________________
૨૫/૧૦૦૧ થી ૧૦૦૪
૫ ૫ દષ્ટાંતરદ્વારથી કહે છે - ભીનો અને સુકો, બે ગોળા - માટીના પિંડ ફેંક્યા. તે ભીંત ઉપર પડ્યા. પછી ભીનો ગોળો ભીંત ઉપર ચોંટી ગયો. હવે દાષ્ટ્રત્તિક યોજના કહે છે - એ પ્રમાણે કમ ચોટે છે. કોને? જે મનુષ્ય દુર્બદ્ધિ છે, વિષય લંપટ છે. તેને જે વિરક્ત છે. કામ ભોગથી પરાંમુખ છે, તેને કમોં ચોંટતા નથી, જેમ સુકો ગોળો ચોંટતો નથી. - - - .
મુનિએ એ પ્રમાણે પ્રજ્ઞાપના કરતા વિજયઘોષે શું કર્યું? • સૂત્ર - ૧૦૦૫ -
આ પ્રમાણે વિજયઘોષ, જયઘોષ મુનિની પાસે, અનુત્તર ધર્મ સાંભળીને પ્રજિત થઈ ગયા.
- વિવેચન - ૧૦૦૫ -
ઉક્ત પ્રકારે તે વિજયઘોષ બ્રાહ્મણે જયઘોષ મુનિ સમીપે પ્રવજ્યા સ્વીકારી, ક્યારે? અહિંસાદિ અનુત્તર ધર્મ સાંભળીને. હવે અધ્યયનના અર્થનો ઉપસંહાર કરતા, બંનેના નિષ્ક્રમણનું ફળ કહે છે -
• સૂત્ર - ૧૦૦૬ -
જયઘોષ અને વિજયઘોષ મુનિએ સંયમ અને તપ દ્વારા પૂર્વ - સંચિત કર્મોને ક્ષીણ કરી અનુત્તર સિદ્ધિ પ્રાપ્ત કરી. - એમ હું કહું છું.
• વિવેચન ૧૦૬ -
અર્થ સુગમ છે. હવે સકલ અધ્યયનના તાત્પર્યાર્થિને દર્શાવવા માટે સૂત્ર સ્પર્શિક નિર્યુક્તિ કહે છે -
• નિર્યુક્તિ - ૪૭૭ થી ૪૮૩ -
એકરાત્રિકી પ્રતિમાથી વિચરતા એવા તે મુનિ પૃથ્વી ઉપર ચાલતા વાણારસી નગરીએ પહોંચ્યા. તે ઉધાનમાં રહ્યા. માસક્ષમણથી ખેદિત શરીરવાળા તેઓ ભિક્ષાર્થે બ્રાહ્મણના યજ્ઞ પાટકમાં ઉપસ્થિત થયા. ત્યાં તે જયઘોષ મુનિને કહ્યું તમે શા માટે આવ્યા છો? અમે તમને અહીં કશું આપીશું નહીં. તમે બીજે ભિક્ષા માટે જાઓ. યજ્ઞ પાટકમાં આ પ્રમાણે યાચના કરતા તેમને પ્રતિષેધ કરાતા તે પરમાર્થના સારને જાણતા મુનિ લેશ માત્ર સંતુષ્ટ કે રોષાયમાન ન થયા.
પછી તે આણગારે કહ્યું. હે યાજક! આયુષ્યમાન! તમે વ્રતચય ભિક્ષાચર્યા અને સાધુનું આચરણ જે ઉપદેશાવેલ તેને સાંભળો રાજ્ય અને રાજ્યલક્ષમીને છોડીને આવેલા પણ ભિક્ષા માટે અનુસરે છે. નિઃસંગ એવા શ્રમણને ભિક્ષા ચર્યા જ કરણ રૂપ છે. વિજયઘોષ યાજકે જયઘોષને સારી રીતે જાણીને કહ્યું- હે ભગવન્! અહીં ઘણું અન્ન છે, તમે તેને ખાઓ.
ત્યારે જયઘોષ મુનિને કહ્યું - મારે ભિક્ષાથી કોઈ કાર્ય નથી. ધર્મચરણથી કાર્ય છે. ધર્મચરણને સ્વીકાર, સંસારમાં ભટક નહીં. તે શ્રમણની પાસે ધર્મ સાંભળીને સમ મનવાળા થયેલા વિજય ઘોષે દિક્ષા લીધી. તે બંને જયઘોષ અને વિજયઘોષ મુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org