________________
વ્યાખ્યાન-૬
૧૧૩
૧૧૮
કલ્પ [બારસા સૂત્ર
• [૧૫૧] શ્રમણ ભગવાન મહાવીરને મોક્ષ પ્રાપ્ત કરનારા સાધકોની બે જાતની ભૂમિકા હતી. યુગાંતકૃતભૂમિકા અને પર્યાયાંતકૃતભૂમિકા.
સમય સુધી છદ્મસ્થ શ્રમણ પર્યાયમાં રહીને, ત્યારપછી ત્રીસ વરસથી કંઈક ઓછા વખત સુધી કેવળ પર્યાય પ્રાપ્ત કરીને બોંતેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, વેદનીય, આયુ, નામ ગોત્ર કર્મ ક્ષીણ થયા પછી.
યુગાંતકૃત ભૂમિકા અથ કે જે સાધક અનુક્રમે મુક્તિ પ્રાપ્ત કરે. આ પ્રકારે જે અનુક્રમે મુક્તિ પ્રાપ્ત કરવામાં આવે છે તે યુગાંતકૃત-ભૂમિકા કહેવાય છે.
આ અવસર્પિણી કાળનો દુષમ-સુષમ નામનો ચોથો આરો ઘણો પસાર થયા પછી તે ચોથા આરાના ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના બાકી રહેતાં, મધ્યમ પાવા નગરીમાં હસ્તિપાલ રાજાની રજૂક સભામાં એકલાં, છઠ તપની સાથે સ્વાતિ નક્ષત્રનો યોગ થતાં જ, પ્રત્યુષ કાળના સમયે (ચાર ઘડી રાત બાકી રહે ત્યારે) પથંકાસને બેઠેલા ભગવાન.
પર્યાયાંતકૃત્ ભૂમિકા અર્થાત્ ભગવાનને કેવળજ્ઞાન થયા પછી જે સાધક મુક્તિ પ્રાપ્ત કરે તેની તે મોક્ષ સંબંધી પર્યાયાંતકૃત ભૂમિકા કહેવાય છે.
ભગવાનથી ત્રીજા પુરુષ સુધી યુગાંતકૃતભૂમિકા હતી. અર્થાત્ ભગવાન પ્રથમ મોક્ષે ગયા, તેમના પછી તેમના શિષ્યો મોક્ષે ગયા અને તેમના પછી તેમના પ્રશિષ્ય જંબૂસ્વામી મોક્ષે ગયા. આ પ્રમાણે યુગાંતકૃતભૂમિકા જંબૂસ્વામી સુધી ચાલી અને તે પછી બંધ થઈ ગઈ.
કલ્યાણફળ-વિપાકના પંચાવન અધ્યયન અને પાપફળ-વિપાકના બીજા પંચાવન અધ્યન અને અપૃષ્ટ અર્થાત્ બીજા કોઈ વડે પ્રશ્ન નહિ કરવામાં આવેલ છતાં તેનાં સમાધાન કરનારા છત્રીસ અધ્યયનોને કહેતાં કહેતાં કાળધર્મને પ્રાપ્ત થયા, સંસાર તજીને ચાલ્યા ગયા, ઉર્ધ્વગતિને પ્રાપ્ત થયા.
ભગવાનને કેવળજ્ઞાન થયા પછી ચાર વર્ષ પછી તેમના શિષ્યોનો મુક્તિગમન પ્રારંભ થયો.
તેમના જન્મ-જરા-મરણનાં બંધન વિચ્છિન્ન થઈ તેઓ સિદ્ધ થયા. બુદ્ધ થયા, મુક્ત થયા, સંપૂર્ણ કર્મોનો તેમણે નાશ કર્યો. બધી જાતના સંતાપોથી મુક્ત થયા. તેમનાં સંપૂર્ણ દુઃખો નષ્ટ થઈ ગયાં.
• [૧૫] તે કાળે સમયે શ્રમણ ભગવાન મહાવીર ત્રીસ વરસ સુધી ગૃહવાસમાં રહીને, બાર વરસથી પણ વધુ