________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ અસત્યામૃષા - સ્વાધ્યાય કરવા સમાન તપ નથી. સંરંભ - હિંસાદિનો સંકલ્પ, સમારંભ - પરપરિતાપકર મંત્રો બોલવા, આરંભ - તેવા સંકલેશથી પ્રાણીની હિંસા કરનારા મંત્રો જપવા. હવે કાયમુતિ કહે છે -
• સૂત્ર - ૯૫૯, ૯૬૦ -
ઉઠવું, બેસવું, સુવું, ઉલ્લંઘવું, પ્રલંઘવું, શબ્દાદિ વિષય ઇંદ્રિયોમાં પ્રવૃત્ત થવું. સંરંભમાં, સમારંભમાં અને આરંભમાં પ્રવૃત્ત કાયાનું નિવર્તન કરવું.
• વિવેચન - ૯૫૯, ૯૬૦ -
ઉંચે સ્થાને - ઉભવામાં, બેસવામાં, સુવામાં, તથાવિધ નિમિત્તે ઉર્ધ્વ ભૂમિકાદિ કુદવામાં, કે ખાડો ઓળંગવામાં, સામાન્ય ગમનમાં તથા સ્પર્શનાદિ ઇંદ્રિયોનું શબ્દાદિ વિષયમાં પ્રવર્તન. તે સ્થાનાદિમાં વર્તતા સંરભ - અભિઘાત, સમારંભ - પરિતાપકર અભિદાત. આરંભ - પ્રાણિવધ રૂપ કાયામાં પ્રવર્તમાન, તે ત્રણેથી નિવર્તવું તે.
હવે સમિતિ અને ગતિનો પરસ્પર તસવત કહે છે - • સૂત્ર - ૯૬૧ -
આ પાંચ સમિતિ ચારિત્રની પ્રવૃત્તિ માટે છે. ત્રણ ગુમિઓ બધાં અશુભ વિષયોથી નિવૃત્તિને માટે છે.
વિવેચન - ૯૬૧ -
સમિતિ - સત ચેષ્ટા પ્રવૃત્તિ. ગુપ્તિ - અશોભન મનોયોગાદિથી નિવર્તન. ઉપલક્ષણથી શુભ અથથી પણ નિવૃત્તિ. કેમકે વચન અને કાયાની નિવ્યપારતા પણ ગુણિરૂપ છે. - x- આના વડે ગુતિ વ્યાપાર અને અવ્યાપાર રૂપ જાણવી.
હવે તેના આચરણનું ફળ કહે છે - • સૂત્ર - ૯૬૨ -
આ પ્રવચનમાતાનું જે મુનિ સમ્યફ આચરણ કરે છે, તે પંડિત જલ્દીથી સર્વ સંસારથી મૂક્ત થાય છે - તેમ હું કહું છું.
• વિવેચન - ૯૬૨ - સમ્યક - અવિપરીતતાથી, દંભાદિથી નહીં. - - -.
મુનિ દીપરત્ન સાગરે કરેલ આધ્યયન - ૨૪ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org