________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ પડ્યો રહે છે ઇત્યાદિ - - x
આ પ્રમાણે દષ્ટાંત કહીને હવે તેનો નિષ્કર્ષ યોજે છે - • સૂત્ર - ૧૦૬૬ -
અયોગ્ય બળદ જેમ વાહનોને તોડી નાંખે છે, તેમ જ હૈયમાં કમજોર શિષ્યોને ધર્મયાનમાં જોડતા તેઓ પણ તેને તોડી નાંખે છે.
• વિવેચન - ૧૦૬૬ -
ખલુંક - ઉક્ત રૂપ બળદ, સ્વસ્વામીને ખેદ પહોંચાડે છે અને અસમાધિને પ્રાપ્ત કરાવે છે. સમિલા ભંગ આદિ વડે દુષ્ટત્વને દેખાડે છે. જેથી ધર્મમાં જોડેલા યાનની માફક મુક્તિપુર પ્રાપક ધર્મયાનમાં સમ્યક પ્રવર્તતા નથી. તેઓ ધર્માનુષ્ઠાન પ્રતિ દુર્બળ ધૃતિવાળા હોય છે. તેમના ધૃતિ દુર્બલત્વ ભાવિત કરતા કહે છે -
• સૂત્ર - ૧૦૬૭ થી ૧૦૭૨ -
(૧૦૬૭) કોઈ વ્યક્તિનો ગારવ કરે છે, કોઈ રસનો ગારવ કરે છે, કોઈ સાતાનો ગરવ કરે છે. કોઈ દીર્ધકાળ સુધી ક્રોધ કરે છે. (૧૦૬૮) કોઈ ભિક્ષા માં આળસ કરે છે, કોઈ અપમાનથી ડરે છે. કોઈ સ્તબ્ધ છે. હેતુ આને કારણથી કોઈ અનુશાસિત કરાય છે તો - (૧૦૬૯) તે વચ્ચે જ બોલવા લાગે છે, આચાર્યના વચનમાં દોષ કાઢે છે અને વારંવાર તેમના વચનોની પ્રતિકૂળ આચરણ કરે છે.
(૧૦૭૦) ભિક્ષા કાને કોઈ શિષ્ય ગૃહસ્વામિની વિશે કહે છે : “તેણી મને જાણતી નથી, તેણી મને આપશે નહીં.” હું માનું છું કે તે ઘરથી બહાર ગઈ હશે, તેથી કોઈ બીજે સાધુ ભલે જાય. (૧૦૭૧) કોઈ પ્રયોજનથી મોકલાતા તેઓ કાર્ય ક્યા વિના પાછા આવે છે, ચારે તરફ ભટકે છે, ગુરુ આજ્ઞાને રાજવેષ્ટિ માની મુખ ઉપર ભ્રકુટી ચડાવી દે છે. (૧૦૭૨) જેમ પાંખો આવતા હસ વિભિન્ન દિશામાં ઉડી જાય છે, તેમજ શિક્ષિત અને દિક્ષિત કરાયેલા, ભોજન-પાનથી પોષિત કરાયેલા કુશિષ્ય અન્યત્ર ચાલ્યા જાય છે.
• વિવેચન - ૧૦૬૭ થી ૧૦૭૨ -
દ્ધિ વડે ગૌરવ - દ્ધિમાન શ્રાવકો મારા વશમાં થયેલા છે, તેમ વિચારે. ઉપકરણાદિ આત્મ બહુમાનરૂપ ત્રાદ્ધિ ગૌરવ જેમને છે તે દ્ધિ ગૌરવિક. ગુરુના નિયોગથી પ્રવર્તતા નથી, મારે તેનાથી શું? બીજા કોઈ રસ ગારવ - મધુસદિમાં વૃદ્ધ હોય તે બાળ, ગ્લાન આદિને સમુચિત આહાર-દાનમાં કે તપોનુષ્ઠાનાદિમાં પ્રવર્તતા નથી. સાનાગૌરવવાળા કોઈ સુખમાં પ્રતિબદ્ધ થઈ. અપ્રતિબદ્ધ વિહારાદિમાં પ્રવર્તવા સમર્થ થતા નથી. કોઈ લાંબો કાળ ક્રોધ કરનાર કૃત્યોમાં પ્રવર્તતો નથી.
ભિક્ષામાં આળસ કરનારો કોઈ, વિચરવા ઈચ્છતો નથી. કોઈ અપમાન ભીરુ ભિક્ષા માટે ભ્રમણ કરવા છતાં જે-તે ઘરોમાં પ્રવેશવા ઇચ્છતો નથી. - x- તે ભીરુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org