SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૨, ભૂમિકા ૧૧ સૂત્રાર્થનું કથન તે અનુયોગ છે. તેનાં દ્વારોને ઉપાયો, વ્યાખ્યાંગ કહેવા. આ ચાર દ્વારો ઉપક્રમ, નિક્ષેપ અનુગમ, નય છે. તેમાં ઉપકમ બે છે - શાસ્ત્રીય અને લૌકિક. નિક્ષેપા ત્રણ છે - ઓઘનિપજ્ઞ, નામનિષ્પન્ન, સૂબાલાપકનિષજ્ઞ અનુગમ બે છે - સૂકાનુગમ, નિયુક્તિઅનુગમ. નયો-નૈગમ આદિ સાત છે. શાસ્ત્રીય ઉપક્રમમાં અર્વાધિકાર બે છે - અધ્યયનનો અને ઉદ્દેશાનો. તેમાં અધ્યયન અધિકાર શસ્ત્રપરિજ્ઞામાં કહ્યો છે. ઉદ્દેશ અધિકાર અહીં બતાવે છે. [નિ.૧૬૩] પહેલા ઉદ્દેશાના અધિકારમાં માતા-પિતાદિમાં રગ ન કરવો તેમ બતાવ્યું છે માટે આગળ સૂગ છે - માયા આદિ. બીજ ઉદ્દેશામાં સંયમમાં અદૃઢતા ન કસ્વાનું અને વિષય-કપાયાદિમાં અદઢપણું કરવાનું કહ્યું કે 'મારે મા ' સુગમાં પણ છે. ત્રીજા ઉદ્દેશામાં ‘માન એ અર્થસાર નથી' તેમ બતાવે છે કેમકે જાતિ વગેરેથી ઉત્તમ સાધુએ - Xx- મદના સ્થાને માન ન કરવું. કહ્યું છે કે માવા વગેરે. ચોથા ઉદ્દેશામાં કહ્યું, ભોગમાં પ્રેમ ન રાખવો. સૂત્રમાં ભોગના વિપાક કહ્યા છે. જેમકે ‘થતી .' પાંચમાં ઉદેશામાં ‘લોકનિશ્રા' અધિકાર છે. સાધુએ સંયમાર્ગે દેહના પ્રતિપાલન માટે લોકોએ પોતાના માટે આરંભ કરેલ વસ્તુ લેવી જોઈએ. સૂત્રમાં તે માટે કહ્યું છે - સમુટ્ટા ઝUT To ઉદ્દેશા-૬માં ‘લોકમમવ ત્યાગ' કહ્યો. પૂર્વ કે પછીના પરિચીત લોકોમાં મમત્વ ન કરવું. કમળની જેમ નિર્લેપ રહેવું. સુગમાં પણ ને માન આદિ કહ્યું છે. આ અધ્યયનનું નામ લોકવિજય છે. નામ નિક્ષેપાથી લોક અને વિજય એમ બે પદનો નિક્ષેપ કરવો. તેમાં ગાલાપક નિપજ્ઞ નિક્ષેપમાં નિક્ષેપ યોગ્ય સૂત્ર પદોના નિક્ષેપ કરવા. સૂત્રમાં મૂળ ‘લોક' શબ્દનો અર્થ કપાય કર્યો છે. તેથી કષાયના નિક્ષેપા કહેવા. તે પ્રમાણે નામ નિષ ભવિષ્યના સૂત્ર આલાપક નિષ્પન્ન નિક્ષેપા આદિ સંબંધે • x • x • નિયુક્તિકાર કહે છે [નિ.૧૬] લોક, વિજય, ગુણ, મૂળ, સ્થાન એ પાંચનો નિણોપો કરવો જોઈએ અને જે મૂળ છે તે સંસાર છે, તેથી તેનો નિક્ષેપો કરવો જોઈએ. આ સંસાનું મૂળ કપાય છે, કેમકે નક, તિર્યંચ, મનુષ્ય, દેવગતિરૂપ સંસાર જ સ્કંધ છે; ગર્ભ, નિષેક, કલલ, અબુદ, માંસપેશી, જન્મ, જરા, મરણ આદિ તેની શાખા છે, દારિદ્યાદિ અનેક દુ:ખ નિપજ્ઞ પાંદડા છે, વળી પ્રિયવિયોગ, અપ્રિયસંયોગ, અર્થનાશ, રોગ વગેરે સેંકડો કુલોનો સમૂહ છે. શારીરિક માનસિક દુઃખસમૂહ તેના ફળ છે. આવા સંસારવૃક્ષના મૂળ કષાયો છે. આ પ્રમાણે નામ અને સૂકાલાપક નિક્ષેપામાં સંભવિત પદોને નિયુક્તિમાં કહેશે. [નિ.૧૬૫] લોક, વિજય, અધ્યયન, લક્ષણ, ગુણ, મૂળ, સ્થાન તથા સૂબાલાયક નિષa આદિ ટૂંકમાં કહ્યું. તેમાંથી લોક અને વિજયનો નિક્ષેપ હવે કહે છે [નિ.૧૬૬] લોકનો નિક્ષેપ આઠ પ્રકારે અને વિજયનો છ પ્રકારે છે. ભાવમાં કષાયલોકનો અધિકાર છે અને તેનો વિજય કરવાનો છે. ૧૧૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ જે દેખાય તે લોક. આ લોક ધમસ્તિકાય, અધમસ્તિકાયથી વ્યાપ્ત, બાકીના દ્રવ્યોના આધાભૂત, વૈશાખ સ્થાન - કમરની બંને બાજુએ બન્ને હાથ રાખી, પણ પહોળા કરી ઉભા રહેલા પુરુષની માફક રોકાયેલ આકાશ ખંડ લેવો. અથવા પાંચ અસ્તિકાયાત્મક લોક જાણવો. આ લોકનો આઠ પ્રકારે નિક્ષેપ છે - નામ, સ્થાપની, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ અને પર્યાવ. ‘વિજય’ શબ્દના અભિભવ, પરાભવ, પરાજય એ પર્યાયો છે. તેનો નિક્ષેપ છ ભેદે કહીશું. અહીં લોકના આઠ ભેદમાંથી ભાવલોકનો અધિકાર હોવાથી ભાવિનોપો લીધો. આ ભાવ ઔદયિકાદિ છ ભેદે છે. તેમાં પણ ઔદયિક ભાવ કષાયનો અધિકાર છે કેમકે તે સંસારનું મૂળ છે. દયિક ભાવ કષાયલોકનો વિજય કરવા આ બધું કહ્યું. ‘લોક' શબ્દનો નિક્ષેપો કહીને હવે વિજયના છ ભેદે નિક્ષેપ કહે છે [નિ.૧૬થે તેમાં “લોક’ શબ્દ આવશ્યકમાં ચતુર્વિશતિ સ્તવમાં વિસ્તારથી કહ્યો છે. - X - X - તેનો અહીં શું સંબંધ છે ? - તે કહે છે– અપૂર્વકરણથી ાપક શ્રેણિ એ ચઢનાર પુરપ લાકડાં જેમ અગ્નિને બાળે તેમ કમરૂપી લાકડાને ધ્યાનરૂપી અગ્નિ વડે બાળે છે. તેનાથી કેવળજ્ઞાન પ્રાપ્ત થતા તીર્થકર નામકર્મ ઉદયમાં આવે છે. તેનાથી ચોકીશ અતિશય યુક્ત એવા શ્રી વર્ધમાનસ્વામીએ હેય-ઉપાદેય પદાર્થને જણાવવા દેવ અને મનુષ્યની પર્ષદામાં ‘આચાર' સૂત્રનો અર્થ કહ્યો. તેને મહામતિ અને અચિંત્ય શક્તિવાળા ગીતમાદિ ગણધરોએ સર્વે જીવોના ઉપકારને માટે તેને આચારાંગ સૂત્રરૂપે ગુંચ્યું - જ્યારે આવશ્યક સૂત્ર અંતર્ગત ચતુર્વિશતિસ્તવની નિયુક્તિ ત્યારપછી થયેલા કાળમાં થયેલ ભદ્રબાહુ સ્વામીએ કહી છે તેથી, તે અયુકત છે. કેમકે પૂર્વકાળમાં બનેલ આચારાંગનું વ્યાખ્યાન કરતા પછીથી થયેલ ચતુવિંશતિ સ્તવનો હવાલો દેવો યોગ્ય છે ? - આ પ્રમાણે કોઈ કોમળ બુદ્ધિવાળા શિષ્યને શંકા થઈ. આચાર્ય કહે છે - આમાં કોઈ દોષ નથી. કેમકે આ નિર્યુક્તિનો વિષય છે. ભદ્રબાહસ્વામીએ પહેલા આવશ્યક નિર્યુક્તિ રચી, પછી આચારાંગ નિયુક્તિ સ્ત્રી માટે દોષ નથી. કહ્યું છે કે - આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન અને આચારાંગાદિ...નિયુક્તિ ચી. ‘વિજય’ શબ્દના નામ અને સ્થાપના નિક્ષેપ સુગમ છે. તેથી દ્રવ્યાદિ નિફોષ કહે છે - દ્રવ્ય વિજયમાં ‘જ્ઞ’ અને ‘ભવ્ય' છોડીને ભતિરિક્તમાં - દ્રવ્ય વડે, દ્રવ્યથી કે દ્રવ્યમાં વિજય - જેમકે - કડવો તીખો કસાયેલો આદિ ઔષધથી સળેખમ આદિ રોગનો વિજય અથવા સજ કે મલનો જે વિજય થવો તે ક્ષેત્રવિજય - છ ખંડ ભરતને જીતવું કે જે ક્ષેત્રમાં વિજય થાય છે. કાળ વડે વિજય તે કાળ વિજય. જેમકે ભરતે ૬૦,૦૦૦ વર્ષે ભરતખંડ જીત્યો. અહીં કાળની પ્રધાનતા છે. અથવા મૃતક કર્મમાં એણે માસ જીત્યો. અથવા જે કાળમાં વિજય થાય છે. ઔદયિકાદિ એક ભાવનું ભાષાંતરથી ઔપશમિકાદિ ભાવે થતો વિજય.
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy