયા વડે જીવોને પીડા કરનાર આરંભ તથા પરિગ્રહને છોડે. [૪૪૬] શેષ વ્રતોને આશ્રીને કહે છે - જૂઠું બોલવું તે મૃષાવાદ. તેને વિદ્વાનું પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છોડે તથા બહિદ્ધ એટલે મૈથુન તથા અવગ્રહ તે પરિગ્રહની ચાયના ન કરી હોય તો અદત્તાદાન અથવા બહિદ્ધ તે મૈથુન અને પરિગ્રહ અને અયાયિત અવગ્રહથી અદત્તાદાન લીધું. આ મૃષાવાદ આદિ પ્રાણીઓને ઉપતાપ કરનાર હોવાથી શસ્ત્ર જેવા છે જેના વડે આઠ કર્મો ગ્રહણ થાય તે આદાન-કમ ઉપાદાનના કારણો છે, તે જ્ઞ પરિજ્ઞા વડે જાણે અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે છોડે, [૪૪] કપાસીને પંચમહાવ્રત ધારવા પણ નિષ્ફળ થાય છે. તેથી તેની સફળતા માટે કપાયનો વિરોધ કરવો તે બતાવે છે . જેના વડે બધી રીતે વકતા થાય, તે માયા અનુષ્ઠાન થાય તે માયા કહેવાય. જેના વડે આત્મા સર્વક ચંચળ બને તે
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy