SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩/૪૦૮-૨ ૧૧૯ • વિવેચન- ૪૦૮-૨ ચિત્ર પરિમતાલમાં જમ્યો. તે ચિત્ર નામે મહર્ષિ. ત્યાં સંભૂતિ નામના ભાઈએ તે પ્રમાણે અનશન સ્વીકાર્યા પછી, અહો ! આ મોહ વિચિત્ર અને દુરંત છે. કર્મની પરિણતિ ચંચળ છે. ઇત્યાદિ વિચારીને ત્યારે આહારના પ્રત્યાખ્યાન કર્યા. પંડિતમરણથી મૃત્યુ પામ્યો. ત્યાં નલિનીગુભ વિમાનમાં ઉત્પન્ન થયો પછી ત્યાં સ્વસ્થિતિનું પાલન કરીને પરિમતાલ નગર ઉત્પન્ન થયો. ત્યાં પણ શ્રેષ્ઠીના કુળમાં, ઘણાં પુત્ર-પૌત્રાદિ હતા તેવા સ્થાને ઉત્પન્ન થયો. ઉંમર થતા તથા વિધ સ્થવિરની પાસે ક્ષાંતિ આદિરૂપ યતિ ધર્મ સાંભળીને પ્રવજ્યા સ્વીકારી. -૦- પછી શું થયું? • સૂત્ર - ૪૦૯ - કાંપિલ્યપુરમાં ચિત્ર અને સંભવ બને મળ્યા. તેઓએ પરસ્પર સુખ અને દુઃખ રૂપ કર્મફળના વિપાકના સંબંધમાં વાતચીત કરી. • વિવેચન ૪૦૯ - કાંડિલ્યનગર - બ્રહ્મદત્તનું ઉત્પતિસ્થાન, ત્યાં ચિત્ર અને સંભૂત - આ બંને નામો પૂર્વભવોના છે, તે ભેગા થયાં. સુકૃત-દુકૃત કર્મોના અનુભવ રૂપ પરસ્પર કહ્યા. તે પ્રમાણે એ બંનેએ કહ્યા. ભાવાર્થ આ છે - • નિર્યુક્તિ - ૩૫૫ - વિવેચન ત્યારે બ્રાહાદત્ત જાતિ સ્મરણ જ્ઞાન પામીને સ્વજાતીના એક શ્લોક અડધો લોકો સમક્ષ મૂકીને નિવેદન કર્યું કે, જે આ બીજ અર્ધ શ્લોક પૂરો કરશે, તેને હું અરાજ્ય આપીશ. પછી તેના અર્થી લોકો તે બોલવા લાગ્યા. તે ગામ, નગર, આકર આદિમાં બોલાતો સાંભળી કણોપકર્ણ ચિત્રના જીવ એવા સાધુ વડે, તેવા પ્રકારના જ્ઞાનના અતિશયના ઉપયોગથી સ્વજાતીને પામીને આનો અભિપ્રાય જાણ્યો. પછી જન્માંતરના પોતાના ભાઈ સંભૂતના જીવ બ્રહદત્તને પ્રતિબોધ કરવા નીકળ્યા. પોતાના સ્થાનેથી નીકળી ચિત્રમુનિ અનુક્રમે કાંપિલ્ય પહોંચ્યા. તેના બહારના ઉધાનમાં રહ્યા. ચાર ઘડી શ્રતનો પાઠ કર્યો. પછી અડધો શ્લોક પૂરો કરી બીજો શ્લોક કર્યો. ચાર ઘડી અવધારીને કોઈ પુરુષ રાજા પાસે રાજ્યના લોભથી દોડી ગયો તેમની આગળ શ્લોક બોલ્યો. તેનાથી ચિત્તનો આવેશ જમ્યો. તેનાથી મૂર્છા આવી ગઈ. આંખો ઢળી ગઈ. આસનથી ભૂમિ ઉપર પડી ગયો. આ શું છે ? ઇત્યાદિ વડે તે આકલિત થઈ ગયો. તેણે આ શ્લોક બોલનાર આરઘફ્રિકને જોયો. તેને પાર્ષિણના પ્રહારાદિથી માર્યો. તે બરાડવા લાગ્યો કે આ શ્લોક મેં પુરો કરેલ નથી. પણ કોઈ ભિક્ષુએ પુરો કરેલ છે. એટલામાં બ્રહ્મદત્તને ચેતન આવ્યું. તે ચક્રવર્તીએ સ્વસ્થતા પ્રાપ્ત કરી. પૂછયું કે આ શ્લોકને પુરો કરનાર ક્યાં રહેલ છે ? તેનો વ્યતિત કહો. કોઈ ભિક્ષુ વડે આ શ્લોક પુરો કરાયો છે, પણ આના વડે નહીં. હર્ષથી વિકસિત નયને તેને ફરી પૂછતા - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy