________________
૧/૧/૨/ભૂમિકા
ૐ અધ્યયન-૧ ઉદ્દેશો-૨ “પૃથ્વીકાય” ર્મ
૫૫
• ભૂમિકા :
પહેલો ઉદ્દેશો કહ્યો. હવે બીજો ઉદ્દેશો કહે છે. તે બંનેનો સંબંધ આ પ્રમાણે છે. ઉદ્દેશક-૧માં સામાન્યથી જીવનું અસ્તિત્વ સિદ્ધ કર્યું. હવે તે જીવના એકેન્દ્રિયાદિ પૃથ્વી આદિનું અસ્તિત્વ પ્રતિપાદિત કરવા કહે છે. અથવા પૂર્વે પરિજ્ઞાત કર્મત્વને મુનિપણાનું કારણ બતાવ્યું. પણ જે અપરિજ્ઞાતકર્મપણાથી મુનિ ન બને, વિરતિ ન લે, તે જીવ પૃથ્વી આદિ યોનિમાં ભમે છે. હવે આ પૃથ્વી વગેરે શું છે ? તેના વિશેષ અસ્તિત્વને જણાવવા આ બીજો ઉદ્દેશક કહે છે.
આ બીજા ઉદ્દેશકના ચાર અનુયોગદ્વારોમાં કહેલા નામ નિષ્પન્ન નિક્ષેપામાં “પૃથ્વી” એ ઉદ્દેશો છે. તેના નિક્ષેપા અન્યત્ર કહ્યા હોવાથી અહીં બતાવતા નથી. પૃથ્વીના જે નિક્ષેષા આદિ સંભવે છે તે નિર્યુક્તિકાર કહે છે–
[નિ.૬૮] પૃથ્વી નિક્ષેપ, પ્રરૂપણા, લક્ષણ, પરિમાણ, ઉપભોગ, શસ્ત્ર, વેદના, વધ, નિવૃત્તિ. જીવના ઉદ્દેશકમાં જીવની પ્રરૂપણા કેમ ન કરી ? એવી શંકા ન કરવી. કેમકે જીવ સામાન્યનો આધાર જીવ વિશેષ છે અને તે પૃથ્વી આદિ સ્વરૂપ છે અને જીવ સામાન્યનો ઉપભોગ આદિ અસંભવ હોવાથી પૃથ્વી આદિની ચર્ચાથી જીવની ચિંતવના કરી છે. તેમાં પૃથ્વીનો નામ આદિ નિક્ષેપ કહેવો. તેના સૂક્ષ્મ-બાદર આદિ ભેદ કહેવા. સાકાર-અનાકાર ઉપયોગ લક્ષણ અને કાયયોગ આદિ કહેવા. લોકના પ્રતરના અસંખ્યેય ભાગ માત્ર પરિમાણ છે. શયન, આસન, ચંક્રમણરૂપ ઉપયોગ છે. સ્નેહ, આમ્લ, ક્ષારાદિ શસ્ત્ર, સ્વ શરીરમાં અવ્યક્ત ચેતનારૂપ સુખદુઃખનો સ્વભાવ એ વેદના જાણવી. કર્યુ, કરાવ્યુ, અનુમોધુ વડે જીવોનું ઉપમર્દનરૂપ વેદના અને મન, વચન, કાય, ગુપ્તિથી અપ્રમત્ત સાધુ જે જીવોને દુઃખ ન દેવું તે નિવૃત્તિ.
શબ્દોના આ ટૂંકા અર્થ છે, વિશેષ તો નિર્યુક્તિકાર અનુક્રમે કહે છે– [નિ.૬૯] નામ પૃથ્વી, સ્થાપના પૃથ્વી, દ્રવ્ય પૃથ્વી, ભાવ પૃથ્વી એ પ્રમાણે પૃથ્વીના ચાર નિક્ષેપા છે. નામ, સ્થાપના સુગમ હોવાથી હવે દ્રવ્ય પૃથ્વી નિક્ષેપ કહે છે—
[નિ.૭૦] દ્રવ્ય પૃથ્વી આગમથી અને નો આગમથી બે ભેદે છે. આગમથી જ્ઞાતા પણ તેમાં ઉપયોગ ન હોય. નો આગમથી ત્રણ ભેદ – (૧) જ્ઞ શરીર - પૃથ્વી પદાર્થને જાણનારનું મૃત શરીર, (૨) ભવ્ય શરીર - પૃથ્વીને ભવિષ્યમાં જાણનાર તે બાળક, (૩) તદ્બતિક્તિ તેના ત્રણ ભેદ છે - એકભવિક, બદ્ધઆયુષ્ક અને અભિમુખ નામગોત્રવાળો જીવ. ભાવ પૃથ્વી જીવ - જે પૃથ્વી નામાદિ કર્મના ઉદયને વેદે છે તે.
નિક્ષેપ દ્વાર પૂર્ણ થયું. હવે પ્રરૂપણા દ્વાર કહે છે–
[નિ.૭૧] લોકમાં પૃથ્વીકાયના બે ભેદ છે. સૂક્ષ્મ અને બાદર. સૂક્ષ્મ નામકર્મના ઉદયથી સૂક્ષ્મ અને બાદર નામકર્મના ઉદયથી બાદર. વ્યવહારમાં બોર અને આમળાનું
૫૬
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
પરસ્પર અપેક્ષાએ નાના મોટાપણું છે તે નહીં, પણ કર્મોના ઉદયથી સૂક્ષ્મ-બાદરપણું જાણવું.
જેમ દાબડામાં ભરેલ ગંધના અવયવો ફેંકતા તેમાંથી સુગંધ ઉડે પણ દેખાય નહીં તેમ સૂક્ષ્મ પૃથ્વીકાય સર્વલોકવ્યાપી છે. બાદર પૃથ્વીકાયના મૂળથી બે ભેદ છે.
[નિ.૭૨] સંક્ષેપમાં બાદર પૃથ્વીકાયના બે ભેદ છે - શ્લણ અને ખર. તેમાં શ્લણ બાદર પૃથ્વી કાળી, લીલી, લાલ, પીળી અને સફેદ ભેદે પાંચ પ્રકારે છે. અહીં ગુણના ભેદથી ગુણીનો ભેદ જાણવો. હવે ખરબાદર પૃથ્વીના ૩૬ ભેદ બતાવે છે.
[નિ.૭૩ થી ૭૬] ગાથા-૭૩માં ચૌદ ભેદ કહ્યા છે, ગાથા-૭૪માં આઠ, ગાથા૭૫માં દશ અને ગાથા-૭૬માં ચાર ભેદ એ રીતે કુલ ૩૬ ભેદ કહ્યા છે. તે આ પ્રમાણે—
પૃથ્વી, શર્કરા, વાલુકા, ઉપલ, શીલા, લુણ, ઉસ, લોઢું, તાંબુ, તરવું, સીસુ, રૂપુ, સોનું અને વજ્ર. (તથા) હરતાલ, હિંગલોક, મણશીલ, સાસક, સુરમો, પરવાળો, અભ્રકના પતરા, અભ્રકની રેતી એ બાવીશ બાદરકાયના ભેદો છે. હવે મણિના ભેદો કહે છે.
ગોમેદ, રૂચક, અંક, સ્ફટિક, લોહિતાક્ષ, મસ્કત, મસાર્ગલ, ભુજ મોચક અને ઇન્દ્રનીલ (તથા) ચંદ્રપ્રભ, ધૈર્ય, જલકાંત અને સૂર્યકાંત એમ ખર બાદર પૃથ્વીના ૩૬ ભેદો જાણવા. આ પ્રમાણે સૂક્ષ્મ અને બાદર પૃથ્વીના ભેદો કહ્યા. હવે વર્ણાદિ ભેદ કહે છે–
[નિ.૭] વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વિભાગથી સંખ્યાત યોનિઓ થાય છે અને એક એક વિભાગમાં પુનઃ અનેક સહસ્ર યોનિઓ થાય છે. તેમાં–
સફેદ આદિ પાંચ વર્ણ, તિક્ત આદિ પાંચ રસ, સુરભી-દુરભી બે ગંધ, મૃદુકર્કશ આદિ આઠ સ્પર્શ. આ એક-એક વર્ણાદિમાં પણ સંખ્યાત યોનિઓ છે. પણ સંખ્યાતના અનેક પ્રકારો થાય છે. તેથી તેની ભિન્ન ભિન્ન સંખ્યાને કહે છે. એક એક વર્ણાદિના અનેક હજાર ભેદો થાય છે. કેમકે આ ભેદો યોનિ અને ગુણોથી થાય છે. તે બધી મળીને સાત લાખ યોનિ પ્રમાણ છે. પ્રજ્ઞાપના સૂત્ર પદ-૧ માં પણ કહ્યું છે કે
“તેમાં જે પર્યાપ્તા છે, તે પોતાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ભેદથી હજારો ભેદો છે. લાખો યોનિઓ છે. પર્યાપ્તાની નિશ્રાએ અપર્યાપ્તા જીવો ઉત્પન્ન થાય છે. જ્યાં એક પર્યાપ્ત હોય ત્યાં અસંખ્યાત અપર્યાપ્ત પૃથ્વીજીવો નિયમા હોય છે. આ પ્રમાણે ખર બાદર પૃથ્વીકાય જાણવા.'' અહીં સંવૃત્ત યોનિવાળા પૃથ્વીકાયિક કહ્યા. તે સચિત્ત, અચિત, મિશ્ર તથા શીત, ઉષ્ણ, શીતોષ્ણ ભેદે જાણવા નિર્યુક્તિકાર
વિશેષથી કહે છે—
[નિ.૭૮] વર્ણાદિ એક એક ભેદમાં હજારો ભેદે જુદા જુદાપણું જાણવું. જેમકે સામાન્યથી કાળો વર્ણ છે. પણ તેમાં ભમરો, કોલસો, કોયલ, કાજળ આદિમાં ઓછી-વત્તી કાળાશરૂપ ભેદ છે, કોઈ કાળુ, કોઈ વધુ કાળુ વગેરે. એ પ્રમાણે લીલા