SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ અસંખ્ય ભાવિક કર્મને વિશેષથી ખપાવે છે. • સૂત્ર - ૧૧૩૨ - ભગવાન ! વાસનાથી જીવને શું પ્રાપ્ત થાય છે? વાસનાથી જીવ ક્રમોની નિર્જરા કરે છે, ક્ષતજ્ઞાનની આશાતનાના દોષથી દૂર રહે છે. તેના કારણે તીર્થધર્મનું અવલંબન કરે છે. તીર્થ ધર્મના અવલંબનથી કમોની મહાનિર્જરા અને મહાપર્યવસાન કરે છે. વિવેચન - ૧૧૩૨ - સ્વાધ્યાયનમાં પહેલા વાયના જ કરવી જોઈએ, તેથી તેને કહે છે - ગુરુનું પ્રયોજક ભાવે શિષ્ય પ્રતિ કથન તે વાયના અર્થાત પાઠન. તેના વડે કર્મોનું પરિશાટન થાય છે. તથા શ્રત- આગમની અનાશાતનામાં વર્તે છે. તેમ ન કરવામાં જ અવાથી કૃતની અશાતના થાય છે. તે કરવાથી નહીં તેથી મૃતની અનાશાતનામાં અનુરક્ત થવું. અથવા વર્તમાન તીર્થ તે અહીં ગણધર છે, તેનો ધર્મ-આચાર, શ્રત ધર્મ પ્રદાન રૂપ તીર્થ ધર્મ. અથવા તીર્થ - પ્રવચન - શ્રતને અર્થથી ધર્મ. તે સ્વાધ્યાયને અવલંબતા - આશ્રીને ઘણી મોટી કર્મ નિર્જરા થાય છે. - X- પર્યવસાન એટલે કમોં કે ભવનો અંત. વાયના સ્વાધ્યાયથી એ રીતે મુક્તિને ભજનાર થાય છે. • સૂત્ર - ૧૧૩૩ - ભગવન પ્રતિપૃચ્છનાથી જીવને શું પ્રાપ્ત થાય? પ્રતિપૃચ્છના વડે જીવ સૂઝ, અર્થ, તદુભય સંબંધિત કાંક્ષા મોહનીયનો વ્યવચ્છેદ થાય. • વિવેચન - ૧૧૩૩ - વાચનાને ગ્રહણ કર્યા પછી પણ સંશયાદિ ઉત્પત્તિમાં પ્રશ્નો કરવા તે પ્રતિ પછતા અવસર છે, તેથી તેને કહે છે-પહેલાં કહેલ સૂટાદિને પુનઃ પૂછવા તેપ્રતિપછના. તેના વડે સૂત્ર, અર્થ અને તદુભયને વિશુદ્ધ કરે છે. સંશયાદિ માલિન્યને દૂર કરવા વડે વિશુદ્ધ કરે છે તથા કાંક્ષા - આ આ પ્રમાણે છે કે આ પ્રમાણે મારે ભણવું યોગ્ય છે? ઇત્યાદિ વાંછા - તે જ મોહ પમાડે છે - ૪- કાંક્ષા મોહનીય કર્મ અનભિગ્રહિક મિથ્યાત્વરૂપ છે તેને (પ્રતિપૃચ્છના વડે) વિશેષથી દૂર કરે છે. • સૂગ - ૧૧૩૪ - ભગવાન ! પરાવતનાથી જીવને શું પ્રાપ્ત થાય છે? પરાવર્તના વડે વ્યંજન - પદપાઠ શિર થાય છે. અને જીવ પદાનસરિતા યાદિ જન ઉહિને આમ થાય છે. • વિવેચન - ૧૧૩૪ - પૃચ્છના દ્વારા વિશોધિત સૂત્રનું વિસ્મરણ ન થાય માટે પરાવર્તના કહે છે. તેમાં પરાવર્તન-ગુણન, તેના વડે જે અર્થને ઓળખાવાય છે. તેવ્યંજન- અક્ષરને ઉત્પાદિત કરે છે. - - - તાવિધ કર્મના ક્ષયોપશમ વડે પદાનુસારિતા વ્યંજનલબ્ધિ પ્રાપ્ત થાય છે. - x-x Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009030
Book TitleAgam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy