SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨/૧૨૫૬ થી ૧૨૬૬ ૧૪૫ શવ્યાસન જ મુનિને પ્રશસ્ત છે, તેમ ગણધરાદિ વડે પ્રશંસા કરાયેલ છે. તેથી તેનો જ આશ્રય કરવો જોઈએ. આના સમર્થનને માટે જ સ્ત્રીઓનું દુરતિક્રમ– કહે છે - (૧૨૬૩) મુક્તિના અભિલાષીને પણ, ચતુર્ગતિ રૂપ સંસારથી ભય પામેલા તે સંસારભીરુને, મૃતધમદિમાં સ્થિત હોય તો કંઈ દુસ્તર દુરાતિક્રમ આ લોકમાં નથી. જે પ્રમાણે સ્ત્રીઓ નિર્વિવેક ચિત્તવાળા અજ્ઞાનીને દુતર છે. અહીં દુતરત્વનો હેતુ બાલમનોહરપણું છે. તેથી સ્ત્રીઓના અતિ દુતરત્વને જાણીને તેના પરિહાર કરવા વડે વિવિક્ત શય્યા અને આસન જ કલ્યાણકારી છે. જો સ્ત્રીસંગના અતિક્રમને માટે આ ઉપાય ઉપદેશ્યો છે, તો બાકીના સંગના અતિક્રમણાર્થે કેમ કંઈ ઉપદેશ કરતા નથી ? તે કહે છે - (૧૨૬૪) સ્ત્રી વિષયક સંબંધોનું ઉલ્લંઘન કરવાથી બાકીના દ્રવ્ય આદિ સંગો ઉલ્લંધિત જ છે. બધાં સંગો રાગરૂપપણામાં સમાન હોવા છતાં આ બધામાં સ્ત્રીસંગ જ પ્રધાનપણે છે. તેનું દષ્ટાંત કહે છે - જો કોઈ સ્વયંભૂરમણ સમુદ્રને પાર કરી દે, તો તેને વયિિતશયના યોગથી ગંગા સમાન મહાનદી પાર કરવી સરળ છે. તેમ સ્ત્રી સંગના પરિહારથી બીજા સંગોને તજવાનું સરળ છે. - x-x- રાગના પરાજય માટે શા માટે આ પ્રમાણે ઉપદેશ કરેલ છે? તેવી આશંકા કરીને રાગના દુઃખ હેતુત્વને દશવિ છે - (૧૨૬૫) કામ - વિષયો, તેમાં અનુકૃદ્ધિ • સતત અભિકાંક્ષા, અનુભવ, અનુબંધ ઇત્યાદિ. તે કામગૃદ્ધિથી ઉત્પન્ન દુ:ખ કે અસાતા લોકના બધાં પ્રાણીગણને છે. તે દુઃખ કેવું છે? કાયિક - રોગ આદિ, માનસિક - ઇષ્ટ વિયોગાદિથી જન્ય. આ બંને દુઃખનો અંત વીતરાગતા - કામાનુગૃદ્ધિના ચાલી જવાથી થાય છે, તેવું કહેલ છે. “કામ' સુખરૂપ પણે જ અનુભવાય છે, તો શા માટે કામાનુગૃદ્ધિથી ઉત્પન્ન દુઃખ એમ કહેલ છે ? (૧૨૬૬) જેમ કિંપાક - વૃક્ષ વિશેષ, તેના ફળો મનોરમ - હૃદયંગમ અને આસ્વાધ, રુચિર રક્તાદિ વર્ણવાળા, સુગંધવાળા હોય છે છતાં તેના ભોગવતા જીવિતનો અંત લાવે છે. તે અધ્યવસનાદિથી કે ઉપક્રમ કારણોથી વિનાશ કરવાને માટે સમર્થ છે. તેથી તે જીવિત - આયુને વિપાક અવસ્થા પ્રાપ્ત કરવામાં - મરણાંત દુઃખદાયીતામાં સમર્થ છે. આ ઉપમાથી સમજાવે છે કે - કામગુણો કિંપાક ફળ સમાન છે, વિપક - ફળ પ્રદાન કાળમાં. કિંપાક ફળની માફક આ કામભોગો પણ ભોગવતી વેળા મનોરમ છે, પણ વિપાક અવસ્થામાં તે નરકાદિ દુર્ગતિના દુઃખ આપવા પણાથી અત્યંત દારુણ જ છે. તેથી દેખાવમાં મનોરમ હોવાથી ભલે સુખદાયી દેખાય, પણ પરિણામે અન્યથા ભાવવાળા જ છે. 30/10] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009030
Book TitleAgam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy