SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩/૮૭૧ થી ૮૭૩ ૩૧ પહેલા તીર્થકરના સાધુ ત્રાજૂ અને જડ હોય છે. અંતિમ તીર્થકરના વક્ર અને જડ હોય છે. મધ્યમના તીર્થકરોના સાધુ ત્રાજુ અને પ્રાજ્ઞ હોય છે, તેથી ધર્મ બે પ્રકારે છે. પહેલાં તીર્થકરના સાધુને કલ્પને યથાવત ગ્રહણ કરવો કઠિન છે, અંતિમતાને પાલન કરવો કઠિન છે. મદયના તીર્થકરના સાધુ દ્વારા યથાવતું ગ્રહણ અને તેનું પાલન સરળ છે. • વિવેચન - ૯૭૧ થી ૮૭૩ - કેશીના બોલ્યા પછી, આના વડે ગૌતમનો અતિશય આદર આદિ બતાવ્યો. તેણે શું કહ્યું - બુદ્ધિ જ સમ્યફ વિચારે છે. કોને? ધર્મતત્ત્વને તત્ત્વ એટલે જીવાદિનો વિશિષ્ટ નિર્ણય. વાક્યના શ્રવણ માત્રથી વાક્યનો નિર્ણય થતો નથી, પણ પ્રજ્ઞાના વશથી થાય છે. પહેલાં તીર્થકરના સાધુઓ હજુ અને જડ હોવાથી દુપ્રતિપાધ છે. વક્રબોધપણાથી વક્ર અને જડ છે. તેથી આપમેળે કરેલ કુવિકલ્પથી વિવક્ષિત અર્થના સ્વીકારમાં અસમર્થ. પશ્ચિમ - છેલ્લા તીર્થકર, મધ્યમા - મધ્યના તીર્થકરના સાધુઓ. ઋજુ અને પ્રજ્ઞા - પ્રકર્ષથી જાણે છે તે. સુખપૂર્વક વિવક્ષિત અર્થને ગ્રહણ કરવાનું શક્ય હોવાથી હજુપ્રાજ્ઞ. તે કારણે ધર્મ બે ભેદે કહેલ છે. તમે કહો છો તેમ હોય તો પણ ધર્મમાં સૈવિધ્ય કેમ? પૂર્વના તીર્થકરના સાધુ દુ:ખેથી નિર્મળતા પમાડવા શક્ય છે. તેઓ અતિ ઋજુ હોવાથી, ગુરુ વડે અનુશાસિત કરાતા, તેનું અનુશાસન પ્રજ્ઞા અપરાધ આદિથી યથાવત્ સ્વીકારવા સમર્થ થતાં નથી. તેને દુર્વિશોધ્યા કહે છે. છેલ્લા તીર્થકરના સાધુ દુઃખે કરીને પાળી શકે છે, તેથી દુરનુપાલ્ય છે. તેઓ વક્ર હોવાથી કુવિકલ્પ આકુલિત ચિત્તતાથી, જાણવા છતાં ક્યારેક યથાવત અનુષ્ઠાન કરતા નથી. મધ્યમના વિશોધ્ય અને સુપાલિત છે. તેઓ પ્રાજ્ઞ હોવાથી સમ્યમ્ માર્ગાનુસારી બોધપણાથી સુખપૂર્વક યથાવત્ જાણે છે અને પાલન કરે છે. તેથી તેમને ચાર યામ કહેવા છતાં પાંચમું વ્રત - સબ્રહ્મનો હેતુ જાણવા અને પાળવાને સમર્થ છે. પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુ તેવા ન હોવાથી પાંચમું વ્રત અલગ કહેલ છે. - - x-x- એ રીતે વિવિધ પ્રજ્ઞાવાળા શિષ્યોના અનુગ્રહને માટે તેમના ભેદથી ધર્મનું સૈવિધ્ય કહેલ છે. વસ્તુના ભેદથી નહીં. આ પ્રમાણે ગૌતમે કહેતા. કેશીએ કહ્યું - • સૂત્ર - ૮૪ થી ૮૭૬ - હે ગૌતમાં તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ દૂર કર્યા. મારો એક બીજે પણ સંદેહ છે. હે ગૌતમ તે પણ મને કહો. આ ચેલક ધર્મ વર્તમાન સ્વામીએ કહ્યો અને આ સાંતરોત્તર ધર્મ મહાયશસ્વી પાએ પ્રતિપાદિત કર્યો છે. એક જ કાર્ય માટે પ્રવૃત્ત બંનેમાં ભેદનું શું કારણ? હે મેઘાવી આ બે પ્રકારના લિંગમાં તમને કોઈ સંશય થતો નથી? • વિવેચન - ૮૭૪ થી ૮૭૬ - હે ગીતમાં તમારી બુદ્ધિ શોભન છે. જેથી તમે મારા સંદેહ ને છેદી નાંખ્યો. આ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.009030
Book TitleAgam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy