SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 પરિહાર - પરિહરવું તે, વિશિષ્ટ તપરૂપ, તેનાથી વિશુદ્ધિ - જેમાં છે તે (અહીં વૃત્તિકારશ્રીએ નવ ગાથા વડે પરિહાર તપનું વર્ણન * * * * - X - X - X - પરિહારવિશુદ્ધિ - કરેલ છે, તે આવશ્યકાદિમાં કહેવાઈ ગયેલ છે) સૂક્ષ્મસંપરાય - સૂક્ષ્મ એટલે કિટ્ટિકરણથી અને સંપર્ય - ભમે છે. આના વડે સંસાર અને સંપરાય - લોભ નામક કષાય જેમાં છે તે સૂક્ષ્મ સંપરાય, અને તે ઉપશમ અને ક્ષપક શ્રેણીના લોભાનુવેદન સમયે સંભવે છે - × - તથા અકષાય - અવિધમાન કષાય, ક્ષપિત કે ઉપશમિત કષાય અવસ્થાભાવી, અહીં ઉપશમિત કષાયનું અકષાયત્વ કષાયકાર્યના અભાવે લેવું. યથાખ્યાતા - અરહંત કથિત સ્વરૂપ તે ઉલ્લંઘવું નહીં તે. ઉપશાંત અને ક્ષીણ મોહ નામક બે ગુણસ્થાન વર્તીને, સુયોગી કે અયોગી ગુણસ્થાને સ્થાયીને હોય છે. આ પાંચ ભેદે ચાસ્ત્રિ શબ્દ કહેવો. અન્વર્થથી તેને કહે છે - આ સામાયિકાદિ, કર્મની સંચિત રાશિને રિક્ત - ખાલી કરે છે. તેથી નિરુક્તવિધિથી ચારિત્ર તે ‘ચયરિક્તકર’ જાણવું - *X* X હવે ચોથું કારણ, તપને કહે છે ઃ ૦ સૂત્ર - ૧૧૦૯ તપ બે પ્રકારે કહ્યો છે બાહ્ય અને અત્યંતર. બાહ્ય તપ છ ભેદે કહેલો છે. અત્યંતર તપ પણ છ ભેદે છે. • વિવેચન - · ૧૧૦૯ ગાથાર્થ કહ્યો. ભાવાર્થ તપ અધ્યયનમાં કહેશે. (શંકા) આનો મુક્તિ માર્ગપણામાં કોનો કેટલો વ્યાપાર છે? તે કહે છે - ♦ સૂત્ર ૧૧૧૦ - જ્ઞાનથી જીવાદિ ભાવોને જાણે છે, દર્શનથી તેનું શ્રદ્ધાન કરે છે, યાત્રિથી કર્મઆશ્રવનો નિરોધ કરે છે, તપથી વિશુદ્ધ થાય છે. - ૦ વિવેચન ૧૧૧૦ મતિ આદિ જ્ઞાનથી જીવાદિ ભાવોને જાણે છે. દર્શનથી શ્રદ્ધા કરે છે, અનંતર કહેલા ચાત્રિથી નિરાશ્રય થાય છે. કર્મોને ગ્રહણ કરતો નથી. તપ વડે પૂર્વે એકઠા કરેલા કર્મોનો ક્ષય કરવાથી શુદ્ધ થાય છે. - x - આના વડે માર્ગનું ફળ મોક્ષ કહ્યું. હવે તે ફળ રૂપ ગતિ કહે છે - Jain Education International - સૂત્ર - ૧૧૧૧ સર્વે દુઃખોથી મુક્ત થવાને માટે મહર્ષિ સંયમ અને તપ દ્વારા પૂર્વ કર્મોનો ક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે તેમ હું કહું છું. - ૦ વિવેચન - ૧૧૧૧ પૂર્વોપચિત જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષય કરીને, સમ્યક્ પણે પાપો થકી વિરમવું - - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009030
Book TitleAgam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy