________________
૩ ૦.
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ અને અદશ્ય ભૂતોનો પણ ત્યાં એક પ્રકારે સમાગમ થઈ ગયો હતો.
• વિવેચન - ૮૬૫, ૮૬૬ -
ત્યાં પાખંડ - બાકીના વ્રતવાળા ભેગા થયા. કેમ? કુતૂહલને કારણે. હજારો ગૃહસ્થો આવ્યા. દેવ - જ્યોતિક અને વૈમાનિક, દાનવ - ભવનપતિ, ગંધર્વ યક્ષાદિ તે વ્યંતર વિશેષો ત્યાં આવ્યા. અદેશ્ય - ભૂતોનું કેલિકિલ વ્યંતર વિશેષણ છે.
ત્યાર પછી તે બંને કહે છે - • સૂત્ર - ૮૬૭, ૮૬૮ -
કેશીએ ગૌતમને આ પ્રમાણે કહ્યું - હે મહાભાગ! હું તમને કંઈક પૂછવા ઇચ્છું છું. કેશીએ આમ કહેતા ગૌતમે કહ્યું - હે પૂજ્યા જેવી ઇચ્છા હોય તે પૂછો. પછી અનુજ્ઞા પામીને કેશીએ ગૌતમને આમ કહ્યું -
• વિવેચન - ૮૬૭, ૮૬૮ -
હે મહાભાગા, અતિશય, અચિંત્ય શક્તિા હું તમને પૂછું? કેશીએ આમ જણાવતા, ગૌતમે કહ્યું - ઇચ્છાને અતિક્રખ્ય વિના જે પૂછવું હોય તે પૂછો. ગૌતમે એ પ્રમાણે અનુમતિ આપી. આણે જે ગૌતમને પૂછ્યું તેને નિયુક્તિકાર ત્રણ ગાથા વડે જણાવે છે -
• નિયુક્તિ - ૪૫૬ થી ૪૫૮ + વિવેચન -
આ દ્વાર ગાથા છે, તેમાં પહેલાં “શિક્ષાવત' - અભ્યાસ પ્રધાન વ્રત, પ્રતિદિન યતિ વડે અભ્યાસ કરતા શિક્ષાવત કે શિક્ષાપદો - પ્રાણિવધ વિરમણાદિ, લિંગ - ચિત, શત્રુનો પરાજય, પાશબંધન-તંતુ ઉદ્ધરણ બંધન, અગ્નિ નિવપન, દુષ્ટનો નિગ્રહ, પથપરિજ્ઞા, મહાશોક નિવારણ, સંસાર પારગમન, અંધકાર વિધાપન, સ્થાન, ઉપસંપદા આ બાર દ્વારો છે. તેનું સૂત્ર કહે છે -
• સૂત્ર - ૮૬૯, ૮૭૦ -
આ ચતુયામિ ધર્મ છે. તે મહામુનિ પાર્શ્વનાથે કહેલ છે અને આ પંચ શિક્ષાત્મક ધર્મ વર્ધમાને કહેલ છે. હે મેઘાવીએક જ ઉદેશ માટે પ્રવૃત્ત થયા હોવા છતાં આ ભેદનું શું કારણ છે? આ બે પ્રકારના ધમોમાં તમને સંદેહ કેમ થતો નથી?
• વિવેંચન ૮૬૯, ૮૭૦ -
ચતુર્યામ - હિંસા, અમૃત, અસ્તેય, પરિગ્રહથી અટકવા રૂપ ચાર ભેદો પંચ શિક્ષિત - મૈથુન વિરમણ રૂપ પાંચમાં વ્રત સહિત. સાધુધર્મ બે પ્રકારે છે. તે વિશિષ્ટ અવધારણ શક્તિવાળા! કંઈ અવિશ્વાસ તમને નથી? સર્વજ્ઞત્વ તુલ્ય હોવા છતાં આ મતભેદ કેમ છે? એમ કેશી કહેતા -
• સૂત્ર - ૮૭૧ થી ૮૭૩ -
કેશી આમ કહેતા, ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું - તત્ત્વનો નિર્ણય જેમાં થાય છે. એવા ધર્મતત્ત્વની સમીક્ષા પ્રજ્ઞા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org