________________
૧૧/૩૩૦ થી ૩૩ર
અનન્યત્વને જણાવવા માટે છે. વિશેષ કથનથી કવચિત, કોઈકને અંતર્ભાવ સંભવમાં પણ પૃથક ઉપાદાન, તેને પરિહાર આગળ પણ કહેવો.
અબહુશ્રુતત્વ કે બહુશ્રુતત્વમાં અથવા અવિનય કે વિનયમાં મૂળ કારણ તત્ત્વથી ઉક્ત હેતુમાં આનો અંતર્ભાવ છે તે માટે અવિનીત અને વિનીતનું સ્વરૂપ જાણ્યા વિના તે જાણવા શક્ય નથી, તેથી કહે છે -
• સૂત્ર - ૩૩૩ થી ૩૪૦ -
ચૌદ સ્થાને વ્યવહાર કરનાર સંવત મુનિ અવિનીત કહેવાય. અને તે નિવણ ન પામે. (૧) ભિક્ષણ ક્રોધી હોય. (૨) ક્રોધને લાંબો સમય ટકાવે. (૩) મિત્રતાને હરાવે, (૪) શ્રત પામીને અહંકાર કરે, (૫) બીજાનો પાપ પરિક્ષપી, (૬) મિત્રો પર ક્રોધ કરનાર, (૭) પ્રિય મિત્રોની પણ એકાંતમાં બુરાઈ કરે છે. (૮) અસંબદ્ધ પ્રલાપ કરે, (૯) દ્રોહી, (૧૦) અભિમાની, (૧૧) રસ લોલુપ, (૧૨) અજિતેન્દ્રિયા, (૧૩) આસંવિભાગી, (૧૪) આમીતિકર છે, તે અવિનિત છે.
પંદર સ્થાને તે સુવિાનિત કહેવાય છે - (૧) જે નમ્ર છે, (૨) અસપલ છે, (૩) સામાસી, (૪) અકુતુહલી, (૫) કોઈની નિંદા ન કરનાર, (૬) ક્રોધને લાંબો સમય પકડી ન રાખે, (૭) મિત્રો પ્રતિ કૃતજ્ઞ, (૮) શ્રતને પામીને અહંકાર ન કરે. (૯) પાપ પરિક્ષેપી ન હોય, (૧૦) મિઓ ઉપર ક્રોધ ન કરે. (૧૧) અપ્રિય મિત્રને માટે પણ એકાંતમાં કલ્યાણની વાત કરે. (૧) વાફ કલહ અને મારપીટ ન , (૧૩) અભિજાત હોય, (૧૪) લજ્જશીલ હોય, (૧૫) પ્રતિસંલીન હોય, તે સાધુને વિનીત કહેલ છે.
• વિવેચન - ૩૩૩ થી ૩૪૦ -
ચૌદ સ્થાનોમાં રહેલો સંયત અવિનીત કહેવાય છે. તેવો તે મોક્ષ અને ચ શબ્દથી આ જ્ઞાનાદિને પામતો નથી. તે ૧૪ સ્થાનોમાં આ છે - (૧) તે વારંવાર કે ક્ષણે ક્ષણે કે અનવરત ક્રોધી હોય અને નિમિત્ત હોય કે ન હોય તે ક્રોધિત જ રહે છે. (૨) વિકથાદિમાં કે વિચ્છેદથી પ્રવર્તન કે પ્રબંધન કરે છે. (૩) મિત્રતા કરવા છતાં પણ, મિત્ર- આ મારો છે, તેમ ઇચ્છવા છતાં પણ તેનો ત્યાગ કરે છે. - x• x x-(૪) મૃત - આગમ પણ પ્રાપ્ત કરીને અભિમાન કરે છે. - - - (૫) કથંચિત સમિતિ આદિમાં
અલિત લક્ષણોથી આચાર્યાદિનો તિરસ્કાર કરે છે, એવો આચાર જેનો છે તે પાપ પરિક્ષેપી (૬) મિત્રો પરત્વે પણ, બીજાઓ ઉપર પણ ક્રોધ કરે. (૭) અતિવલ્લભને પણ, મિત્રના એકાંતમાં પણ પાપોને બોલે અર્થાતુ આગળ પ્રિય બોલે અને પાછળથી તેના અનાચારને પ્રગટ કરે છે.
(૮) જે પ્રકીર્ણ - આમ તેમ અર્થાત અસંબદ્ધ બોલવાના સ્વભાવવાળો, પ્રકીર્ણવાદી છે, વસ્તુતત્ત્વ વિચારમાં પણ જે યત્કિંચિનાવાદી કહે છે. અથવા જે - આ પાત્ર છે કે પાત્ર છે, એમ પરીક્ષા કર્યા વિના જ કંઈક અધિગત શ્રત રહસ્યને કહેવાનો સ્વભાવ જેનો છે તે પ્રકીર્ણવાદી. (૯) દ્રોગ્ધ - દ્રોહણશીલ, મિત્ર પ્રતિ પણ અદ્રોહ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International