________________
૭૮
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 કહેવાયેલ છે. - X - X- ૪ - x x- આના વડે જ્ઞાનના દ્રવ્યાદિ વિષયત્વને કહ્યું. તેમાં દ્રવ્યાદિના લક્ષણો કયા છે? તે કહે છે -
• સૂત્ર - ૧૦૮૧ -
દ્રવ્ય, ગણોનો આશ્રય છે, જે પ્રત્યેક દ્રવ્યના આશ્રિત રહે છે, તે ગુણ હોય છે, પયાયિોનું લક્ષણ દ્રવ્ય અને ગુણોનું આશ્રિતત્વ છે.
• વિવેચન - ૧૦૮૧ -
કહેવાનાર ગુણોનો આશ્રય - આધાર જ્યાં તે રહે છે, ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થઈને રહે છે કે નાશ પામે છે, તેદ્રવ્ય, આનાવડે “રૂપાદિ જ વસ્તુ છે, તેનાથી વ્યતિરિક્ત બીજું કંઈ નથી” એ તથાગતતા મતનું કંડન કરેલ છે. - - - એક દ્રવ્યમાં સ્વ આધારભૂત સ્થિત તે એકદ્રવ્યાશ્રિત. તે કોણ છે? ગુણ - રૂપ આદિ. - x- - - - જેના વડે લક્ષ્ય કરાય તે લક્ષણ, પર્યવ - કહેવાનાર રૂપ છે, તે દ્રવ્ય અને ગુણના આશ્રિત છે. - x x x x x- સૂત્રમાં “દ્રવ્ય ગુણોનો આશ્રય છે” એ પ્રમાણે દ્રવ્ય લક્ષણ છે. આવા લક્ષણવાળું દ્રવ્ય એક જ છે, કે તેના ભેદો પણ છે?
તે વાતને કહે છે• સૂત્ર - ૧૦૮૨ -
ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદગલ અને જીવ આ છ દ્રવ્ય રૂપ લોક વરદ જિનેશ્વરોએ કહેલ છે.
• વિવેચન - ૧૭૮૨ -
ધર્મ - ધર્માસ્તિકાય, અધર્મ - અધમસ્તિકાય, આકાશ - આકાશાસ્તિકાય, કાલ - અદ્ધા સમય રૂપ, પુગલ - પગલાસ્તિકાય, જીવ - જીવાસ્તિકાય, આ દ્રવ્યો છે. પ્રસંગથી લોકસ્વરૂપ પણ કહેલ છે. સામાન્યથી લોકનું આ પ્રમાણેનું સ્વરૂપ છે. શો અર્થ છે? અનંતરોક્ત છ દ્રવ્યરૂપ લોક છે. કહ્યું છે કે - દ્રવ્યો સહિત તે લોક છે, તેનાથી વિપરીત તે અલોક છે.
ધમદિના આ જ ભેદો છે કે બીજા પણ છે? તે કહે છે - • સૂગ - ૧૦૮૩ -
ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણે દ્રવ્ય સંખ્યામાં એક એક છે. કાળ, પુદગલ અને જીવ એ ત્રણે દ્રવ્યો અનંત અનંત છે.
• વિવેચન - ૧૦૮૩ -
ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય અને આકાશદ્રવ્ય તે સંખ્યામાં એક-એક જ છે એ પ્રમાણે તીર્થકરે કહેલ છે, તો શું “કાળ' આદિ દ્રવ્ય પણ એ પ્રમાણે જ છે? તે અનંત સંખ્યક છે, કેમકે તેના સ્વગત ભેદો અનંત છે. કાળ, પુદ્ગલ અને જીવો અનંત છે. કાળની અનંતતા અતીત અને અનાગતની અપેક્ષાથી છે.
આના પરસ્પર નિબંધન લક્ષણ ભેદો કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org