________________
૨૮૩૫ થી ૮૪૨
૨ ૫. જેમ ગોપાલ ગાયને પાળે છે, ભાંડપાલ બીજાના ભાંડોને ભાડે દેવા વડે સાચવે છે, પણ તે તે ગાયો કે ભાંડોનો સ્વામી કે વિશિષ્ટ ફળનો ઉપભોક્તા થતો નથી. એ પ્રમાણે તું પણ શ્રમણ્યમાં થઈશ. કેમકે ભોગના અભિલાષથી તું શ્રમણ્યના ફળને પામીશ નહીં.
એ પ્રમાણે તેણીએ કહેતા રથનેમિએ શું કર્યું? તે કહે છે - • સૂત્ર - ૮૪૩, ૮૪૪ -
(૮૪૩) તેણીના સુભાષિત વયનો સાંભળીને રથનેમિ ધર્મમાં એ રીતે સ્થિર થઈ ગયા, જે રીતે અંકુશથી હાથી સ્થિર થાય.
(૮૪૪) તે મન, વચન, કાયાથી ગુમ, જિતેન્દ્રિત અને દેવતી થયા. જાવજીવ નિશ્ચલભાવે શામયનું પાલન કરવા લાગ્યા.
• વિવેચન - ૮૪૩, ૮૪૪ -
તે રાજીમતીના અનંતરોક્ત શીખામણ રૂપ વચનો સાંભળીને કે જે તે પ્રવનિતાએ સારી રીતે કહેલા તેવા સુભાષિત, અંકુશ વડે જેમ હાથી સ્થિર થાય તેમ તે રથનેમિ તેણીના વચનથી ચાસ્ત્રિ ધર્મમાં સ્થિર થયો. - અહીં વૃદ્ધ સંપ્રદાય કહે છે - નૂપૂરપંડિતાની કથામાં છેલ્લે રોષાયમાન થયેલા રાજાએ સણી, મહાવત અને હાથી ત્રણેને પર્વતના શીખરે ચડાવ્યા. મહાવને કહ્યું કે હાથીને પાડી દે. બંને પડખે વંશગ્રાહ્ય રાખ્યા. હાથીએ આકાશમાં એક પગ ઉંચો કર્યા. લોકો બોલ્યા, અહો! આ તિર્યંચ પણ જાણે છે કે તેને મારી નાંખવાના છે. તો પણ રાજાનો રોષ ન ઘટતા હાથીએ ત્રણ પગો ઉંચા કર્યા, એક પગે ઉભો રહ્યો. લોકો આજંદ કરવા લાગ્યા કે આવા હસ્તિ રત્નનો કેમ વિનાશ કરો છો? ત્યારે રામના કહેવાથી અંકુશ વડે હાથીને સ્થિર કરી નીચે ઉતાર્યો.
જે આવો હાથી પણ અંકુશથી આવી અવસ્થામાં સ્થિર થઈ જાય, તેમ રથનેમિ પણ રાજીમતીના અહિતથી નિવર્તવા રૂપ અંકુશ પ્રાયઃ વચનોથી ધર્મમાં સ્થિર થયો.
- - હવે બંનેની ઉત્તર વક્તવ્યતા કહે છે - • સૂત્ર - ૮૪૫ -
ઉગ્ર તપનું આચરણ કરીને બંને કેવલી થયા. બધાં કર્મોનો ક્ષય કરીને તેઓએ અનુત્તર સિદ્ધિને પ્રાપ્ત કરી.
• વિવેચન - ૯૫ -
કર્મ શત્રુનું વિદારણ કરવાથી ઉગ્ર, અનશનાદિ તપને આચરીને રથનેમિ અને રાજીમતી બંને કેવલી થયા. બધાં ભવોપગ્રાહી કમોં ખપાવીને અનુતર એવી સિદ્ધિ પામ્યા. હવે નિર્યુક્તિને અનુસરે છે -
• નિર્યુક્તિ - ૪૪૦ થી ૪૫૧ + વિવેચન -
શૌર્યપુર નગરમાં સમુદ્રવિજય રાજા હતા. તેને શિવા નામે અગ્રમહિષી રાણી હતી. તેણીને ચાર પુત્રો હતા. અરિષ્ટનેમિ, રથનેમિ, સત્યનેમિ અને દેટનેમિ. તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org