________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ કરનાર. (૧૦) હું તપસ્વી છું ઇત્યાદિ અભિમાન કરનાર, (૧૧) અન્ન આદિમાં અભિકાંક્ષાવાનું (૧૨) અનિગ્રહ, (૧૩) સંવિભાગ ન કરવાના સ્વભાવવાળો, અસંવિભાગી આહારદિ પ્રાપત કરીને બીજાને કંઈપણ ન આપે પરંતુ પોતાને જ પોષનાર હોય. (૧૪) અપ્રીતિકર - જોનાર, સાંભળનાર બધાને અપ્રીતિ જ ઉત્પાદિત કરે છે. આવા પ્રકારનો દોષયુક્ત હોય તેને અવિનિત કહે છે.
આ પ્રમાણે અવિનિત સ્થાનોને જણાવીને વિનીત સ્થાનોને કહે છે - પંદર સ્થાનો વડે શોભન વિનયથી યુક્ત સુવિનિત કહેવાય છે. તેને જ કહે છે - નીચ - અનુદ્ધ જે રીતે થાય, એ પ્રમાણે નીચી શય્યાદિમાં વર્તે છે તે નીયવર્તી, ગુરુની નીચે વર્તે છે તે. અચપલ - આરંભેલા કાર્ય પ્રતિ અસ્થિર અથવા અપચલ - ગતિ, સ્થાન, ભાષા, ભાવ ભેદથી ચાર પ્રકારે છે. તેમાં ગતિચપલ તે દ્રાચારી, સ્થાનચપલ તે બેઠો હોય તો પણ ચાલતો હોય તેમ રહે, ભાષાચલ - અસતુ, અસભ્ય, અસમીક્ષ્ય, અદેશકાળ પ્રલાપી ભેદથી ચાર પ્રકારે છે. અસત્ - અવિધમાન, અસભ્ય - ખર પુરુષાદિ, અસમીક્ષ્ય - આલોચના કર્યા વિના બોલનારો. ચોથો અદેશકાલપ્રલાપી - કાર્ય વીતી ગયા પછી જે બોલે - જો આમ હોય તો ત્યાં દેશ કે કાળમાં આમ કરત તો સુંદર થાત. ભાવચપલ - સૂત્રમાં કે અર્થમાં અસમાપ્ત જ જે બીજું ગ્રહણ કરે છે.
અમારી – મનોજ્ઞ આહારાદિ પામીને ગુરુ આદિને વંચક ન થાય. અકુતૂહલ - કુટુક ઇન્દ્રજાલાદિ અવલોકનથી પર, અલ્પ – સ્તોક, તિરસ્કાર કરે અર્થાત અલ્પ એવા જ શબ્દ કે અભાવવચનાથી તિરસ્કાર કરે છે. એટલે કે કોઈને તિરસ્કાર કરતો જ નથી. મિત્રોને ઉપકાર કરે, પણ પ્રતિ ઉપકાર પ્રતિ અસમર્થ ન બને - કે કૃતઘ્ન ન બને, શ્રત પામીને અભિમાન ન કરે, પણ મદના દોષોને જાણીને વધારે નમ્ર થાય. પાપ પરિક્ષેપી ન થાય, મિત્રો પરત્વે કૃતજ્ઞતાથી કથંચિત અપરાધમાં પણ કોપ ન કરે. અપ્રિય એવા મિત્રના રહસ્યમાં પણ કલ્યાણ જ બોલે, - x- પણ તેના દોષ ઉધાડા ન પાડે. કલહ - વાગ્યાથી વિગ્રહ અને ડમર - પ્રાણઘાત આદિ, તેનો વર્જક હોય. બુદ્ધબુદ્ધિમાન. અજાતિ - કુલિનતા. દ્ી - લજ્જા, તે જેને વિધમાન છે, તે ફ્રીમાન, કથંચિત કલુષ અધ્યવસાયતામાં પણ અકાર્ય આચરતા લજ્જા પામે. પ્રતિસલીન - ગુરુની પાસે કે અન્યત્ર કાર્ય વિના અહીં - તહીં પ્રવૃત્તિ ન કરે. - x
આવો વિનીત કેવો થાય? • સૂત્ર - ૩૪૧ -
સદા ગુરુકૂળમાં રહે, યોગ અને ઉપધાનમાં નિરત છે, પય કરનાર અને પરભાષી છે, તે શિક્ષા પ્રાપ્ત કરી શકે છે.
• વિવેચન- ૩૪૧ -
વસે એટલે કે રહે. ક્યાં ? સદા આચાર્યાવાદિના ગચ્છમાં, અર્થાત્ તેમની આજ્ઞામાં. જાવજીવ ગુરુ આજ્ઞામાં જ રહે. યોજવું તે યોગ - વ્યાપાર, અહીં પ્રકમથી ધર્મગત વ્યાપાર લેવો. અથવા યોગ - સમાધિ, તે જેને છે તે યોગવાન. ઉપઘાન -
અંગ, અનંગ અધ્યયન આદિ. યથાયોગ આયંબિલાદિ તપો વિશેષ. તેનાથી યુક્ત, Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org