SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ (૮૩૭) જે તું રૂપમાં વૈશમણ હો, લલિતથી નલકુબેર હો, તું સાક્ષાત &દ્ધ હો તો પણ હું તને કચ્છતી નથી. (અગધન કૂળમાં ઉત્પન્ન સપ ધૂમ કેતુ, પ્રજવલિત, ભયંકર, દુકાવેય અગ્નિમાં પ્રવેશ કરે પણ વમેલને ફરી પીવા ન છે.) (૮૩૮) હે યશોકામી ધિક્કાર છે તેને કે તું ભોગીજીવનને માટે, ત્યક્ત ભોગોને ફરી ભોગવવા ઇચ્છે છે, તેના કરતાં તારું મરવું શ્રેયસ્કર છે. (૮૩૯) હું ભોજરાજાની પુત્રી છું. તું અંધકવૃદ્ધિનો પુત્ર છે. આપણે કુળમાં ગંધન સર્પ જેવા ન બનીએ. તું નિર્ભત થઈ સંયમ પાળ. (૮૪૦) જો તે જે કોઈ સ્ત્રીને જોઈને આ પ્રમાણે જ રાગભાવ કરીશ, તો વાયથી કંપિત હકની માફક અસ્વિતાત્મા થઈશ. (૮૪૧) જેમ ગોપાલ અને ભાંડપાલ તે દ્રવ્યના સ્વામી હોતા નથી, તે પ્રમાણે તે પણ શ્રમયનો સ્વામી નહીં થાય. (૮૪૨) નું ક્રોધ, માન, માયા લોભનો નિગ્રહ કર. ઇંદ્રિયોને વશ કરી તેને પોતાને ઉપસંહર. • વિવેચન ૮૩૫ થી ૮૪૨ - ભોધોગ - ઉત્સાહ ચાલી ગયેલ. શેમાંથી? સંયમમાંથી. સ્ત્રી પરીષહથી પરાજિત થયેલ. અસંભ્રાન્ત - આ બળથી અકાર્યમાં પ્રવર્તશે નહીં એવા અભિપ્રાયથી અત્રસ્ત. થઈને પોતાને વસ્ત્રો વડે ઢાંકી દે છે. નિયમ અને વ્રતમાં નિશ્ચલ રહેવું - ઇંદ્રિય અને નોઈદ્રિયનું નિયમન કરી પ્રવજ્યામાં જાતિ, કુલ, શીલની રક્ષા કરવી. કદાચ શીલના વંસથી જ આવા પ્રકારની નિમ્ન જાતિ અને કુળની સંભાવના રહે છે. તું આકાર સૌંદર્યથી ધનદ હો, સવિલાસ ચેષ્ટિતથી “કુબેર' નામે દેવ વિશેષ હો કે સાક્ષાત ઇન્દ્ર - રૂપાદિ અનેક ગુણ આશ્રિ હો. રૂપાદિ અભિમાનીને આ પ્રમાણે જ કહે. અથવા તારા પૌરુષને ધિક્કાર છે, તે અયશની કામના વાળા અકીર્તિના અભિલાષી! દુરાચારને વાંછે છે. તેમાં યશ-મહાકુળ સંભવ ઉભૂત. કામિ - ભોગની અભિલાષા કરનારા જીવિતના નિમિત્તે, ઉલટી કરાયેલા ભોગને ફરી ઇચ્છે છે. શિયાળ પણ પરિહરેલાની ઇચ્છાથી દૂર રહે છે. આ વમેલાને ફરી પીવા કરતા તો તારું મરણ થઈ જાય તે જ કલ્યાણકારી છે. કેમકે મરણમાં અભ્યદોષ છે. હું ભોગરાજ ઉગ્રસેનના કુળમાં જન્મી, તું અંધકવૃષ્ણિના કુળમાં ઉત્પન્ન થયો. તો આપણે ગંધન-સર્પ વિશેષ જેવા ન થઈએ. કેમ કે તેઓ જ વમેલા વિષને. બળતા અગ્નિમાં પડવાના ભયથી ફરી પીએ છે. વૃદ્ધો કહે છે - સર્પો બે જાતિના હોય, ગંધન અને અગંધન. તેમાં ગંધન સર્પો પસ્યા પછી મંત્ર વડે આકૃષ્ટ કરાતા, વિષને વ્રણના મુખથી પી જાય છે. અગંધન સર્પો મરણને પસંદ કરે, પણ ગમેલુ ન પીએ. તો શું કરવું જોઈએ? તે કહે છે - સંયમમાં સ્થિર થવું. કેમકે જો તું ભોગાભિલાષથી જે જે સ્ત્રીને જોઈશ, તેમાં તેમાં આકર્ષિત થઈશ, તો વાયુ વડે તાડિત હઠ - વનસ્પતિની જેમ અસ્થિતાત્મા - ચંચળ ચિત્ત વડે અસ્થિર સ્વભાવનો થઈ જઈશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009030
Book TitleAgam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy