________________
૧૦૧
૨૯/૧૧૩૫
• સૂત્ર - ૧૧૩૫ -
ભગવન અનપેક્ષાથી જીવ આયુકર્મને છોડીને બાકીને જ્ઞાનાવરણીયાદિ સાત કમની પ્રવૃતિઓને પ્રગાઢ બંધનોથી શિથિલ કરે છે. તેની દીર્ઘકાલીન સ્થિતિને આઘકાલીન કરે છે, તેના તીવ રસાનુબંધને મંદ કરે છે. બહુકમપદેશોને આધ્ય પ્રદેશવાળા કરે છે. આયુષ કર્મોનો વધ કદાચિત કરે છે, કદાચિત કરતા નથી. અસાતા વેદનીય કર્મનો પુનઃ પુનઃ ઉપચય કરતા નથી. જે સંસાર અટવી અનાદિ અને અનંત છે, દીર્ધમાગણી યુક્ત છે, જેના નરકાદિ ગતિરૂપ ચાર અંત છે, તેને શીવ પાર કરે છે.
• વિવેચન - ૧૧૩૫ -
સૂત્રવત અર્થમાં પણ વિસ્મરણ સંભવે છે. તેથી તેની પણ પરિભાવના કરવી જોઈએ, તે અનુપ્રેક્ષા. સૂત્રની અનુપ્રેક્ષા - ચિંતનિકા, તેનાથી પ્રકૃષ્ટ શુભ ભાવોની ઉત્પત્તિના નિબંધનપણાથી આયુષ્યને વર્જીને સાત કર્મ પ્રકૃતિ છે. તે સાત પ્રકૃતિ, જે ગાઢ બંધનથી નિકાચિત હોય છે, તેને શિથિલ બંધન બદ્ધ કરે છે. અર્થાત તેને તપોરૂપત્વથી અપવર્તનાદિકરણ યોગ્ય કહે છે અને તપથી નિકાચિત કર્મને ખપાવવામાં પણ સમર્થ થાય છે. શુભ અધ્યવસાય વશથી સ્થિતિ ખંડકના અપહારથી દીર્ઘકાલિક સ્થિતિને દૂર્વકાલિક કરે છે. કેમકે બધાં કર્મોની પણ સ્થિતિનું અશુભપણું છે. - - ૪ - તીવ્ર અનુભવાથી ચતુઃ સ્થાનિક રસત્વથી મંદાનુભાવા ત્રિસ્થાનિક રસત્યાદિના આપાદનથી કરે છે. અહીં અશુભપ્રકૃતિ જ ગ્રહણ કરાય છે. કેમકે શુભભાવનું શુભાશુભ તીવમંદાનુભાવ હેતુપણાથી છે. તેથી શુભભાવથી તીવ્ર અનુભાવ બાંધે છે. બહુપદેશિકને અયપ્રદેશવાળી કહે છે.
(પ્ર-) કયા અભિપ્રાયથી આયુને વર્જીને સાત પ્રકૃતિ કહેલ છે? (ઉત્તર--) શુભાયુષ્ક જ સંયતને ઉક્ત કર્યપ્રકૃતિ અપવર્તનાકરણાદિ સંભવે છે. તેની જ અનપેક્ષા તાત્વિકી છે, શુભ ભાવથી શુભપ્રકૃતિનું શિથિલતાદિકરણ ન થાય. - x- (શંકા) શુભાયુ બંધ છતાં આ પ્રકૃતિનું ફળ કેમ નથી કહ્યું? (સમાધાન) આયુષ્ક કર્મ કદાચ બંધાય છે, તેનો વિભાગાદિ શેષ આયુષ્કતામાં જ બંધનો સંભવ છે. કહ્યું છે કે- કદાચ ત્રિભાગે, કદાચ વિભાગ વિભાગમાં
અસાતવેદનીય - શારીરાદિ દુઃખહેતુ, અને કર્મ શocથી બીજી અશુભ પ્રકૃતિ વારંવાર બાંધતા નથી. • x x• બીજા એ પ્રમાણે કહે છે કે - સાતા વેદનીય કર્મને વારંવાર એકઠાં કરે છે. - x-. બાકી સ્પષ્ટ છે.
- અનાદિ- આદિનો અસંભવ છે. અવદઝ - સદા અવસ્થિત અનંત પરિણામ પણાથી હોવાથી તેને અનંત કહે છે. આ પ્રવાહની અપેક્ષાથી જાણવું. તેથી જ દીર્ઘકાળ - તેનો પરિભ્રમણ હેતુ કર્મ રૂપ માર્ગ જેમાં છે, તે ચારગતિ રૂપ છે. એવા ચાર ગતિરૂપ સંસાર કાંતારને (અનુપેક્ષા કરનાર) જલ્દીથી વિશેષ ઉલ્લંઘી જાય છે, અતિક્રમે છે. અર્થાત મુક્તિ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org