________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ સંસારનો ક્ષય કરીને સિદ્ધિમાં ગયા.
બધી ગાથાનું વ્યાખ્યાન પ્રાયઃ કરાઈ ગયેલ છે. કેટલીક વિશેષતા માત્ર વૃત્તિકારશ્રી બતાવે છે, તે આ પ્રમાણે - પ્રતિમા - તથાવિધ અભિગ્રહ વિશેષ રૂપથી પણ બાર ભિક્ષ પ્રતિમા વડે નહીં. કેમ કે તેમાં માસક્ષમણનો સંભવ નથી. તેનું સ્વરૂપ આવું છે - એકરાત્રિકી ભિક્ષ પ્રતિમા સ્વીકારેલ સાધુ નિત્ય કાયાને વોસીરાવીને જ્યાં સુધી આરાધે ત્યારે તેમને અટ્ટમ ભક્ત પાન વડે ગામની બહાર ચાવત રાજધાનીમાં કંઈક બંને પગને સંહરીને, લંબાવેલા હાથ રાખી, એક પ્રગલ ઉપર દષ્ટિને અનિમેષ નયને કંઈક નમેલી કાયા વડે યથા પ્રણિહિત શરીર વડે અને બધી ઇંદ્રિયો વડે ગુપ્ત સ્થાને રહી કાયોત્સર્ગ કરે,
ત્યાં “અઠ્ઠમ તપ કહેલ છે અહીં માસક્ષમણથી ખેદિત શરીર કહ્યું. એ પ્રમાણે અપ્રતિબદ્ધ વિહાર કરતાં કહ્યું. આ પ્રતિમાનો ભાવથી એક સ્થાને રહેલાને સંભવે છે. જ્યારે અહીં પૃથ્વી ઉપર પરિભ્રમણ કરતાં ઉધાનમાં પધાર્યા તેમ કહ્યું છે. ખેદિત - શરીરથી, મનથી ખેદ પામેલા નહીં
બ્રાહ્મણો માટે તૈયાર કરાયેલ આહારથી યાચના કરી. ત્યારે અમારા સિવાયના આહારને ચાચો તેમ કહ્યું. મોક્ષનો સાર પામેલા, પરમાર્થથી ક્ષાંતિ આદિ ધર્મને પામેલા અથવા જ્ઞાનાદિનો સાર પામેલા.
વ્રતવર્યા એ જ ભિક્ષાને માટે ભમવું તે. તેને વિહિત તત્ત્વને પામેલા તીર્થકરાદિ વડે કહેવાયેલ છે. સાધુ વડે ચરાય તે આચરણ. જેના સાત અંગો હોય તેવા રાજ્યને છોડીને અને છત્ર ચામરાદિ રાજ્યલક્ષ્મીને છોડીને સાધો ભિક્ષાર્થે ભ્રમણ કરે છે. મુકો - નિસ્ટંગ. ચરણ - વ્રત આદિ કર - પિંડ વિશુદ્ધિ આદિ. રાજર્ષિઓએ પણ આ ભિક્ષાચર્યાને સેવેલી છે, તે વિધાનથી હું અહીં આવેલો છું. તેથી તમે મને ભિક્ષા આપો.
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૨૫ નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org