SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૯/૨૬૧, ૨૬૪ ૫૫ પાંચ ઇન્દ્રિયો, ક્રોઘ - કોપ, માન - અહંકાર, માયા - નિકૃતિ, લોભ - વૃદ્ધિરૂ૫, તે દુર્જય - દુરભિભવ છે. સતત તેવા તેવા અધ્યવસાય સ્થાનાંતર એ પ્રમાણે વ્યુત્પત્તિથી આત્મા એટલે મન, સંપૂર્ણ ઇંદ્રિયાદિ અને ઉપલક્ષણથી મિથ્યાત્વ આદિ, તે બધું આત્માને જીતવાથી જિતાયેલ જ છે. મનને જીતવાથી ઇંદ્રિયો જિતાયેલી જ છે, પછી તેના જયને અલગથી કેમ જણાવ્યો ? સત્ય છે. તો પણ પ્રત્યેક દુર્જયત્વ જણાવવા માટે તેનો પ્રથક ઉપન્યાસ છે. • x x- જે કારણે આત્મા જ દુર્જય છે, તેથી બધી જ ઇંદ્રિય આદિ આત્માના જીતતા જિતાયેલ જ છે. આના વડે ઇંદ્રિય આદિના જ દુઃખ હેતુત્વથી તેના જયથી સુખ પ્રાપ્તિ સમર્થિત થાય છે. એ પ્રમાણે ફળ ઉપદર્શન દ્વારથી જીતવાની ઇચ્છા કલ્યાણકારી છે, એમ કહ્યું. તેથી જે રાજા આદિને તત્ત્વથી જીતવાપણું દર્શાવીને સિદ્ધ સાધનપણાથી પ્રયોજેલ છે. • સૂત્ર - ૨૬૫, ૨૬૬ - આ અર્થને સાંભળીને - x - = - દેવેન્દ્રએ નમિ રાજર્ષિને કહ્યું - હે ક્ષત્રિય ! તમે વિપુલ યજ્ઞ કરાવીને, શ્રમણ અને બ્રાહ્મણને ભોજન કરાવીને દાન દઈને, ભોગો ભોગવીને અને સ્વય યજ્ઞ કરીને જજે - દીક્ષા લેજે.. • વિવેચન - ૨૬૫, ૨૬૬ - - અનંતર પરીક્ષાથી આણે દ્વેષને પણ પરિહરેલ છે, તેમ નિશ્ચય કરીને, જિન પ્રણિત ધર્મ પ્રતિ ચેર્યની પરીક્ષા કરવાની ઇચ્છાથી શકએ આ પ્રમાણે કહ્યું - વિપુલ યજ્ઞ - ચાગને યોજીને, આગંતુક શ્રમણ - નિર્ગળ્યાદિ, બ્રાહ્મણો - દ્વિજોને જમાડીને, દ્વિજાદિને ગાય, ભૂમિ, સુવર્ણ આદિનું દાન કરીને, મનોજ્ઞ શબ્દાદિને ભોગવીને, સ્વયં યાગાદિ કરીને પછી હે ક્ષત્રિય! જો. આના વડે જે તે પ્રાણીને પ્રીતિકર છે. તે ધર્મને માટે, જે હિંસાથી વિરમણાદિ છે, તેના વડે આ યાગાદિને હેતુ અને કારણપણે સૂચવેલ છે. • સૂત્ર - ૨૬૭, ૨૬૮ - આ અર્થને સાંભળીને - x - = • નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આમ કહ્યું - જે મનુષ્ય દર મહિને દશ લાખ ગાયોનું દાન કરતો હોય, તેને પણ સંયમ જ શ્રેય છે, ભલે, પછી તે કોઈને કંઈપણ દાન ન કરે. • વિવેચન - ૨૬૮ - પ્રતિમાસ દશલાખ ગાયોનું દાન કરે, આવો દાતા પણ જો કંઈક ચાસ્ત્રિમોહનીય ક્ષયોપશમથી સંયમ - આશ્રવાદિ વિરમણરૂપ થાય ત્યારે તે જ અતિશય પ્રશસ્ય છે. કેવા પ્રકારનાને પણ? સ્વષ્ય પણ વસ્તુ ન આપતો હોય અથવા તેના કરતા પણ ઉક્તરૂપથી દાતાના વિવક્ષિત અવધિપણાથી, જેઓ પ્રાણિહિંસાથી સમ્યક અટકે છે કે સંયમવાનું સાધુ પ્રશસ્યતર છે. અથવા તે દાતા કરતાં પણ અર્થાત્ ગોદાન ધર્મથી ઉક્ત રૂપ સંયમ શ્રેય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy