________________
૧૭૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ (૧૩૫) પાકી કેરી અને પાકા કપિત્થનો રસ જેટલો ખાટોમીઠો હોય છે, તેનાથી અનંતગુણ અધિક ખટમીઠો તેજલેશ્યાનો સ હોય છે.
(૧૩૯૬) ઉતમ સુરા, ફુલોના બનેલા વિવિધ આસવ, મધુ, મેરેયક રસ જેવો અસ્ત હોય તેનાથી અનંતગણ અધિક અસ્ત પશલેશ્યાનો રસ હોય.
(૧૩૯૭) ખજૂર, દ્રાક્ષ, દુધ, ખાંડ અને સાકરનો રસ જેટલો મીઠો છે, તેનાથી અનંતગુણ અધિક મીઠો રસ શુક્લ વેશ્યાનો હોય છે.
વિવેચન - ૧૩૯૨ થી ૧૩૯૭ - સૂત્રાર્થ સ્પષ્ટ જ કહેલ છે માત્ર વિશેષ શબ્દો જ અત્રે નોંધીએ છીએ - કર્ક - કડવો, રસ - આસ્વાદ, ર્કિાબ - લીમડો, રોહિણી - વયાવિશેષ,
અહીં કટુક વિશેષણ તેના અતિશયને જણાવવાને માટે છે. અથવા ઓષધિ વિશેષને જણાવવા અહીં કટુક શબ્દ બીજી વખત નોંધેલ છે. આ કડવા તુંબડા આદિના રસથી અનંત શશિ વડે ગુણતા જેવો આસ્વાદ હોય તેવો કડવો રસ કૃષ્ણ લેશ્યાનો જાણવો તે તાત્પર્ય છે.
ત્રિકટુ - તીક્ષ્ણ કટુ. નીલ ગ્લેશ્યાનો રસ અતિ તીક્ષ્ણ - તીખો જાણવો.
તરણ - અપરિપક્વ કેરીનો રસ, તુવર - કષાયેલો. જેવો રસ હોય તેનાથી અનંતગુણ રસ કાપોત લેશ્યાનો જાણવો.
પરિણાંતા - પરિપક્વ એવી કેરી, કવિત્વનો રસ અથત કંઈક ખાટો અને કંઈક મીઠો એવો રસ તેજોલેશ્યાનો જાણવો.
વરવાર - પ્રધાન સુરા. વિવિધ પુષ્પોનો દારુ, મધ આદિનો રસ આ બધાં રસો કરતા અનંતગુણ કંઈક અમ્લ કષાય માધુર્યવાન રસ પદ્મનો છે.
ખજૂર, દ્રાક્ષ આદિ પ્રસિદ્ધ છે. તેની જેવો મધુર રસ એમ અર્થ લેવો. -૦- આ પ્રમાણે લેશ્યાનો રસ કહ્યો. હવે લેયાની ગંધ કહે છે - • સૂત્ર - ૧૩૯૮, ૧૩૯૯ :
ગાય, કુતરા, સપના મરેલા શરીરની જેવી દુર્ગધ હોય છે, તેનાથી અનંતગુણ અધિક દુર્ગન્ધ ત્રણે આપશસ્ત લેશ્વાની હોય છે.
સુગંધી ફૂલ, પીસાતા સુગંધી પદાર્થોની જેવી ગંધ છે, તેનાથી અનંત ગુણ અધિક સુગંધ ત્રણે પ્રશસ્ત વેશ્યાની હોય છે.
• વિવેચન - ૧૩૯૮, ૧૩૯૯ -
ગાય આદિના મડદાની ગંધ હોય તેવા પ્રકારની ગંધથી અનંત ગણી દુર્ગધ અપ્રશસ્ત - અશુભ લેશ્યાની હોય છે. અશુભ લેશ્યા કઈ? કૃષ્ણ, નીલ અને કાપોત. અહીં લશ્યાનું અપ્રશસ્તપણું અશુભ ગંધનો હેતુ છે.
જાઈ, કેતકી આદિ ફૂલોનો પમરાટ, કોષ્ઠપ્રટાદિ નિષ્પન્ન વાસ, અર્થાત આ બધાંની જે ગંધ, તે પીસાતા હોય ત્યારની સુગંધ, કેમકે તે વખતે આ ગંધ ઘણી પ્રબળતર હોય છે. તેનાથી અનંતગુણ સુગંધી પ્રશસ્ત લેશ્યાની ગંધ હોય. તે પ્રશસ્ત For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International