SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦/૩૧૮ • વિવેચન - ૩૧૭ - - અરતિ - વાત આદિથી જનિત ચિતનો ઉદ્વેગ. ગંડ - ફુંસી ફોડા. વિસૂચિકા શરીરને વિંધે છે તે અજીર્ણ વિશેષ. આતંક સર્વ આત્મપ્રદેશ અભિવ્યાપ્તિથી આત્માને જીવિત કૃચ્છુ કરે છે, તે આતંક - જલ્દી હણનાર રોગ વિશેષ. અનેક પ્રકારે તારા શરીરને સ્પર્શે છે. તેથી વિશેષથી બળના અપચયને લાવે છે. વિશેષથી તારા શરીરને નીચે પાડે છે અને જીવથી મુક્ત કરે છે. તેથી હે ગૌતમ ! સમય માત્ર પણ પ્રમાદ ન કર. જો કે ગૌતમને કેશ - વાળનું સફેદપણું આદિ સંભવતું નથી. તો પણ તેની નિશ્રામાં રહેલ શિષ્યને પ્રતિબોધ કરવાને માટે કહેલ છે. જે રીતે ‘અપ્રમાદ’ કરવો જોઈએ, તે કહે છે - માત્ર પણ પ્રમાદ ન કર. ૦ સૂત્ર - ૩૧૮ - જેમ શરદ્કાલીન કુમુદ પાણીથી લિપ્ત થતું નથી, તે પ્રકારે તું પણ તારા બધાં પ્રકારના સ્નેહને ત્યાગીને નિર્લિપ્ત થા. હે ગૌતમ ! સમય ૦ વિવેચન - ૩૧૮ - વિવિધ પ્રકારોથી પ્રબળપણે દૂર કરે છે, તે બુચ્છિન્નકર. કોને ? સ્નેહ આસક્તિને. કોના સંબંધી ? પોતાની. કોની જેમ ? ચંદ્રના ઉદ્યોત વિકાસી ઉત્પલની જેમ. શારદીય - શરદ ઋતુમાં થયેલ પાણી. જે રીતે તે પહેલાં જળમગ્ન હોય છતાં પણ જળને છોડીને વર્તે છે, તે રીતે તું પણ ચિરસંસૃષ્ટ ચિરપરિચિતપણાથી મારા વિષયના સ્નેહને દૂર કર, એ પ્રમાણે સર્વ સ્નેહ વર્જિત થઈને સમય માત્રનો પ્રમાદ ન કર. અહીં જળને દૂર કર એટલું કહેવાથી અર્થ સિદ્ધ હોવા છતાં જે ‘શારદ’ શબ્દનું ઉપાદાન કર્યું છે, તે શારદીય જળની જેમ સ્નેહનું અતિ મનોરમત્વ બતાવવાને છે. 99 - • સૂત્ર - ૩૧૯ ધન અને પત્નીનો પરિત્યાગ કરીને તું અણગાર વૃત્તિમાં દીક્ષિત થયેલો છે. તેથી વમન કરેલા ભોગોને તું ન પી. ગૌતમ ! જરા પણ પ્રમાદ ન કર. - Jain Education International · - • વિવેચન ૩૧૯ પરિહરીને, શું ? ઘન - ચતુષ્પદ આદિ, પછી ભાર્યા - પત્નીને. પ્રવૃતિ ઘરથી નીકળેલ. અણગાર - ભાવભિક્ષુ થા, અનગારિક અનુષ્ઠાન કર. અર્થાત્ તેનો સ્વીકાર કર. અથવા અનગારિતાનો સ્વીકાર કર. તેથી ઉલટી કરેલાને ફરીથી પી નહીં. પણ ગૌતમ ! સમય માત્ર પણ પ્રમાદ ન કર. કઈ રીતે વમેલું આપાન થાય છે તે કહે છે - ♦ સૂત્ર ૩૨૦ - મિત્ર, બંધુ અને વિપુલ ધન રાશિનો સંચય છોડીને ફરી તેની For Private & Personal Use Only www.jainelibrary.org -
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy