SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર • સૂત્ર - ૧૮૮ - વિવિધ પ્રકારે હિંસા કરનાર, અજ્ઞાની જીવ, આણુ ક્ષીણ થતાં જ્યાં શરીર છોડે છે, ત્યારે કૃત કમી વિવશ અંધકારવાળા નરકમાં જાય છે. • વિવેચન - ૧૮૮ - શોક કર્યા પછી, તે ઉપાર્જિત ભારે કમ. તે ભવસંબંધી આયુમાં જીવિતનો ક્ષય થતાં, કદાચિત આયુ ક્ષયના પૂર્વે શરીરથી ભ્રષ્ટ થાય, તે વિવિધ પ્રકારે પ્રાણિઘાતક, અવિધમાન સૂર્યવાળા • ગ્રહ - નક્ષત્ર વિરહિત, આ સંસારી દિશાને અર્થાત ભાવ દિશાને અથવા રૌદ્ર કર્મકારી બધાં પણ અસર કહેવાય છે. તેથી આ આસુરી દિશાને - અર્થાત નરકગતિ પ્રતિ તે અજ્ઞાની જાય છે. કેવી રીતે? કર્મથી પરવશ થઈને. - xઅંધકારયુક્તપણાથી તમસ, દેવગતિમાં પણ સૂર્યના અસંભવથી, તેના વિચ્છેદ માટે દિ વિશેષણ મૂક્યું. તેથી “નરકગતિ' લીધી. હવે કાકિણી અને આમ્ર બે દષ્ટાંત કહે છે - • સૂત્ર - ૧૦૯ એક કાકિણીને માટે જેમ મૂઢ મનુષ્ય હજારો હારી જાય છે અને રાજા એક અપધ્ય પ્રફળ ખાઈને બદલામાં જેમ રાજ્ય હારી જાય છે.. • વિવેચન - ૧૮૯ - જેમ કાકિણીની કારણે પરપ હજાર કાષપણને હારી જાય. અહીં સંપ્રદાયથી એક ઉદાહરણ છે - એક ઢમકે આજીવિકા કરતા હજાર કષપણ અર્જિત કર્યા. તે ગ્રહણ કરીને દ્રમક સાર્થની સાથે સ્વગૃહે ચાલ્યો. તેણે ભોજન નિમિત્તે કાકિણી માટે રૂપીયો આપી દીધો. પછી રોજેરોજ કાકિણી ખાતો. છેલ્લે એક કાકિણી બચી. તે પણ ખોવાઈ ગઈ. બીજાએ ચોરી લીધી. ઇત્યાદિ - ૪- તે ઘેર જઈને શોક કરવા લાગ્યો. તથા અપથ્ય - અહિત, આમ્રફળ ખાઈને રાજા રાજ્યને હારી ગયો. અપથ્થભોજીને એ પ્રમાણે સજાનું હરણ સંભવે છે, તેનું દષ્ટાંત કોઈ રાજાને આશ્વના અજીર્ણથી વિસૂચિકા થઈ ગઈ. વૈધએ ઘણાં યત્ન વડે તેની ચિકિત્સા કરી, પછી કહ્યું - ફરી આમ ખાશો તો વિનાશ પામશો. તે રાજાને આશ્વ અતિ પ્રિય હતા. તેણે પોતાના દેશમાં બધે આમ્ર ઉગાડેલા. કોઈ દિવસે ઘોડા ખેલાવવા નીકળ્યો, અમાત્ય સાથે હતો. ઘોડો ઘણે દૂર જઈને થાકીને ઉભો રહ્યો. વનખંડમાં આમની છાયામાં અમાત્યએ વારવા છતાં બેઠો, નીચે કેરીઓ પડી, તેણે કેરીને સાફ કરી. પછી સુંઘી, પછી ખાવા માટે સ્પર્શવા ગયો, અમાત્યએ વારવા છતાં, ખાઈને મરી ગયો. હવે દાષ્ટન્તિકની યોજના કહે છે - • સૂત્ર - ૧૯૦ - એ પ્રમાણે દેવતાના કામ ભોગોની તુલનામાં મનુષ્યના કામભોગો નગPય છે. મનુષ્યની અપેક્ષાએ દેવતાનું આવ્યું અને કામભોગો હાર ગુણા છે. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy