________________
૧૨૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ આરઘટ્ટિકે કહ્યું - હે દેવ ! મારી વાટિકામાં છે. એ સાંભળીને બ્રહ્મદત્ત સૈન્ય, વાહન, સર્વ અંતઃપુર સાથે તેમના દર્શન માટે ચાલ્યો. તે ઉધાને પહોંચ્યો. મુનિને જોયા. બહુમાન સહિત વંદન કરી એક આસને બેઠો. પરસ્પર નામ આદિ પૂછયા. પોતપોતે અનુભવેલ સુખ-દુઃખોની વાતો કરી. ત્યારપછી ચક્રવર્તીએ પોતાની સમૃદ્ધિનું વર્ણન કર્યું. તેના વિપાક્ના દર્શનની પ્રરૂપણા કરીને તેનો પરિત્યાગ ચિત્ર મુનિએ કહ્યો. આ જ પ્રસ્તુત અધ્યયનનો સૂત્રાર્થ જણાવો.
હવે જે કહ્યું કે - ‘તે બંનેએ સુખ-દુઃખનો ફળ વિપાક પરસ્પર કહ્યો. તેમાં જે ચક્રવર્તીએ કહ્યું તે સંબંધ સહિત કહે છે -
• સૂત્ર - ૪૧૦ થી ૪૧૩
મહદ્ધિક અને મહાયશસ્વી ચક્રવર્તી બ્રહ્મદત્તે અતિ આદર સહિત પોતાના (પૂર્વભવના) ભાઈને આ પ્રમાણે કહ્યું -
આ પહેલાં આપણે બંને પરસ્પર વશવી, પરસ્પર અનુરક્ત અને પરસ્પર હિતેષી ભાઈ-ભાઈ હતા. આપણે બંને દશા દેશમાં દાસ, કાલિંજર પર્વતે હરણ, મૃતગંગાના કિનારે હંસ અને કાશી દેશમાં ચાંડાલ થયા. પછી આપણે બંને દેવલોકમાં મહર્ક્ટિક દેવ થયા. આ આપણો છઠ્ઠો ભવ છે, જેમાં આપણે એકબીજાથી દૂર અલગ-અલગ જન્મ્યા છીએ.
• વિવેચન ૪૧૦ થી ૪૧૩ -
-
-
ચક્રવર્તી મહર્ક્ટિક - ઘણી વિભૂતિવાળો બ્રહ્મદત્ત, મહાયશવાળો, તેવો જન્માંતરના સહોદર ભાઈને બહુમાન માનસ પ્રતિબંધથી આ પ્રમાણે કહ્યું - જેમકે આપણે બંને ભાઈઓ હતા, પરસ્પર એક્બીજાને વશવર્તી હતા, અનુરક્ત હતા, અતિ સ્નેહવાળા હતા, અન્યોન્ય હિતૈષી હતા, પરસ્પર શુભ અભિલાષવાળા હતા, અહીં વારંવાર “અન્યોન્ય' શબ્દનું ગ્રહણ તુલ્યચિત્તપણાના અતિશયને જણાવવા માટે છે. પુનર્ભવોમાં આપણે શું શું થયા, તે કહે છે - દશાર્ણ દેશમાં આપણે બંને દાસ હતા. પછી કાલિંજર નામના પર્વતે મૃગ થયા. મૃતગંગાતીરે આપણે બંને હંસ થયા. પછી કાશી નામના જનપદમાં ચાંડાલો થયા. પછી સૌધર્મ નામના દેવલોકમાં દેવો થયા, તે પણ મહદ્ધિક દેવો ફિલ્બિષિક દેવ નહીં, એ પ્રમાણે આપણા બંનેનો આ છઠ્ઠો ભવ છે કે જેમાં આપણે એકબીજા વિના અર્થાત્ પરસ્પર સહવર્તિપણા વિના, વિયુક્ત એ પ્રમાણે ઉત્પન્ન થયા છીએ.
આ પ્રમાણે ચક્રવર્તીએ કહેતા મુનિ બોલ્યા -
• સૂત્ર
૪૧૪ -
રાજન્ ! તેં નિદાન કૃત્ કર્મોને વિશેષ રૂપથી ચિંતન કર્યા. તે કર્મફળના વિપાકથી આપણે અલગ-અલગ જન્મ્યા છીએ.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org