SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૭/૧૦૬૦ તે ફળ કથન દ્વારથી આના વડે કહેલ છે, તેમ વિચારવું. એ પ્રમાણે આ અશઠતાને સેવીને કઈ રીતે જ્ઞાનાદિ સમાધિ - વાળા શિષ્યો થાય, એ રીતે તેમના ગુણોને જણાવીને વિપક્ષે - x- શઠતા દોષો પણ કહેવા જોઈએ. તે કુશિષ્યના સ્વરૂપને જણાવીને જ બતાવવું શક્ય છે. તેના દોષદુષ્ટત્વને જણાવવા દષ્ટાંત વર્ણન કહે છે - • સૂત્ર - ૧૦૬૧ થી ૧૦૬૫ - (૧૦૬૧) જે ખલુંક બળદોને છેતરે છે. તે તેમને મારતો એવો કલેશ પામે છે. અસમાધિનો અનુભવ કરે છે, અંતે તેનું ચાબુક પણ તુટી જાય છે. (૧૦૬ર) તે સુબ્ધ થયેલો વાહક કોઇની પૂંછ કાપે છે, કોઈને વારંવાર વધી છે. તેમાંનો કોઈ બળદ સમિલા તોડી નાંખે છે, બીજો ઉન્માર્ગે ચાલવા લાગે છે. (૧૦૬૩) કોઈ માના એક પડખે પડી જાય છે, કોઈ બેસી જાય છે. કોઈ સૂઈ જાય છે, કોઈ કુદે છે, કોઈ ઉછળે છે, તો કોઈ સાઠ વરણ ગાયની પાછળ દોર્ડ છે. (૧૦૬૪) કોઈ માયાવી મસ્તક વડે પડે છે, ક્રોધિત થઈ પ્રતિપથે ચાલ્યો જાય છે. કોઈ મડદા જેવો પડી રહે છે, કોઈ વેગથી દોડવા લાગે છે. (૧૦૬૫) કોઈ બળદ રાસને છેદી નાંખે છે, કોઈ દુદન્તિ સૂપને તોડી નાંખે છે અને સું-સ્ અવાજ કરીને વાહનને છોડીને ભાગી જાય છે. • વિવેચન - ૧૦૬૧ થી ૧૦૬૫ - ધર્મકથા અનુયોગપણાથી આના પહેલાં સૂત્રમાં ગર્ગ નામક આચાર્ય, કેટલાંક કુશિષ્યો વડે ભગ્ન સમાધિ થઈ આત્માની સમાધિને પ્રતિસંધિત કરે છે. બીજા સૂત્રમાં વહન કરાતા એવા વિનીત બળદ આદિ જે રીતે અરણ્યને પસાર કરી દે છે, તેમ યોગ્ય શિષ્યો - કૃત્યોમાં પ્રવર્તાવતા સંસાર પાર કરી દે છે. તેની વિનીતતાના દર્શનથી વિશેષથી સમાધિનો સંભવ થાય, એવો ભાવ છે. આ પ્રમાણે આત્માની સમાધિના પ્રતિસંધાનને માટે વિનીતનું સ્વરૂપ બનાવીને, તે જ અવિનીતના સ્વરૂપની ભાવના કરતા “ખલુંક' આદિ બાર સૂત્રો કહે છે. ખલુંક - જે કોઈ બળદને વહન માટે જોડે છે, તે કઈ રીતે? તે કહે છે - બળદને વિશેષથીતાડન કરતાં શ્રમને પામે છે, કલેશપામે છે. તેથી જ ચિત્ત ઉદ્વેગરૂપ અસમાધિને વેદે છે. જેમાં ખલુંકને જોડેલ છે. તે પ્રાજનકનો અતિ તાડનથી ભંગ થાય છે. તે અતિરુષ્ટ થઈને જે કરે છે, તે કહે છે - કોઈના પુંછડાને કાપી નાંખે છે, કોઈના ગળામાં પરોણી ઘોંચે છે ઉપલક્ષણથી અશ્લીલ ભાષણાદિ કહે છે. - x x કોઈ બળદ સમિલા ચુંગરંધ્ર કીલિકાને ભાંગી નાંખે છે. કોઈ વળી તે સમિલાને ભાંગ્યા વિના ઉન્માર્ગે ચાલવા લાગે છે. કોઈ બળદ વળી પાર્શ્વથી - શરીરનો એક ભાગ, પડખુ, તેનાથી ભૂમિ ઉપર પડે છે. કોઈ બળદ બેસી જાય છે ઇત્યાદિ સૂત્રાર્થથી જાણી લેવું. કોઈ તરુણ ગાય સામે દોડે છે અથવા દુષ્ટ બળદ બીજે ચાલ્યો જાય છે. કોઈ માયાવી બળદ મસ્તકથી પડે છે. અર્થાત અતિ નિસ્સહની જેમ પોતાને ન દર્શાવીને જમીન ઉપર મસ્તક વડે લોટે છે. બીજો ક્રુદ્ધ થઈને પાછળ ચાલે છે, કોઈ મરેલાની જેમ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.009030
Book TitleAgam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy