________________
૭િ/૧૯૯
--
-
• સૂત્ર - ૧૯૯ -
મની શિક્ષા વિપુલ છે, જેઓ ગૃહસ્થ છતાં શીલવંત અને ઉત્તરોત્તર ગુણોથી યુક્ત છે, તે અદીન પુરુષો મૂલધનરૂપ મનુષ્યત્વથી આગળ વધીને દેવત્વને પામે છે.
• વિવેચન - ૧૯૯ -
જેમને વિપુલ - નિઃશંકિતત્વાદિ સમ્યકત્વ આચાર અને વ્રત આદિ વિષયપણાથી ગ્રહણ - આસેવનરૂપ વિસ્તીર્ણ શિક્ષા, મૂળધનવત્ માનુષ્યત્વ, એવા સ્વરૂપના તે, ઉલ્લંઘીને. કેવા થઈને ઉલ્લંઘે - સદાચાર, અવિરતિ સમ્યમ્ દશવાળા. વિરતિવાળા, કે જેમાં વિધમાન છે, તે શીલવંત, તથા ઉત્તરોત્તર ગુણ સ્વીકાર રૂપ વર્તે છે. તેથી જ અદીન - ક્યારે અમે આવા થઈશું એવા વૈકલ્પથી રહિત અથવા પરીષહ - ઉપસર્ગમાં દીનતા ન કરનારા, દેવભાવને પ્રાપ્ત કરે છે. તત્ત્વથી તો મુક્તિગતિ એ જ લાભ છે, છતાં દેવગતિ કહીં. કેમકે સૂત્ર ત્રિકાળ વિષયક છે. વિશિષ્ટ સંહના અભાવે મુક્તિગતિના અભાવથી દેવગતિ જ છે. - *- પ્રસ્તુતાર્થનો ઉપદેશ -
• સૂત્ર - ૨૦૦ -
એ પ્રમાણે દીનતા રહિત સાધુ અને ગૃહસ્થને લાભયુક્ત જાણીને, કઈ રીતે કોઈ તે લાભને હારશે ? શરતો તે કેમ પશ્ચાતાપ નહીં કરે?
• વિવેચન - ૨૦૦ -
આ રીતે લાભયુક્ત થયેલા, દૈન્યતારહિત સાધુ કે ગૃહસ્થને જાણીને તથાવિધ શિક્ષાના વશથી દેવ-મનુષ્ય ગામિત્વને જાણીને પ્રયત્ન કરે, શા માટે ? કયા પ્રકારે ? કોઈ પ્રકારે નહીં. કષાય આદિ વડે અનંતરોક્ત દેવગતિરૂપ લાભને હારતો ન જાણે કે હું કઈ રીતે આના વડે જીતાયો? કે કઈ રીતે ન જીતાયો? જે કે અહીં અર્થ એવો છે કે - તે શપરિફાથી જાણે જ અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેના વિરોધ માટે પ્રવર્તે જ. માટે તમે પણ - ૪- તે જાણો અને તેને ૪- માટે પ્રવર્તે.
અથવા એ પ્રમાણે અદીનતાવાળો ભિક્ષુ અને અગારીને જાણીને અતિ રોદ્ર ઇંદ્રિયાદિ વડે પ્રયત્ન કરતો આત્મા હારે છે તેમ જાણે. તે અહીં પ્રકમથી મનુષ્ય અને દેવગતિ લક્ષણ છે. અથવા એ પ્રમાણે અદીનતાવાળો સાધુ કે ગૃહસ્થ લબ્ધલાભ જાણીને યત્ન કરતો કઈ રીતે વિષયાદિથી ન હારે? તે જાણવું. આ દેવગતિરૂપ લાભ છે. અહીં આશય એ છે કે, જે લાભ પામનાર જાણતો ન હોય તો તેનો લાભ ન થાય પણ જો જાણતો હોય તો કઈ રીતે તે પ્રાણી દેવત્વ લક્ષણથી હારવાનો છે ?- X
હવે સમુદ્રનું દૃષ્ટાંત આપે છે - • સૂત્ર - ૨૦૧ -
સમુદ્રની તુલનામાં કુશાગ્રભાગે રહેલ જળબિંદુની માફક દેવતાના કામભોગની તુલનામાં મુલ્યના કામભોગ શુદ્ધ જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org