________________
૫૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર મનુષ્યલોકમાં નિગડાદિ વડે નિયંત્રિત કરાય છે. જ્યારે તે કરનારા છુટી જાય છે આના વડે જે પૂર્વે કહ્યું : “આમોષકાદિના ઉપદ્રવથી નગરને બચાવીને જવું' તેમાં તેઓને જાણવાનું અશક્ય પણે હોવાથી ક્ષેમકરણ પણ અશક્ય જાણવું. જે સધમાં આદિ બતાવ્યા, તેમાં અપરિજ્ઞાનથી અનપરાધીને પણ દંડ કરવાથી સધર્મનૃપતિત્વ પણ વિચારવું જોઈએ, એ પ્રમાણે અસિદ્ધતા હેતુ છે.
• સૂત્ર - ૨૫૯ - આ અર્થને સાંભળીને - * - *- દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આમ કહ્યું• વિવેચન - ૫૯ -
આ સ્વજન, અંતઃપુર, નગર, પ્રાસાદ, નૃપતિધર્મ વિષયમાં આમને આસક્તિ છે કે નહીં, એ વિમર્શ કરીને હવે દ્વેષનો અભાવ થયો છે કે નહીં? તે જાણવાની ઇચ્છાથી, તેની જ પરીક્ષા કરવાને શકએ આમ પૂછ્યું -
• સૂત્ર - ૨૬૦ -
હે ક્ષત્રિય જે રાજા હાલ તમને નમતા નથી, પહેલાં તેમને તમારા વશમાં કરીને જ - દીક્ષા લેજે.
• વિવેચન - ૨૬૦ -
જે કેટલાંક રાજાઓ તમારી મર્યાદામાં રહેલા નથી, તમને નમતા નથી - - ૪ - તેથી હે નરાધિપ ! નૃપતિ ! ન નમેલા રાજાઓને સ્થાપીને પછી જજો, હે ક્ષત્રિય! અહીં પણ જે સજા, તેના નમેલા રાજાને નમાવે છે. જેમ ભરત આદિ, ઇત્યાદિ હેતુ અને કારણે અર્થથી આક્ષિત છે.
• સૂત્ર - ૨૬૧ થી ૨૬૪ -
આ અર્થને સાંભળીને - 1 - 1- નમિ રાજર્ષિ દેવેન્દ્રને આમ કહ્યું - જે દુલ સંગ્રામમાં દશ લાખ યોજાને જીતે છે, તેની અપેક્ષાએ જે એક પોતાને જીતે છે, તેનો વિક્સ જ પરમ વિજય છે... બહારના યુદ્ધોથી શું ? સ્વયં પોતાનાથી યુદ્ધ કરો. પોતાનાથી પોતાનાને જીતીને જ સાચું સુખ પ્રાપ્ત થાય છે.... પાંચ ઇંદ્રિયો, ક્રોધ, માન, માયા, લોભાદિ વાસ્તવમાં દુલ છે. એક પોતાને જીતવાથી આ બધાં જીતાઈ જાય છે.
- વિવેચન - ૨૬૨ થી ૨૬૪ -
જે હજારો સુભટોને દુર્જયયુદ્ધમાં જીતી લે છે, તેનો એકને કોઈ જીવ વીયૅલ્લાસથી જીતી લે, કોને ? આત્માને. કેવા ? દુરાચાર પ્રવૃત્ત. તે તેણે અનંતરોક્ત હજારોને જીતીને પ્રકૃષ્ટ જ્ય - બીજાનો પરાભવ કરેલ છે. આના વડે આત્માનું અતિ દુર્જયત્વ કહ્યું. તેથી આત્મા સાથે જ સંગ્રામ કરો. - x- પણ બીજા કોઈ સાથે નહીં. તારા સંગ્રામથી બાહ્ય રાજા આદિને આશ્રીને અથવા બાહ્ય યુદ્ધ કરવા કરતાં આત્માને જીતીને એકાંતિક આત્યંતિક મુક્તિ સુખરૂપ પામે છે અથવા શુભ - પુન્યને પામે છે.
આત્માને જ જિતવાથી સુખની પ્રાપ્તિ કઈ રીતે થાય? તે કહે છે. શ્રોત્ર આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org