________________
૧૦/૩૧૮
• વિવેચન - ૩૧૭ -
-
અરતિ - વાત આદિથી જનિત ચિતનો ઉદ્વેગ. ગંડ - ફુંસી ફોડા. વિસૂચિકા શરીરને વિંધે છે તે અજીર્ણ વિશેષ. આતંક સર્વ આત્મપ્રદેશ અભિવ્યાપ્તિથી આત્માને જીવિત કૃચ્છુ કરે છે, તે આતંક - જલ્દી હણનાર રોગ વિશેષ. અનેક પ્રકારે તારા શરીરને સ્પર્શે છે. તેથી વિશેષથી બળના અપચયને લાવે છે. વિશેષથી તારા શરીરને નીચે પાડે છે અને જીવથી મુક્ત કરે છે. તેથી હે ગૌતમ ! સમય માત્ર પણ
પ્રમાદ ન કર.
જો કે ગૌતમને કેશ - વાળનું સફેદપણું આદિ સંભવતું નથી. તો પણ તેની નિશ્રામાં રહેલ શિષ્યને પ્રતિબોધ કરવાને માટે કહેલ છે.
જે રીતે ‘અપ્રમાદ’ કરવો જોઈએ, તે કહે છે -
માત્ર પણ પ્રમાદ ન કર.
૦ સૂત્ર - ૩૧૮ -
જેમ શરદ્કાલીન કુમુદ પાણીથી લિપ્ત થતું નથી, તે પ્રકારે તું પણ તારા બધાં પ્રકારના સ્નેહને ત્યાગીને નિર્લિપ્ત થા. હે ગૌતમ ! સમય
૦ વિવેચન - ૩૧૮ -
વિવિધ પ્રકારોથી પ્રબળપણે દૂર કરે છે, તે બુચ્છિન્નકર. કોને ? સ્નેહ આસક્તિને. કોના સંબંધી ? પોતાની. કોની જેમ ? ચંદ્રના ઉદ્યોત વિકાસી ઉત્પલની જેમ. શારદીય - શરદ ઋતુમાં થયેલ પાણી. જે રીતે તે પહેલાં જળમગ્ન હોય છતાં પણ જળને છોડીને વર્તે છે, તે રીતે તું પણ ચિરસંસૃષ્ટ ચિરપરિચિતપણાથી મારા વિષયના સ્નેહને દૂર કર, એ પ્રમાણે સર્વ સ્નેહ વર્જિત થઈને સમય માત્રનો પ્રમાદ ન કર. અહીં જળને દૂર કર એટલું કહેવાથી અર્થ સિદ્ધ હોવા છતાં જે ‘શારદ’ શબ્દનું ઉપાદાન કર્યું છે, તે શારદીય જળની જેમ સ્નેહનું અતિ મનોરમત્વ બતાવવાને છે.
99
-
• સૂત્ર - ૩૧૯
ધન અને પત્નીનો પરિત્યાગ કરીને તું અણગાર વૃત્તિમાં દીક્ષિત થયેલો છે. તેથી વમન કરેલા ભોગોને તું ન પી. ગૌતમ ! જરા પણ પ્રમાદ
ન કર.
-
Jain Education International
·
-
• વિવેચન
૩૧૯
પરિહરીને, શું ? ઘન - ચતુષ્પદ આદિ, પછી ભાર્યા - પત્નીને. પ્રવૃતિ ઘરથી નીકળેલ. અણગાર - ભાવભિક્ષુ થા, અનગારિક અનુષ્ઠાન કર. અર્થાત્ તેનો સ્વીકાર કર. અથવા અનગારિતાનો સ્વીકાર કર. તેથી ઉલટી કરેલાને ફરીથી પી નહીં. પણ ગૌતમ ! સમય માત્ર પણ પ્રમાદ ન કર.
કઈ રીતે વમેલું આપાન થાય છે તે કહે છે -
♦ સૂત્ર
૩૨૦ -
મિત્ર, બંધુ અને વિપુલ ધન રાશિનો સંચય છોડીને ફરી તેની
For Private & Personal Use Only
www.jainelibrary.org
-