SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૩૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ • વિવેચન - ૧૨૨૭ થી ૧૨૪૫ - (૧૨૨૭) એક સ્થાનથી વિરતિ અર્થાત વિરમવું, ઉપરમવું તે. ધારણ કરે અને એકમાં પ્રવર્તન કરે આને જ વિશેષથી કહે છેહિંસાદિ રૂપ અસંયમથી નિવૃત્તિ અને પરિહાર રૂપ સંયમમાં પ્રવૃત્તિ કરે. (૧૨૨૮) રાગ અને દ્વેષ એ પાપ - કોપાદિ પાપ પ્રકૃતિરૂપપણાથી પાપકર્મ - મિથ્યાત્વ આદિને પ્રવતવિ છે. જે ભિક્ષુ કથંચિત ઉદિત એવા તેના પ્રસારનું નિરાકરણ કરવા વડે સદા તિરસ્કાર કરે છે, તે મંડલમાં રહેતો નથી. અર્થાત ભ્રમણ કરતો નથી. મંડલ શબ્દથી આતુરંત સંસારનું ગ્રહણ કરવું. અહીં મુક્તિ પદની પ્રાપ્તિ એ હેતુ છે. તેમ આગળ પણ જાણવું. (૧૨૨૯) દંડાય છે અર્થાત ચાત્રિ વડે ચર્યાના અપહારથી અસાર કરાય છે, આત્મા જેના વડે તે દંડ - દુપ્પણિહિત માનસાદિ રૂપ તે મનોદંડાદિ. • ૪- તેની કિક તે મનોદંડ, વચનદંડ, કાયદંડ રૂ૫. તથા ગુરુ - લાભના અભિમાનથી ધમતા ચિત્તવાળો અથવા તેવા અધ્યવસાયયુક્ત તે ત્રણ ગૌરવ - સદ્ધિ ગૌરવ, રસ ગૌરવ, શાતા ગૌરવ રૂપ. જેના વડે પ્રાણીને પીડા થાય, શલ્થિત થાય તે શલ્યો, તે માયા, નિદાન અને મિથ્યાત્વશલ્ય રૂપ છે. આ ત્રણે ત્રિકને જે ભિક્ષ ત્યજે છે, તે સંસારમાં ન ભમે. (૧૨૩૦) દિવ્ય - હાસ્ય, દ્વેષ, વિમર્શ, પૃથફ, વિમાસા વડે દેવે વિહિત એવા સામીપ્યથી ઉત્પન્ન કરાયેલા તે દિવ્ય ઉપસર્ગો તથા તિર્યંચના - ભય, દ્વેષ, આહાર હેતુ, બચ્ચાના માળાના સંરક્ષણ હેતુથી કરાયેલા તે તિર્યંચ કૃત ઉપસર્ગ, માનુષ્યોના - હાસ્ય, પ્રદ્વૈષ, વિમર્શ કુશીલ, પ્રતિસેવનરૂપનિમિત્તથી કરાતા માનુષી ઉપસર્ગો તેમજ આત્મ સંવેદનીય ઘટ્ટન, પ્રપતન, સ્તંભન આદિ તે જે ભિક્ષ સહન કરે (૧૨૩૧) વિરુદ્ધ કે વિરૂપા જે કથા, તે સ્ત્રી, ભોજન, જનપદ અને રાજાના ભેદથી ચાર પ્રકારે હોય છે. કષાય - ક્રોધ, માન, માયા, લોભ રૂપે છે. સંજ્ઞા - આહાર, ભય, મૈથુન, પરિગ્રહ રૂપે છે. ચાર ધ્યાનમાં આર્ત અને રૌદ્ધ ને લેવાના. તેને જે ભિક્ષ પરિહરે છે. (૧૨૩૨) વ્રત- હિંસા, અસત્ય, તેય, અબ્રાહ, પરિગ્રહની વિરતિરૂપ. ઇંદ્રિયશબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સમિતિ - પાંચ ઇયદિ. ક્રિયા - કાયિકી, અધિકરણિકી, પ્રહેપિડી, પારિતાપનિકી, પ્રાણાતિપાત રૂપ. જે ભિક્ષ યથાવત્ પરિપાલનથી વ્રત અને સમિતિમાં યત્ન કરે છે. ઇંદ્રિયોના અર્થોમાં માધ્યસ્થ રહે છે અને ક્રિયાનો પરિહાર કરે છે તે (૧૨૩૩) લેશ્યા - છ, કાય - પૃથ્વી આદિ છે, આહારના કારણો છે તેમાં જે ભિક્ષુ યથાયોગ નિરોધ- ઉત્પાદન રક્ષા અનુરોધ વિધાનથી યત્ન કરે (૧૨૩૪) આહાર ગ્રહણ વિષયક અભિગ્રહરૂપ સંસૃષ્ટકદિમાં અનંતર અધ્યયનમાં કહેલ સાત લેવી. સાત ભય-ભય મોહનીયથી ઉત્પન્ન આત્મ પરિણામની ઉત્પતિ નિમિતપણાથી, ઇહલોકભય આદિ સાતમાં જે ભિક્ષ પહેલામાં ઉપયોગવાનું થાય, ભયને ન કરીને સંસારમાં ન ભમે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009030
Book TitleAgam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy