SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ ૨૮/૧૧૦૬ (૩) વિચિકિત્સા - ફળ પ્રતિ સંદેહ, આ કષ્ટનું ફળ મળશે કે નહીં મળે. અથવા સાધુની જુગુપ્સા, આ મેલા ઘેલા શું રહેતા હશે? વગેરે નિંદા, તેનો અભાવને નિર્વિચિકિત્સા કે નિર્વિગુપ્સા. (૪) અમૂઢદૃષ્ટિ કુતીર્થિકોની ઋદ્ધિ જોઈને પોતાના દર્શનમાં અરુચિ ન કરે. મોહવિરહિતા એવી દષ્ટિ અર્થાત્ બુદ્ધિ જેની છે તે અમૂટદેષ્ટિ. એમ ચાર અંતર આચાર કહ્યા. હવે બાહ્ય કહે છે - (૫) ઉપબૃહણા - ગુણીજનોની પ્રશંસા દ્વારા તેમના ગુણમાં વૃદ્ધિ કરવી, જેમકે દર્શનાદિ ગુણયુક્તને કહેવું કે - તમારો જન્મ સફળ છે ઇત્યાદિ. (૬) સ્થિરીકરણ – સ્વીકારેલા ધર્માનુષ્ઠાન પ્રતિ સીદાતાને ધર્મમાં સ્થિર કરવા. (૭) વાત્સલ્ય - વત્સલતાનો ભાવ, સાધર્મિક જનોને ભોજન પાન આદિ ઉચિત પ્રતિપત્તિ કરવી તે. (૮) પ્રભાવના - તેવી સ્વ તીર્થની ઉન્નતિ હેતુ ચેષ્ટામાં પ્રવર્તનરૂપ. આ આઠ દર્શનાચાર છે. આ જ આઠ આચારોને આચરનાર ઉક્ત ફળના સંપાદક થાય અને આ જ્ઞાનાચારદિના ઉપલક્ષક છે. અથવા દર્શનના જ જે આચારો કહ્યા, તે જ ઉક્તન્યાયથી મુક્તિમાર્ગ ખૂલત્વ સમર્થન અર્થે છે. આ જ્ઞાન-દર્શન નામક મુક્તિ માર્ગને બતાવીને ફરી તેજ ચાગ્નિરૂપ દર્શાવવાને માટે ભેદ કથનથી જ તેનું સ્વરૂપ ઉપદર્શિત છે. એમ માનતા આ પ્રમાણે કહે છે - • સૂત્ર - ૧૧૦૭, ૧૧૦૮ - ચારિત્રના પાંચ પ્રકાર છે - સામાયિક, છેદપિસ્થાપનીય, પરિહારવિદ્ધિ, સુક્ષ્મપરાય સાને આકષાય એવું યથાખ્યાત ચાબિ. તે છગ્રસ્થ અને કેવલી બંનેને હોય છે. જે ચારિત્ર ક્રમના સંચયને રિક્ત કરે છે, તેથી તેને ચારિત્ર કહે છે. • વિવેચન - ૧૧૦૭, ૧૧૦૮ - સમ - સાંગત્યથી એકીભાવ વડે જે આય - જવું તે, સમાય - પ્રવર્તન, તે જેનું પ્રયોજન છે તે સામાયિક, તે સર્વ સાવધનો પરિહાર જ છે. - x- અથવા સમ - રાગદ્વેષ રહિત, તે જ ચિત્ત પરિણામ, તેનો આય - પ્રવર્તન તે સમાય, તે રૂ૫ સામાયિક પણ સર્વ સાવધવિરતિ રૂપ જ હોય. તે સામાયિક બે ભેદે છે - ઇત્વર અને યાવસ્કૃષિક. (૧) ઇવર - ભરત અને રવતના પહેલા અને છેલ્લા તીર્થંકરના તીર્થની ઉપસ્થાપનામાં છેદોપસ્થાપનીય ચાત્રિના ભાવથી તેમાં તેના વ્યપદેશનો ભાવ છે. (૨) ચાવત્રુચિક - મધ્યમ તીર્થકરના તીર્થમાં અને મહાવિદેહમાં ઉપસ્થાપનાના અભાવથી તેનો વ્યપદેશ ચાવજીવ સંભવે છે. છેદ - સાતિચાર સાધુને અથવા નિરતિચાર નવા શિષ્યને, બીજા તીર્થ સંબંધી કે બીજું તીર્થ સ્વીકારતા પૂર્વ પર્યાયનો વિચ્છેદ રૂ૫, તેનાથી યુક્ત ઉપસ્થાપના મહાવ્રત આરોપણ રૂપ જેમાં છે, તે છેદોપસ્થાપના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009030
Book TitleAgam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy