SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૧//ર/ભૂમિકા વગેરે બધા વમાં જાણવું. તે પ્રમાણે સ, ગંધ અને સ્પર્શમાં પણ જાણવું. વણ આદિના પરસ્પર સંયોગથી ધૂસર, કેશરી, કબૂર આદિ બીજા વર્ષોની ઉત્પત્તિ થાય છે. એ પ્રમાણે વિચારતા વર્ણ આદિના પ્રત્યેકમાં પ્રકર્ષ, અપકર્ષથી પરસ્પર તુલના વડે અનેક પૃથ્વી ભેદો જાણવા. હવે પૃથ્વીકાયના બીજા પણ પયતિક આદિ ભેદોને કહે છે– [નિ.૯] બાદર પૃથ્વીકાયના પર્યાપ્ત, અપયર્તિા બે ભેદ છે. સૂમ પૃથ્વીકાયના પણ પર્યાપ્તા અને પિતા બે ભેદો છે. બાદરપૃવીકાયના ભેદો બતાવ્યા તે જેટલા પતાના છે તેટલા જ પિતાના છે. આ તત્યતા ભેદને આશ્રીને જાણવી. જીવોને આશ્રીને નહીં. કેમકે એક પયપ્તિાને આશ્રીને અસંખ્યાત પિયતા હોય છે. સૂમ પણ પર્યાપ્તા અને અપયક્તિા એમ બે ભેદે જાણવા. પણ તેમાં એક અપર્યાપ્તાની નિશ્રામાં અસંખ્યાત પયતા નિશયથી જાણવા. આહાર, શરીર, ઇન્દ્રિયો, શ્વાસોચ્છવાસ, વચન અને મનનું નિર્માણ કરનાર છ પયતિ જાણવી. જન્માંતરચી આવીને ઉત્પન્ન થનાર જીવ સર્વ પ્રથમ પુદ્ગલોનું ગ્રહણ કરવાથી “કરણ" બને છે અને તે કરણથી જ આહાર લઈને ખલાસ આદિ રૂપ પરિણામ ઉત્પન્ન કરે છે. આ કરણ વિશેષને “આહાર પર્યાતિ' કહે છે. આ પ્રમાણે બીજી પાંચ પતિ જાણવી. - તેમાં એકેન્દ્રિય જીવોને આહાર, શરીર, ઇન્દ્રિય અને ઉચ્છવાસ નામની ચાર પતિઓ છે. આ ચાર પતિઓને જીવ અંતર્મુહૂર્તમાં ગ્રહણ કરે છે. જે ચારે પર્યાપ્તિને પૂર્ણ કરે છે તે જીવ પર્યાપ્તક કહેવાય છે અને જે પૂર્ણ નથી કરતા તે અપર્યાપ્તક જીવ છે. પૃથ્વીકાયનો વિગ્રહ – “પૃથ્વી જ જેની કાય છે તે.” જે રીતે સૂક્ષમ, બાદર ભેદો સિદ્ધ થાય છે, તથા પ્રસિદ્ધ ભેદો દૃષ્ટાંતથી કહે છે [નિ.૮૦] જે પ્રકારે વૃક્ષ, ગુલ્મ, લતા, વલ્લી, વલય આદિમાં જુદાજુદાપણું દેખાય છે, એ જ રીતે પૃથ્વીકાયમાં પણ વિવિધતા જાણવી. તેમાં આંબો આદિ વૃક્ષ છે, વેંગણ, શલ્લકી, કપાસ આદિ ગુચ્છ છે, નવલિકા, કોરંટક વગેરે મુભ છે, પુન્નાગ, અશોકલતા આદિ લતા છે. તુરીયા, વાલોર, કોશાતકી વગેરે વલ્લી છે. કેતકી, કેળ વગેરે વલય છે. ફરી પણ વનસ્પતિના ભેદના દેહાંતથી પૃથ્વીના ભેદો કહે છે. [નિ.૮૧ જેમ વનસ્પતિના ઔષધિ વગેરે ભેદ છે, તેમ પૃથ્વીકાયના પણ જાણવા, તેમાં શાલિ આદિ ઔષધિ, દર્ભ આદિ તૃણ, પાણિ ઉપરના મેલ રૂ૫ શેવાળ, લાકડા આદિ પરની લીલ, કુગ તે પનક જે પંચવર્ષીની હોય છે, સૂરણકંદ આદિ કંદ, ઉશીર આદિ મૂળ. આ બધાં સૂક્ષમ હોવાથી તેના એક, બે વગેરે ભેદ થતા નથી. (દેખાતા નથી) હવે જેની સંખ્યા થઈ શકે તે બતાવે છે - (જે દેખાય છે તે કહે છે.) [નિ.૮૨] એક, બે, ત્રણ ચાવતું સંખ્યાત જીવો જ્યાં એક સાથે એક એક શરીરમાં રહેતા હોવા છતાં દેખાતા નથી, પણ જ્યાં પૃથ્વીકાયના અસંખ્ય જીવ એકઠાં થાય છે, ત્યારે જે ચર્મચક્ષવાળા પ્રાણી તેને જોઈ શકે છે. પણ આ પૃથ્વીકાયમાં પણ જીવ છે, એવું કઈ રીતે જાણવું ? તેનો ઉત્તર આપે છે કે - પૃથ્વીકાયમાં રહેલ શરીરની ઉપલબ્ધિથી તે શરીરમાં રહેનાર આત્માની પ્રતીતિ થાય છે. જેમ ગાય, ઘોડા વગેરેની પ્રતીતિ થાય છે તેમ અહીં પણ જાણવું. આ વાતને હવે જણાવે છે [નિ.૮૩] અસંખ્ય પૃથ્વી, કંકર આદિ બાદરશરીરવાળા પૃથ્વીકાય જીવ શરીરના દ્વારા જ પ્રત્યક્ષ થાય છે. બાકીના સ્મશરીરવાળા પૃથ્વીકાય જીવો જગતમાં છે, પણ તે માત્ર જિનવયનથી જ ગ્રાહ્ય થાય છે, કેમકે તે ચક્ષ વડે દેખાતા નથી. અહીં નિયુક્તિમાં જે '૪' શબ્દ છે તેનો અર્થ ચક્ષનો “વિષય” કરવો. પ્રરૂપણા દ્વાર પૂરું થયું. હવે લક્ષણ દ્વાર કહે છે [નિ.૮૪] ઉપયોગ, યોગ, અધ્યવસાય, મતિ અને શ્રુતજ્ઞાન, ચક્ષુદર્શન, આઠ કર્મોનો ઉદય, લેગ્યા, સંજ્ઞા, ઉચ્છવાસ અને કષાય પૃથ્વીકાયમાં હોય છે. તેમાં (૧) ઉપયોગ - પૃથ્વીકાયાદિ જીવોમાં ત્યાનધૈિનિદ્રાના ઉદયથી જ્ઞાન-દર્શન સ્વરૂપ અવ્યક્ત ઉપયોગ શક્તિ હોય છે. એ જ રૂપે ઉપયોગ લક્ષણ છે. (૨) યોગ - મણ કાયયોગ છે. ઔદાકિ, દારિક મિશ્ર તથા કામણરૂપ કાયયોગ છે, જે કર્મવાળા જીવને વૃદ્ધ માણસની લાકડી સમાન આલંબનરૂપ છે. (3) અધ્યવસાય - આત્માનો સૂમ પરિણામ છે. તે જ લક્ષણ છે. જે મૂર્શિત મનુષ્યના મનમાં થનારા ચિંતન સ્વરૂપ છે, પરંતુ તેને છવાસ્થ જીવો જાણી શકતા નથી. (૪) મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન - પૃથ્વીકાયિક જીવોને સાકાર ઉપયોગ સ્વરૂપ હોય. (૫) અચક્ષુદર્શન - સ્પર્શ ઇન્દ્રિય વડે અચક્ષુદર્શન પામેલા જાણવા. (૬) આઠક - આઠે પ્રકારના કર્મોના ઉદયની અને બંધની ભજના હોય. (૩) લેશ્યા - અધ્યવસાય સ્વરૂપ કૃષ્ણ, નીલ, કપોત, તૈજસ લૈશ્યા તેમને હોય. (૮) સંજ્ઞા - આહારાદિ દશ સંજ્ઞા અને (૯) સૂક્ષ્મ શ્વાસોચ્છવાસ હોય છે. - કહ્યું છે કે, હે ભગવન્! પૃવીકાયિક જીવો શ્વાસ વગેરે લે છે ? હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીવો અટક્યા વિના સતત શ્વાસ, નિઃશ્વાસ આદિ લે છે, (૧૦) કષાય પૃથ્વીકાયિક જીવોને સૂક્ષ્મ ક્રોધાદિ કષાયો પણ હોય છે. આ પ્રમાણે પૃથ્વીકાયિક જીવોમાં જીવલક્ષણરૂપ ઉપયોગાદિ બધાં ભાવ હોય છે અને તે જીવ લક્ષણ સમૂહયુક્ત હોવાથી મનુષ્ય માફક પૃથ્વીકાય પણ સયિત છે. પ્રશ્ન - આ તમે અસિદ્ધ વડે જ અસિદ્ધને સિદ્ધ કર્યું. કેમકે ઉપયોગ આદિ લક્ષણ પૃથ્વીકાયમાં પ્રગટ દેખાતા નથી. (ઉત્તર) સત્ય છે. પણ પૃથ્વીકાયમાં આ લક્ષણો અવ્યક્ત હોય છે જેમકે - કોઈ માણસ ઘણો જ નસો ચડે તેવું મદિર પાન કરે, તેનું ચિત્ત વ્યાકુળ થતાં પ્રગટ ભાન ન રહે પણ અવ્યક્ત ચેતના હોય જ. તેથી
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy