________________
૧૦૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ • સૂત્ર - ૧૧૩૬ -
ભગવન ! ધર્મકથાથી જીવને શું પ્રાપ્ત થાય છે? ધર્મકથાથી જીવ કમની નિર્જરા કરે છે, પ્રવચનથી પ્રભાવના કરે છે. પ્રવચનની પ્રભાવના કરનાર જીવ ભાવિમાં શુભ ફળ દેનારા કર્મોનો બંધ કરે છે.
વિવેચન ૧૧૩૬ -
એ પ્રમાણે અભ્યસ્ત શ્રુતથી ધર્મકથા પણ કરવી જોઈએ, તેથી તેને કહે છે - ઘર્મકથા અર્થાત વ્યાખ્યાન રૂપથી નિર્જરાને પામે છે. અતવા પ્રવચનને પ્રકાશિત કરે છે. કહ્યું છે કે - પ્રાવયની, ધર્મકથી આદિ આઠ ધર્મપ્રભાવકો કહ્યાં છે. સૂત્રપણાથી આગામી કાળ ભાવી ભદ્ર - કલ્યાણ જેમાં છે, તેવા કર્મો બાંધે છે. અથવા આગામી કાળમાં શશ્વત ભદ્રતાથી અનવરત કલ્યાણપણાથી ઉપલક્ષિત કમ બાંધે છે. અર્થાત શુભ કર્મો ઉપાર્જે છે.
• સૂત્ર - ૧૧૩૭ -
ભગવદ્ ! ચુતની આરાધનાથી જીવને શું પ્રાપ્ત થાય છે? શ્રુત આરાધનાથી જીવ અજ્ઞાનનો ક્ષય કરે છે. અને કલેશને પ્રાપ્ત થતાં નથી.
૦ વિવેચન - ૧૧૩૭ -
આ રીતે પંચવિધ સ્વાધ્યાયરતથી મૃત આરાધિત થાય છે, તેથી ભૂતની આરાધના કહે છે. શ્રતની સમ્યગ આસેવનાથી અજ્ઞાન - અનવબોધને દૂર કરે છે અને વિશિષ્ટ તત્વાવબોધને પામે છે. અને રાગાદિ જનિત સંકલેશના ભાગી થતાં નથી. તેના વશથી નવા નવા સંવેગને પામે છે. - X- X-.
• સૂગ - ૧૧૩૮ -
ભગવના મનને એકાગ્રતામાં સ્થાપિત કરવાથી જીવને શું પ્રાપ્ત થાય છે? મનને એકાગ્રતામાં સ્થાપિત કરવાથી ચિત્તનો નિરોધ થાય છે.
- વિવેચન - ૧૧૩૮ -
મૃતની આરાધના એકાગ્ર મન સંનિવેશથી જ થાય છે. તેથી હવે તેને કહે છે - જેનું શુભ આલંબન છે, તે એકાગ્ર, તેમાં મન રાખીને તેની સ્થાપના કરવી, અથવા એક અગ્રમાં જ મનને સ્થાપવા પડે ઉન્માર્ગમાં પ્રસ્થિત ચિત્તનો નિરોધ - નિયંત્રણા કરવી તે ચિત્ત નિરોધ, તેને કહે છે.
• સૂત્ર - ૧૧૩૯ -
ભગવન! સંયમથી જીવને શું પ્રાપ્ત થાય છે? સંયમથી આશવનો નિરોધ પ્રાપ્ત થાય છે.
• વિવેચન - ૧૧૩૯ -
એકાગ્ર મનવાળાને જ સંયમથી ઈષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે, તેથી સંયમને કહે છે – સંચમ એટલે પાંચ આશ્રવથી વિરમણ આદિ વડે, અવિધમાન કર્મત્વને પામે છે. કેમકે તેઓ આશ્રવથી વિરમેલ છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org