________________
૩૬/૧૫૩૦
(૩) પુન્ય કર્મના વિપાકમાં ઇંદ્રિયાર્થોનું ઇષ્ટ સુખ છે. (૪) કર્મરૂપી કલેશનો વિમોક્ષ થતાં મોક્ષમાં અનુત્તમ સુખ છે. અહીં ‘સુખ’ શબ્દ આ મોક્ષસુક્ષના અર્થમાં પ્રયોજાયેલો જાણવો. - * * * - - ૪ - ઉક્ત ગ્રંથમાં અવગત નિરાકરણને માટે ફરી તેમના ક્ષેત્રના સ્વરૂપને કહે છે -
-
૦ સૂત્ર - ૧૫૩૧ -
જ્ઞાન - દર્શનથી યુક્ત, સંસારની પાર પહોંચેલ, પરમગતિ સિદ્ધિને પ્રાપ્ત તે બધાં સિદ્ધો લોકના એક દેશમાં સ્થિત છે.
• વિવેચન
૧૫૩૧
લોકના એક દેશમાં અથવા લોકાગ્રમાં, સિદ્ધો સંપૂર્ણ જ્ઞાન અને દર્શન સંજ્ઞિત, સંસારનો પાર પામેલા અને ફરી પાછા ન આવવારૂપ લક્ષણથી અધિક્તાથી અતિક્રાંત થયેલા, શ્રેષ્ઠ એવી સિદ્ધિગતિમાં ગયેલા. - ૪ - x - ૪ - x - આ પ્રમાણે પૂર્વે સૂત્રમાં જે કહેલું કે - “જીવો બે ભેદે છે - સંસારી અને સિદ્ધ.'' તેમાંથી સિદ્ધ જીવોને કહ્યા. હવે સંસારીને કહે છે -
સૂત્ર - ૧૫૩૨
સંસારી જીવોના બે ભેદો કહેલા છે
6
સ્થાવર જીવો ત્રણ ભેદે કહેલા છે.
-
-
Jain Education International
-
-
-
૧૯૭
કહેલ છે, છતાં વિપ્રતિપત્તિના
૦ વિવેચન - ૧૫૩૨ -
‘સંસારમાં રહેલ’ તે પૂર્વવત્. તેના બે ભેદો કહ્યા. તે બંનેમાં સ્થાવરોના ત્રણ પ્રકારો કહેલાં છે. અહીં અલ્પવક્તવ્યતા હોવાથી પછી નિર્દેશ કરવા છતાં પહેલાં સ્થાવરને કહેલ છે.
આ ત્રણ ભેદે સ્થાવરોને હવે કહે છે -
૦ સૂત્ર - ૧૫૩૩
પૃથ્વી, જળ, વનસ્પતિ આ ત્રણ પ્રકારે સ્થાવર જીવો કહેલા છે, હવે તેના ભેદો તમે મારી પાસેથી સાંભળો.
૦ વિવેચન
૧૫૩૩ -
અહીં જીવ શબ્દ પ્રત્યેક સાથે જોડવો - પૃથ્વીજીવ, અજીવ અને વનસ્પતિજીવ. જેમકે પૃથ્વી જ જીવ તે પૃથ્વીજીવ॰ ઇત્યાદિ.
ત્રસ અને સ્થાવર. તેમાં
(શંકા) પૃથ્વી આદિ જીવ શરીરો, આવા પ્રકારે નથી, આ જીવો કાઠિન્ય આદિ લક્ષણ છે, તો કઈ રીતે ઉપયોગલક્ષણા પૃથ્વી આદિ જીવ કહ્યા ?
(સમાધાન) જીવ અને શરીરના અન્યોન્ય અનુગતત્વથી વિભાગના અભાવથી કહેલ છે. તે અનાર્ષ નથી. ઉક્ત પ્રકારે પૃથ્વી આદિ સ્થાવરો ત્રણ ભેદે કહેલા છે. ઉત્તરગ્રંથના સંબંધને માટે કહે છે -
For Private & Personal Use Only
www.jainelibrary.org