SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯/૧૧૮૫ ૧૧૭ આદિને ખપાવે છે. - - - - ચરમ સમયે જે કર્મ પ્રકૃતિને ખપાવે છે, તેને સૂત્રકાર સ્વયં કહે છે પાંચ જ્ઞાનાવરણીય, નવ દર્શનાવરણીય, પાંચ અંતરાય. આ ત્રણેને એક સાથે એક કાળે ખપાવે છે. આટલી કર્મ પ્રકૃતિ ખપાવીને અનુત્તર જ્ઞાન કે જે અનંતવિષયક છે. સંપૂર્ણ છે, પરિપૂર્ણ છે, નિરાવરણ છે, વિહિતિર છે, વિશુદ્ધ છે, તત્ત્વ સ્વરૂપનાપ્રકાશવથી લોકાલોક પ્રભાવક છે. પાઠાંતરથી લોકાલોક સ્વભાવ છે. કેવળ - બીજા જ્ઞાનની અપેક્ષાથી રહિત છે. એવા જે જ્ઞાન અને દર્શન, જેમાં કેવલ વર વિશેષણથી કેવલવર જ્ઞાન દર્શનને પામે છે. તે યાવત સયોગી અર્થાત મન, વચન, કાયાના વ્યાપારવાળો હોય, ત્યાં સુધી એયપિથિક કર્મ બાંધે ઉપલક્ષણથી ઉભો કે બેઠો હોય તો પણ સયોગથી ઇર્યા સંભવે છે કેમકે સયોગિતામાં કેવલીને પણ સૂક્ષ્મ માત્ર સંસાર સંભવે છે, તેથી એયપથિકી કર્મનો બંધ રહે છે. - X- X- X-. તે કર્મનોબંધ કેવો થાય છે? સુખ આપે તે સુખ, સ્પર્શ - આત્મ પ્રદેશો સાથે સંશ્લેષ જેનો છે તે સુખ સ્પર્શ. તેના બે સમય છે, તેવા પ્રકારની સ્થિતિને કારણે દ્વિસમય સ્થિતિક કહે છે. તે આ પ્રમાણે - પહેલા સમયે બાંધે - આત્મસાત કરે તે સ્પષ્ટ. બીજા સમયે વેદિર - અનુભૂત, ઉદયને વેદ. ત્રીજા સમયે નિજિર્ણ - ખરી જાય. કેમ કે તેનાથી ઉત્તરકાળ સ્થિતિ કષાયના હેતુ પણે થાય છે. - x- - X-. અહીં સૂત્રકારે સ્પષ્ટ અને બદ્ધ બે ક્રિયા કહી છે. તેનાથી તેઓ નિદત્ત એ નિકાચિત અવસ્થાનો અભાવ સૂચવે છે. ઉદીરિત-ઉદય પ્રાપ્ત, ઉદીરણાનો ત્યાં સંભળ નથી. વેદિત - તેના ફળ રૂપ સુખનો અનુભાવ, નિર્જિણ - ક્ષયને પામેલ. સંચાલ - આગામી કાળે. ચોથા સમય આદિમાં અકર્મ થાય છે. તે જીવની અપેક્ષાથી ફરી તેને તથાવિધ પરિણામનો અભાવ થાય છે - અર્થાત - તે સાતા કર્મ જ બાંધે છે. • સૂત્ર - ૧૧૮૬ - કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી, શેષ આયુને ભોગવતો એવો, જ્યારે અંતર્મુહૂર્ત પરિમાણ આયુ બાકી રહે છે, ત્યારે તે યોગ નિરોધમાં પ્રવૃત્ત થાય છે. ત્યારે સૂમ ક્રિયા પ્રતિપાતિ નામક શાક્ત ધ્યાનને વ્યાતો એવો પહેલાં તે મનોયોગનો વિરોધ કરે છે. અનંતર વચન યોગનો નિરોધ કરે છે. તેના પછી આના પાનનો નિરોધ કરે છે. તેનો નિરોધ કરીને પાંચ દ્વિસ્વ - અક્ષરના ઉચ્ચારણ કાળ સુધી “સમુચ્છિન્ન ક્રિયા અનવૃત્તિ” નામક શુક્લ ધ્યાનમાં લીન થયેલો અણગર વેદનીય, આણ, નામ અને ગોબ એ ચાર કર્મોને એક સાથે ખપાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009030
Book TitleAgam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy