________________
૧૦૮
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ કેવલીના શેષ ચારે કમીશોનો ક્ષય કરે છે. તે આ પ્રમાણે - વેદનીય, આયુ નામ અને ગોત્ર. ત્યાર પછી તે સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે. મુક્ત થાય છે, પરિનિર્વાણને પામે છે, બધા દુઃખોનો અંત કરે છે.
• વિવેચન - ૧૧૫૪ - - હવે સર્વ પ્રત્યાખ્યાન પ્રધાન સભાવ પ્રત્યાખ્યાનને કહે છે. તેમાં સદ્ભાવ - સર્વથા ફરી કરણ અસંભવથી પરમાતે વડે પ્રત્યાખ્યાન, તે સર્વ સંવર રૂપ શૈલેશી સુધી હોય છે, તેના વડે. નિવૃત્તિ - મુક્તિ વિધમાન નથી તેવા અનિવૃત્તિ શુક્લ ધ્યાન રૂપ ચોથા ભેદને પામે છે. - x x- તે ગુણસ્થાનને પામીને કેવલી ચાર પ્રકારના ભવોપગ્રાહી કર્મનો ક્ષય કરે છે.
• સૂત્ર • ૧૧૫૫ -
ભગવદ્ ! પ્રતિરૂપતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? પ્રતિરૂપતાથી જીવ લાઘવતાને પામે છે. લઘુભૂત જીવ આમત્ત, પ્રક્ટ લિંગ, પ્રશસ્ત લિંગ, વિશુદ્ધ સત્ત, સત્ય સમિતિ સંપન્ન, સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્વોને માટે વિશ્વાસનીય, અલ્પ પ્રતિલેખનવાળા, જિતેન્દ્રિય, વિપુલ તપ અને સમિતિનો સર્વત્ર પ્રયોગ કરનારો થાય છે.
• વિવેચન - ૧૧પપ -
ઉક્ત પ્રત્યાખ્યાનો પ્રાયઃ પ્રતિરૂપતામાં જ તાય છે. પ્રતિ - સાદશ્ય, તેની પ્રતીતિ - સ્થવિર કપાદિ સદેશ રૂપ -- વેષ જેનો છે તે. તેઓ અધિક ઉપકરણના પરિહાર રૂપથી લાઘવતાને પામે છે તેમાં દ્રવ્યથી સ્વલ્પ ઉપકરણત્વથી અને ભાવથી અપ્રતિબદ્ધતાને પામે છે. અપ્રમત્ત - પ્રમાદ હેતુનો પરિહાર, પ્રકટલિગ - સ્થવિરાદિ કપરૂપથી વતી એ પ્રમાણે વિજ્ઞાયમાનપણે. પ્રશસ્તલિંગ- જીવરક્ષણ હેતુ જીહરણાદિ ધારકપણાથી. વિશુદ્ધ સમ્યક્ત - સખ્યત્ત્વના વિશોધનથી તેનો સ્વીકાર. - *- - ઇત્યાદી બધું સૂત્રાર્થવતુ જાણવું - X - X-x-x
• સૂત્ર - ૧૧૫૬ -
ભગવન ! તૈયાવચ્ચથી જીવને શું પ્રાપ્ત થાય છે? વૈયાવચ્ચથી જીવ તીર્થકર નામ ગોગનું ઉપાર્જન કરે છે.
• વિવેચન - ૧૧૫૬ -
પ્રતિરૂપતામાં પણ વૈયાવચ્ચથી જ વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થાય, તેથી હવે વૈયાવચ્ચ કહે છે - કુળ આદિના કાર્યોમાં વ્યાપારવાન, તેનો જે ભાવ તે વૈયાવચ્ચ. તેના વડે તીર્થકર નામ ગોત્ર કર્મ બંધાય છે.
• સૂત્ર - ૧૧૫૭ -
ભગવાન ! સર્વગુણ સંપન્નતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? સર્વ ગુણ સંપન્નતાથી જીવ અપુનરાવૃતિને પ્રાપ્ત થાય છે. પુનરાવૃત્તિ બામ જવ શારીરિક અને માનસિક દુઃખોનો ભાગી થતો નથી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org