SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ 99 ૨૮/૧૦૭૮ • વિવેચન - ૧૦૭૮ - અનંતર કહેલા એવા માર્ગને અનુપ્રાસ - આશ્રીને જીવો શોભન ગતિમાં જાય છે. જ્ઞાનાદિ મુક્તિ માર્ગ કહ્યો, તેથી તેનું સ્વરૂપ અહીં બતાવ્યું. તે તેના ભેદોના અભિધાનથી અભિહિત જ થાય છે. તેથી જ્ઞાનના ભેદ - ૦ સૂગ - ૧૦૭૯ - તેમાં પાંચ ભેદ જ્ઞાન છે - શુત જ્ઞાન, અભિનિબોવિક જ્ઞાન, અવધિ જ્ઞાન, મનો જ્ઞાન અને કેવળ જ્ઞાન. • વિવેચન - ૧૦૭૯ - તેમાં - જ્ઞાનાદિમાં, જ્ઞાનના પાંચ પ્રકાર છે. (૧) જે સંભળાય તે મૃત - શબ્દ માત્ર, તે દ્રવ્ય મૃત જ છે. તે શબ્દને સ્વયં સાંભાળ કે બોલે અથવા પુસ્તકાદિમાં રહેલ, ચક્ષુ આદિ વડે અક્ષરો ઉપલબ્ધ થાય કે બાકીની ઇંદ્રિયોથી ગૃહીત અર્થ વિકલ્પથી અક્ષર રૂપ વિજ્ઞાન ઉજાવે તે અહીં ભાવ કૃત, શ્રુત શબ્દથી કહેલ છે. (૨) અભિમુખ યોગ્ય દેશ અવસ્થિત વસ્તુની અપેક્ષાથી નિયત સ્વ સ્વ વિષયના પરિચ્છેદકપણાથી અવબોધ તે અભિનિ બોધ. તે જ આભિનિબોધિક જ્ઞાન. (૩) અવધિ- અવ શબ્દ અધ અર્થમાં છે. તેથી અધતાત - નીચે નીચે જાય છે. તે અઘોઘો અથવા આવધિ • મર્યાદા, રૂપી દ્રવ્યોમાં જ દ્રવ્યોમાં પરિચ્છેદક્તાથી પ્રવૃત્તિ રૂપ હોવાથી તેને આશ્રીને જ્ઞાન પણ અવધિ કહ્યું, જેના વડે જણાય કે જાણે છે તે જ્ઞાન. (૪) મન શબદથી દ્રવ્ય અને પર્યાયના કથંચિત ભેદથી મનોવ્યપર્યાય ગ્રહણ કરાય છે, તે સંજ્ઞી વિકલ્પ હેતુમાં જ્ઞાન, તે મનોજ્ઞાન, તેને જ મન:પર્યવડાની સાક્ષાત જાણે છે, બાહને નહીં. (૫) કેવલ - એક અકલુષ અકલ અસાધારણ અનંત જે જ્ઞાન તે કેવળજ્ઞાન, (શંકા) નંદી આદિમાં મતિજ્ઞાન પછી શ્રુતજ્ઞાન કહેલ છે, તો અહીં પહેલાં શ્રુતજ્ઞાન કેમ લીધું? (સમાધાન) બાકીના જ્ઞાનોનું સ્વરૂપ જ્ઞાન પ્રાયઃ તેને આધીન છે, તેવું પ્રાધાન્ય જણાવવાને માટે કહેલ છે. હવે જ્ઞાન શબ્દના સંબંધી શદવ આદિ જેમાં છે તે જ્ઞાન, તેને જણાવવાને માટે હવે કહે છે ૯ ગ - ૧૦૮૦ - આ પાંચ પ્રકારનું જ્ઞાન લાધાં દ્રવ્ય, ગુણ અને પાયિોનું જ્ઞાન છે - એ પ્રમાણે જ્ઞાનીઓએ કહેલ છે. • વિવેચન - ૧૦૮૦ - અનંતરોક્ત પંચવિધ જ્ઞાન તે તે પર્યાયિોમાં જાય છે તે દ્રવ્ય - જે કહેવાનાર લક્ષણરૂપ છે. ગુણ - રૂપ આદિ, પર્યાય - બધી તરફથી દ્રવ્યો અને ગુણોમાં જાય છે, તે પર્યાય. • x x- જ્ઞાન - અવબોધક, શાનિ - અતિશય જ્ઞાનયુક્ત કેવલી વડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009030
Book TitleAgam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy